SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શત્રુનો અનુનય. શથી, માન ભેગથી, સ્પર્ધા અથવા ઈર્ષોથી રગને ઉલટે ભાવ અસક પ્રાણી અથવા વસ્તુ ઉપર થાય છે અને તેટલે તેના ઉપર રાગ થતું નથી, છતાં અહીં જે દશા થાય છે તે અરાગ નથી પણ વિરાગ છે. રાગ ત્યાગવા ગ્ય છે, પણ તે આત્મગુણ પ્રગટ કરવા જતાં જે તેને બદલે તેનાથી ઉલટ ઢેષ નામને દુર્ગુણ આવે તે મહા હાનિ થાય છે તે આપણે હવે શું. ત્યાગભાવ પૂર્વક થતા રાગના નાશને અરાગ નામ આપ્યું છે અને રાગથી ઉલટા દુર્ગુણ ને વિરાગ નામ આપ્યું છે. વિરાગને “વીતરાગ સાથે મેળવી દેવાની ભૂલ ન કરવા વિજ્ઞપ્તિ છે. વિરાગ હુણ છે, હાની કરનાર છે અને વીતરાગતા ખાસ કર્તવ્ય છે અને અરાગ દશાની પરાકાષ્ટા સૂચવે છે. આવી રીતે રાગ અને દ્વેષનું સ્વરૂ૫ વિચારી હવે આપણે અનંત કાળચકમાં પ્રાણીની રાગ અને દ્વેષને લઈને કેવી વિચિત્ર સ્થિતિ થાય છે તે તપાસીએ. “ષિ વિષય પર વિચાર કરતાં “રાગ પર વિચાર થયાજ કરશે; કારણ કે તે બન્ને પર એકી સાથે વિચાર કરવામાં ઘણી સગવડ થાય તેમ છે. આ સંસારમાં પરિભ્રમણ કરતાં પ્રાણીને અનંત કાળ થયે. એમાં તેણે અનેક પ્રકારનાં દુઃખ સહન કર્યા, અનેક જગપર તે ધકેલા ખાઈને ગયે, અનેક પ્રકારની યાતનાઓ સહન કરી, અનેકવાર જન્મ્ય, અનેકવાર મરણ પામ્ય, અનેક સંગ વિયેગ કર્યા, અનેકના સંબંધમાં આવ્યું અને વારંવાર એક ખાડામાંથી નીકળી બીજામાં પડ્યા અને એવી રીતે કોઈવાર અત્યંત દયા ઉપજાવે તેવી સ્થિતિમાં અને કોઇવાર પોતે પણ ન સમજે તેવી અવ્યક્ત રીતે વેદનાઓ સહન કરી. તે ખોટા સુખના ખ્યાલમાં ઘણી જગાએ રખ પણ કોઈ જોએ તે ઠરીને ઠામ પળે નહિ અને તેને વાસ્તવિક સુખને અનુભવ પણ થયો નહિ. આથી થયું એમ કે જ્યારે જ્યારે તેને પીડા સહન કરવાના પ્રસંગો મળ્યા ત્યારે ત્યારે તે તેનું કારણ વિચારી શકે નહિ, ઇંદ્રજાળ જેવા પ્રપોનાં કારણે શોધી શકે નહિ, તેના આંતરરહસ્યમાં પ્રવેશ કરી શકે નહિ, અને ઉપર ઉપરનાં કારણે કેઈ વખત શોધ્યાં તો તેમાં તેનાં દુઃખના પ્રતિકાર થયે નહિ. આ સર્વનું કારણ એ છે કે વાસ્તવિક સુખ શું છે ? તે તેના સમજવામાં કદિ આવ્યું નથી. તે રાજ્યભવ, શરીરસ્વાથ્ય, ભેગો ગની વસ્તુઓની પ્રાપ્તિ, ઇદ્રિયવિષયોનું સેવન અને એવી જાતિના ભાવે અથવા તેની પ્રાપ્તિનાં સ્થળ સાધનની પ્રાપ્તિમાં સુખ માનતા હતા; તેને જરા સ્થળ આનંદ આવે તેમાં રાચી માચી જતું હતું તેવાં સુખસાધનની પ્રાપ્તિમાં આસક્તિ રાખતો હતો અને તે જરા પ્રાપ્ત થતાં તે જીવનસાફલ્ય માનતે હતે. તેથી ઉલટું વિગકાળે, સુખસાધન ન મળે તેવા પ્રસંગે અથવા પ્રાપ્ત થયેલા For Private And Personal Use Only
SR No.533358
Book TitleJain Dharm Prakash 1915 Pustak 031 Ank 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1915
Total Pages42
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy