SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમર થવાની તીવ્ર ઈચછા. દેવ ગુરૂ ધર્મની શ્રદ્ધા કરવારૂપ સમકિત ગ્રહણ કરાવવું. આ પ્રકારના ઉપદેશથી જેને ખરો વરાગ્ય આવે તેને ખુશીથી ચારિત્ર આપવું. ચારિત્ર આપવાથી જ મુનિમાર્ગ વહેતો રહેશે મુનિઓની સંખ્યા વધશે તજ અનેક ક્ષેત્રે જળવાશે અને જૈનધર્મ વિશેષ પ્રસાર પામશે. અત્યારે મુનિઓની સંખ્યા મી હેવાથી અને મુનિરાજના વિહારની ખામીથીજ ઘણું ક્ષેત્રો ભેળાઈ ગયા છે. શ્રાવકો મટીને વૈષ્ણવો થઈ ગયા છે, મૂર્તિપૂજક મટીને સ્થાનકવાસી થઈ ગયા છે, તેરાપંથો થયા છે, તે બધુ મુનિરાજની અલ્પ સંખ્યાનું જ પરિણામ છે. તેથી તે સંખ્યા વધવાની જરૂર છે એ ચાકસ છે. પરંતુ તેને વધારે યેાગ્ય રીતે થાય તે સારું તેને માટે જ આ ઉલ્લેખ કરવામાં આવ્યું છે. મુનિનું પ્રાપ્ત થયા પછી જે તેનું સમ્યક્ પ્રકારે આરાધન થાય છે તે પછી ખરૂ અમરત્વ પ્રાપ્ત થઈ શકે છે. હવે એને ખરૂં અમરત્વ મેળવવાની ઈચ્છા થાય તો ભલે થાય. અહીં તેના પર મેહરાજા કાંઈપણ અસર કરી શકો નથી–અહીં તેને પ્રવેશ જ નથી. જે પ્રાણી ચારિત્રધર્મ રાજાની આજ્ઞા સર્વાશે સ્વીકારે છે તેના પ્રત્યે મહારાજા કાંઈપણ બળ અજમાવી શકતું નથી. ત્યાંથી તે પિબારાજ ગણું જાય છે અને જ્યારે મોહ નાશ પામે ત્યારે શ્રીમહાપણું પામી સર્વ વસ્તુના સર્વ ભાવને જાણ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી ભવાંતે યોગનો નિરોધ કરી આ પ્રાણી ખરૂં અમરત્વ મેળવે છે-મુક્તાવસ્થાને પ્રાપ્ત કરે છે. આ પણ તેની અમર થવાની તીવ્ર ઈચ્છાનું જ પરિણામ છે; પરંતુ તે પ્રશસ્ય છે. અંગીકરણીય છે, વાસ્તવિક છે, હિતદાયક છે. માટે ખોટા અમર થવાના વિચારે પડ્યા મૂકી ખરૂં અમરત્વે--વિનાશી અમરત્વ-સાદિ અનંત સ્થિતિવાળું અમરત્વ મેળવવા ઉત્તમ જીવે તથાવિધ પ્રયત્ન કરે યોગ્ય છે કે જેથી તેની સર્વ શુભેચ્છા પરિપૂર્ણ થાય. ઈયલ વિસ્તરણ. उघाडी राखजो बारी. (લેખક-ઓ. મિ. પ્ર. દ. પટ્ટણી C. . . ) દુઃખી કે દર્દી કે કેઈ, ભૂલેલા માર્ગવાળાને; વિસામો આપવા ઘરની, ઉઘાડી રાખજો બારી. ગરીબની દાદ સાંભળવા, અવરનાં દુ:ખને હળવા; તમારા કર્ણ બની, ઉઘાડી રાખજો બારી. પ્રણયના વાયરે વાવા, કુછંદી દુષ્ટ વા જાવા; તમારાં શુદ્ધ દદની, ઉધાડી રાખજો બારી. થયેલાં દુક કર્મોન, છુટા જંજીરથી થાવા; જરા સકમની નાની, ઉઘાડી રાખજો બારી. For Private And Personal Use Only
SR No.533358
Book TitleJain Dharm Prakash 1915 Pustak 031 Ank 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1915
Total Pages42
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy