________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાસ્ત્ર ઉપદેશ યાને હિતશિક્ષા.
૧૦૮
शास्त्र उपदेश याने हितशिक्षा.
૧ હે મિત્ર ! સત્પરૂષથી અપમાન પામવું સારું પણ નીચની બતથી કુલાવું સારું નથી. ઘેડાની પાટુ ખાનારો શોભે છે પણ ગર્દભ ઉપર અધારી કરનાર શોભતો નથી. પુરૂષનું કટાક્ષ વચન પણ પરિણામે ઘણું જ લાભદાયક થાય છે પણ નીચની પ્રશંસા લાભકારી થતી નથી. એમ સાજી નીચની સંગતિ તજી ઉત્તમની જ સંગતિ કરવી.
- ૨ સહનું સારૂં ચિત્તવવાથી આપણું પણ સારું થાય છે અને સહુનું બરૂં ચિત્તવવાથી આપણું પણ બરૂ થાય છે. જેવું કરવું તેવું જ પામવું.
- ૩ કઈ વખતે મિત્રની પરીક્ષા થઈ શકે છે, શરીરની પરીક્ષા રણસંગ્રામ વખતે થઈ શકે છે, શિષ્યની યા ચાકરની પરીક્ષા વિનય વખતે થાય છે અને દાનીની પરીક્ષા દુષ્કાળ વખતે થાય છે. '' ૪ નો વિયેગ, સ્વજનને અપવાદ, માથે રહેલું કરજ, કૃપણની સેવાચાકરી, અને નિર્ધન અવસ્થામાં સ્વજન મેલાપ એ પાંચ વાનાં અગ્નિ વગર કાયાને બાળે છે (જીવને શલ્યની પરે સાલે છે.).
૫ કાગડામાં શોચ (પવિત્રતા), જાગારીમાં સત્ય, સર્પમાં ક્ષમા, સ્ત્રીમાં કાપશાન્તિ, કાયરમાં ધેર્ય, મદ્યપાન કરનાસ્મા તત્વચિન્તા જેમ અસંભવિત છે તેમ રાજ કોઈને કાયમી મિત્ર હોય એવું કોણે દેખ્યું કે સાંભળ્યું છે ? એ વાત સંભવિત જ નથી.
૬ શાસ્ત્ર ઉપર એક નિષ્ઠા દ્રઢ શ્રદ્ધા), શાસ્ત્રને સુગમ બેધ, હુંશીયારી, પ્રિય પય અને સત્ય વાણી, વખતસર કામ કરવાની ટેવ, અને અપૂર્વ બુદ્ધિબળ એ ગુણે વ્યવહારમાં ઘણું ઉપયોગી છે.
છ મૂખને મૂર્ખ સંગાતે અને પંડિતોને પંડિત સંગાતે એમ સરખે સરખાની પ્રીતિ હોય છે.
૮ કષ્ટ વખતે પણ ધૈર્ય ન તજવું, કેમકે ઘેર્યથી જીવ કષ્ટને તરી શકે છે.
૯ દુનીયામાં (પાત્ર) દાન જે કોઈ નિધિ નથી, અને લેભ સમાન કે શત્રુ નથી, શીલ સમાન કોઈ સરસ ભૂષણ નથી અને સંતોષ સમાન કેઈ ધન નથી.
૧૦ લોભી માણસ ગુરૂને કે બંધુને ગણતો નથી, કામી માણસ ભયને કે લજજાને ગણતો નથી, વિધાતુર સુખ કે નિદ્રાને ગણતો નથી અને ક્ષુધાતુર રૂચિ કે વેળાને ગણતો નથી.
૧૧ સવિવેક બીજે સૂર્ય અને ત્રીજું નેત્ર છે. તેથી બીજી વાત તજી ફકત તેનેજ આદર કરે. ઈતિશમૂ.
મુ. ક. વિ.
For Private And Personal Use Only