SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધર્મ પ્રકાશ. પર ખરાબ વૃત્તિઓ રાખવી એ દ્રષનું કારણ છે. આ ઉપરાંત અભિમાનને બંધ બેસતું ન આવે એવું કાંઈ બની જાય ત્યારે પણ વચ્ચેના નિમિત્ત કારણ ઉપર ખેદ થાય છે. એ સર્વમાં વચ્ચે આવનાર નિમિત્ત કારણ તે માત્ર બહાનું હોય છે. એવી સ્થિતિ થવાનું મુખ્ય કારણ તે પિતાના આગામી દૂષણ હેય છે, પરંતુ આ પ્રાણીની એક એવી ટેવ પડી ગઈ છે કે જેમ કેઈ પથ્થરને ઘા કુતરા ઉપર કરે તે ઘા કરનાર દૃષ્ટિમાં હોય છતાં કુતરો પ્રથમ પથથરને કરડવા ડે છે તેમ આ પ્રાણી વિયેગના નિમિત્ત કારને જ દષ્ટિપથમાં લાવી તેના ઉપર શ્રેષ કરવા મંડી જાય છે. એનું ઉપાદાન કારણ પોતેજ છે–પિતાનાં કમજ છે એની તેને ખબર હતી નથી અને હોય છે તે તેના તરફ તે ઉપેક્ષા કરે છે. આવી રીતે વિચારતાં જણાશે કે દ્રષ ઉત્પત્તિનાં કારણે પિતામાંથી જ ઉત્પન્ન થાય છે અને વાસ્તવિક રીતે અન્ય ઉપર દ્વેષ કરે એ વસ્તુસ્વરૂપની અજ્ઞતા બતાવે છે. જેઓ આ ચાવી બરાબર સમજી શકે છે તેઓ કદિ નિમિત્ત કારણ ઉપર દ્વેષ કરતા નથી. ગજસુકુમાળ જેવા અતિ કમળ શરીર ધારણ કરનારના મસ્તક ઉપર ખેરના અંગારા તેને સાસરે ભરી ગયે ત્યારે તેને ગજસુકુમાળે નિમિત્ત કારણુના રૂપમાં જોયો હતો અને અંધકાષિની ચામડી ઉતારી ત્યારે રાજસેવકોને તે હકમને તાબે થનાર તરીકે મુનિ સમજી ગયા હતા. મયણાસુંદરી અને તેના પિતા વચ્ચે જે મતભેદ હતો તે પણ આ પ્રકારને જ હતો. તેના પિતા પ્રાપાળ રાજા નિમિત્ત કારણ અને ઉપાદાન કારણને ટાળે કરતા હતા તે આ વસ્તુસ્વરૂપ સમજનાર વિદુષી તનયાને ગળે ઉતર્યું નહિ. આવી રીતે વ્યવહારમાં પણ બહુ વખત એ પ્રમાણે બને છે. મયાસુંદરીના સંબંધમાં જ ઉજયિનીના લેકે જે ટીકા કરતા હતા તે અર્થ વગરની હતી. તાપસ અને પાર્શ્વનાથનું દન્ત એજ હકીકત પૂરી પાડે છે. આવી રીતે બરાબર લક્ષ્યમાં લેવાની જરૂર છે કે દ્વેષ વિભાવથી ઉત્પન્ન થાય છે અને તે વસ્તુસ્વરૂપની અગ્રતા બતાવે છે. આ નિમિત્તે કારણે અનેક પ્રકારનાં હોય છે તેનો લાંબે વિચાર કરવાની જરૂર નથી. મનુષ્યની જેટલી જેટલી પ્રવૃત્તિ થાય તે સર્વ શ્રેષના નિમિત્તામાં આવી શકે. પણ વસ્તુતઃ જેને દ્વેષનાં કારણ ગણવામાં આવે છે તે તેવાં નથી એ પર ધ્યાન આપવાની બહુ જરૂર છે. એક વખત બરાબર વત્સ્વરૂપને બોધ થતાં અને તે પર યોગ્ય વિચારણા થતાં આ હકીકત સ્પષ્ટ રીતે ધ્યાન પર આવશે અને તેની પર બરાબર ઉહાપોહ થશે તો માલુમ પડશે કે દ્રષનાં કારણો તરીકે જેને વ્યવહારથી ઉપર ટપકે ગણવામાં આવે છે તે માન્યતા જ ખોટી છે. બેટી માન્યતા ઉપર-બેટા પાયા ઉપર રચાયેલ મુકામ પડી જતાં મનમાં ખેદ થાય તે તેને માટે જવાબદાર કેને ગણવા તે વિચારવા યોગ્ય પ્રશ્ન છે. For Private And Personal Use Only
SR No.533360
Book TitleJain Dharm Prakash 1915 Pustak 031 Ank 04
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1915
Total Pages33
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy