SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંદરાજાના રાસ ઉપરથી નીકળતો સાર. ૩૮૯ પરિણામે ઘણુ વખત તો સાચા જ પડે છે. આ પ્રસંગે દીપકવિએ બનાવેલા ચંદરાજા ને ગુણાવળીના કાગળે કે જે. જુદા છપાયેલા છે પરંતુ પ્રસંગને બહુ અનુકૂળ છે તે આપવામાં આવ્યા છે. તેની અંદર અંદરાએ ગુણાવીને બહુ પ્રકારે ઓળંભા આવ્યા છે, પરંતુ સદ્દગુણ ગુણાવાળીએ તે બધા માથે ચઢાવ્યા છે અને તે કરતાં પણ વધારે ઠબકાને પાત્ર પતે છે એમ કબુલ કર્યું છે. આવી સદ્દગુણ સ્ત્રીઓ પણ જવલેજ દષ્ટિએ પડે છે. આ તે નામથી ને ગુણથી બંને પ્રકારે ગુણાવળી છે. તેને પત્ર ખાસ વાંચવા લાયક છે. પતિ સાથે સ્ત્રીનું વર્તન કેવું જોઈએ તે તેમાં બહુ સારી રીતે સૂચવેલું છે. - આ પ્રકરણ અહીં સમાપ્ત કરવામાં આવ્યું છે. કારણકે આ પ્રકરણમાં એકલે હર્ષજ ભરેલો છે. તેની અંદર બધા હર્ષિત થનારાનુંજ વૃત્તાંત આવે છે. ચંદરાજા મનુષ્ય થયા તેમાં નાખુશ થાય તેવું માત્ર એક જ માણસ છે અને તે તેની ઉપર માતા વીરમતી છે. તેને કાને આ વાત ગયા સિવાય રહેવાની નથી અને તે સાંભળતાંજ તેના હૃદયમાં તેલ રેડાવાનું છે, તે અનેક પ્રકારના માઠા સંક૯૫ વિકલ્પ કરવાની છે. તેથી એ હકીહત હવે પછીના પ્રકરણ માટે જે બાકી રાખવામાં આવી છે. આ પ્રકરણમાંથી ખાસ સાર એજ ગ્રહણ કરવાને છે કે-સજ્જનો અપકારી ઉપર પણ અતુલ ઉપકાર કરે છે. પ્રિય વાંચનાર ! તું પણ એવી સજ્જનતા મેળવવા તૈયાર થજે. આત્માને ઉચ્ચ કેટીમાં લઈ જવાનો એ જ અમોઘ ઉપાય છે. એવી સજજનતાના શામાં તો અનેક ઉદાહરણો મળી આવે છે, પરંતુ આ કની કાળમાં તો એવા મનુષ્યનાં દર્શન પણ દુર્લભ છે. આશા છે કે આ હકીક્ત અમારા વાંચનારા બંધુઓ અને બહેનો પોતાના હૃદયમાં કોરી રાખી તેનું અનુકરણ કરવા યથાશક્તિ તત્પર થશે. આટહ્યું કહીને આ પ્રકરણ સમાપ્ત કરવામાં આવે છે. ભાઇ જમનાદાસ ડુંગરશીનું ખેદકારક મૃત્યુ. ભાવનગર નિવાસી આ બંધુ માત્ર ૩૬ વર્ષ જેટલી લધુ વયમાં આ ફાની દુનીઆ છેડીને પરલોક નિવાસી થયા છે. એમની ધાર્મિક વૃત્તિ સુંદર હતી, પ્રકૃતિ શાંત હતી, દિલ ઉદાર હતું, જાહેરમાં આવતા જતા હતા. અમારી સભાના લાઈફમેઅર હતા. તેઓ ગયા માહ વદિ ૬ ફે. ક્ષયરોગના ભયંકર વ્યાધિથી પંચત્વ પામ્યા છે. સંતતીમાં માત્ર એક પુત્રીને જ મૂકી ગયા છે. અમે તેમને ના કુટુંબીઓને દિલાસો આપીએ છીએ અને તેમના આત્માને શાંતિ ઈચ્છીએ છીએ. For Private And Personal Use Only
SR No.533368
Book TitleJain Dharm Prakash 1915 Pustak 031 Ank 12
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1915
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy