SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેનધમ પ્રકાશ. પર નિંદાનો ઉદય થાય ત્યારે પિતામાં કેટલા અવગુણ રહેલા છે ? એ આદિ વિચારવાથી તે તે કપાયેનું જોર ઘટી જશે અને જેટલા પ્રમાણમાં જોર ઘટશે તેટલા પ્રમાણમાં મન શાંતિ અનુભવશે. માટે સાધકે એ અંતરપાધિમાંથી જેમ મુકત થવાય, તેના ફંદમાં કયારે પણ ન ફસાય એને માટે સદા જાગૃત રહેવાની પૂર્ણ જરૂર છે. છેવટે એક ખાસ બાબત ઉપર લક્ષ્ય આપવા, તેનો અભ્યાસ પાડવા ભલામણ કરવામાં આવે છે તે એ કે મનને દમવા ઈચ્છનારે મૈત્યાદિ ચાર ભાવનાઓનું સ્મરણ મનન અને તદનુસાર વર્તન નિત્ય રાખવું. નિરંતર એટલે એક ક્ષણ પણ તેનું વિસ્મરણ ન થવું જોઈએ. એથી મન બહુ શાંત થઈ જશે. મૈત્રી ભાવનાથી રાવે છે મારા મિત્રો છે, કોઈ શત્રુ નથી એ વિચાર રહેશે, એથી કોઇ જીતાશે અને સમતા રસમાં ઝીલાશે. પ્રદ ભાવનાથી પિતાનું માન ગળી જશે અને સત્સમાગમ ચાલુ થતાં ઘણા અનોથી બચાશે. કરૂણ ભાવનાથી હૃદય સદા દ્રવશે, અનુકંપાશીલ થશે અને તેથી દયાઅહિંસાને પોષણ મળશે. - માધ્યચ્ય ભાવનાથી ઉદાસીનતા વધશે એટલે વ્યર્થ વિક ઘટી જશે. અહીં ઉદાસીનતા એટલે શેક, અફસોસ ન સમજવો પણ વૈરાગ્ય સમજ. પૂર્વ, મહા પુરૂષ સમર્થ યોગી થઈ શકયા છે તે આજ ભાવનાઓના અવલંબનથી. “સવી જીવ કરૂં શાસન રસી” એ સદાદિત ભાવ આવાજ અવલં. બનનું અંતિમ પરિણામ છે. એવા પુરૂષ પછીથી કેવળ આમધ્યાનમાંજ પિતાનું શેષાયુ ગાળે છે. તેમને બાહ્યાંતર એવી એક પણ ઉપાધિ રહેતી નથી કે જેમાં મન ભ્રમણ કરે. ભ્રમણ સ્થળને અભાવે મનનો આત્મામાંજ લય થાય છે એટલે આયુષ્યની પૂર્ણતાએ એનો લોકાગ્રસ્થાનમાં સદાને માટે વાસ થાય છે. આપણને અને સોને એવી માનસિક શાંતિ હો અને એવું અનુપમ ફળ મળો એવી શુભાકાંક્ષાપૂર્વક અત્ર વિરમવામાં આવે છે. વીતરાગ ચરણોપાસક, દુર્લભદાસ કાલિદાસ. For Private And Personal Use Only
SR No.533360
Book TitleJain Dharm Prakash 1915 Pustak 031 Ank 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1915
Total Pages33
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy