SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હિંસા પરમો ધર્મ. સામાન્ય હિંસા, સામાજિક હિંસા, ધાર્મિક હિંસા · તથા આત્મિક હિંસા કાને કહેવી? અને કવી રીતે તે નિવારી શકાય ? તેનું સામાન્ય સ્વરૂપ મે તમારી પાસે તુ કર્યું છે. હવે આ હિંસા આચરવાના ત્રણ હથિયાર છે, અને તે ધિ યારની શુદ્ધિ કરવાથી તેનાથી થતી હિંસા અટકી શકે છે. આ થિયાર તે શરીર, વાણી અને મન એ ત્રણ છે. આ ત્રણ જ્યારે શુદ્ધ માગે પ્રવતે-સીધે રસ્તે ચાલે ત્યારે હિંસા થતી અટકે છે. આ ત્રણેની શુદ્ધિ કેવી રીતે થાય ? તે ટુકામાં હું કહીશ. શરીરશુદ્ધિને માટે વડીલને માન, સરખા પ્રત્યે પ્રેમ, નાના પ્રત્યે દયા તે ખાસ જરૂરન! છે. વળી બ્રહ્મચર્યનું પાલન તે પણ શરીરશુદ્ધિ અર્થે અહુ જરૂરતુ છે. તપસ્યા આદરવી, તપસ્યા કરવી તે પણ બહુ અગત્યનું છે. તપસ્યા કરવી એટલે રજોગુણ અને તમેગુણની હાનિ થાય-તે ઓછા થાય અને સાત્ત્વિક ગુણની વૃદ્ધિ થાય તેવી જાતની પ્રવૃત્તિ કરવી તેનું નામ તપસ્યામાં આ બાબત હુ વિચારવા જેવી છે, અને શરીરશુદ્ધિને માટે સાત્ત્વિકગુણ પાષક તપસ્યાજ આદરવા લાયક છે. તપસ્યા કેવી રીતે કરવી તે ખબતમાં શ્રીમદ્ ભગવદ્ગીતામાં કહ્યું છે કે:-~~ તપસ્યા છૅ. श्रद्धया परया तप्तं तपस्तु विविधं नरैः | अफलाकाङ्क्षिभिर्युक्तः सात्विकं परिचक्षते ॥ १ ॥ “ મન, શરીર અને વાણી તે ત્રણેની શુદ્ધિ થાય તેવી રીતે સ ંપૂર્ણ શ્રદ્ધાવડે અને ફાની આકાંક્ષા વગર જે તપસ્યા કરવામાં આવે છે તે સાત્ત્વિક તપ કહેવાય છે. "" सत्कारमानपूजार्थ, तपो दम्भेन चैव यत् क्रियते तदिह प्रोक्तं, राजसं चलमध्रुवम् ॥ २ ॥ “ જે તપસ્યા સત્કાર, માન, પૂજા વિગેરેના નિમિત્તથી દ‚યુક્ત કરવામાં આવે છે તેને સ્થિર નહિ તેવી-લિત એવી રાજસ તપસ્યા કહેવામાં આવે છે. मृढ ग्राहेणात्मनो यत्पीडया क्रियते तपः । परस्योत्सादनार्थं वा, तत्तामसमुदाहृतम् || ३ || “ મૃત્યુ વિચારથી ( કાંઇપણ સમજણુ વગર ) શરીરને પીડા થાય તેવી રીતે અને પારકાને પીડા ઉપજે તેવા હેતુથી જે તપસ્યા કરવામાં આવે છે તે તામસતપ કહેવાય છે, ” આમાં તામસ અને રાજસ તપસ્યા વને, મન-વાણી-શરીર વિગેરે શુદ્ધ થાય તેવી રીતે, દ્રઢ શ્રદ્ધાપૂર્વક, કાંઈ પણ ફળની આશા વગર, જે પરોપકારનાંભલમનસાઈનાં કાર્યો કરવાં-તેનાં કાર્યોમાંજ આખા દિવસ તત્પર રહેવું તે સાત્ત્વિક For Private And Personal Use Only
SR No.533366
Book TitleJain Dharm Prakash 1915 Pustak 031 Ank 10
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1915
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy