SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૮ જૈનધર્મ પ્રકાશ. શ્રાદ્ધગુણાકૃત, શુભકાર્યપરાયણ, નરરત્ન, વણથળીનિવાસી. સંઘવી દેવકરાભાઈ મુળજી. સુજ્ઞ ઘમ બંધુ !. આપ સાહેબે હાલમાં વણથળી ખાતે કરાવેલા શ્રી શીતળનાથ પરમાત્માના અપૂર્વ જિનમંદિરની અંદર જે દિ ગુરૂવારે તે પરમાત્માની અત્યંત સુંદર પ્રાચીન મૂર્તિને યાપન કરી જે અપૂર્વ લાભ મેળવે છે, જે પુણ્યાનુબંધી પુય સંપાદન કર્યું છે અને જે અપ્રતિમ કીર્તિ મેળવી છે તેથી આકર્ષાઈને અમે શ્રી જૈન ધર્મ પ્રસારક સભાના સભાસદો આપ સાથેના બંધુભાવને વિશેષ પુષ્ટ કરવા નિમિત્તે આ લઘુ માનપત્ર આપવા ઉત્સુક થયા છીએ. આપે આપના દક્ષપણાથી, કાર્ય કુશળતાથી, અને પુન્ય પ્રકૃતિના પ્રાદુભાવથી જગતમાં પૂજ્ય સ્થાને ગણાતી લક્ષ્મીદેવીને આરાધી તેનું આકર્ષણ કરીને તેને ગ્ય સ્થાને વ્યય કરવામાં જે વિચક્ષણતા વાપરી છે અને વાપરે છે તે માત્ર અમને જ નહિ પણ આપણું જૈન સમુદાયને પણ અત્યંત હર્ષિત કરે છે અને તેના વડે આપની કીર્તિ સર્વત્ર વિસ્તાર પામી છે. આપે પૂજ્ય બુદ્ધિવડે શ્રીમાન મેહનલાલજી મહારાજના ચરણારવિંદનું સંસેવન કરી તેમનું ચરસ્મરણીય નામ દીર્ઘકાળ પર્યત અવસ્થિત કરવા માટે શ્રી મેહનલાલજી જૈન સેંટ્રલ લાઈબ્રેરી મુંબઈ ખાતે સ્થાપન કરાવી તેમાં મોટી રકમને ભેગા આપવા ઉપરાંત તે કાર્યને તન મનથી આપ સહાય આપી રહ્યા છે તે આપના વિશુદ્ધ અંતઃકરણમાં કૃતપણું રમમાણ કરી રહ્યું છે એમ સૂચવવા સાથે અન્ય બંધુઓને પણ ગુરૂભક્તિમાં સ્થિત થવા ગુપ્ત પ્રેરણા કરે છે. મુંબઈ ખાતે હાલમાં સ્થાપવામાં આવેલ શ્રી મહાવીર જૈન વિદ્યાલયની અંદર પણ આપે સારી રકમની સહાયતા આપી છે, શ્રી સિદ્ધક્ષેત્ર જૈનબાળામમાં સારી રકમની મદદ આપવા ઉપરાંત તેને દીર્ઘકાલીન જીવન આપવા અંતઃ કરણથી ઈરછે છે, જુનાગઢ ખાતે શ્રી સૌરાષ્ટ્ર જૈન બેડીંગને મેટી રકમની સહાય આપી રહ્યા છે, હાલમાં કરેલા પ્રતિષ્ઠા મહોત્સવમાં પણ ઉદાર દિલથી પુષ્કળ દ્રવ્ય વ્યય કર્યો છે, આ ઉપરાંત સંઘ સેવાનાં અનેક કાર્યોમાં સદા તત્પર રહે છે, વળી જ્ઞાતિબંધુઓને તેમજ ધર્મબંધુઓને ઉચ્ચ સ્થિતિમાં લાવવાને અહર્નિશ ઈચ્છે છે અને તેને માટે તન મન ધનથી સહાયક થવા તત્પર છે, જૈન સમુદાયમાં એક નરરત્ન ગણાઓ છે અને શાસનેન્નતિના દરેક કાર્યમાં બનો લાભ લેવાને નિરંતર ઉત્સુક છે ઈત્યાદિ આપનામાં રહેલા અદ્ભૂત ગુણથી For Private And Personal Use Only
SR No.533360
Book TitleJain Dharm Prakash 1915 Pustak 031 Ank 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1915
Total Pages33
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy