SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમર થવાની તીવ્ર ઈચ્છા. વાર થાય અને તે વખતે પિતાના નામના નોતરાં દેવાય-એમાંના કોઈ પણ પ્રકારે નામ અમર રાખવાની ઈચ્છા કરે છે અને તેને માટે પિતાની સંપત્તિને પ્રમાણમાં ગોઠવણ કરે છે, તેનાં ટ્રસ્ટીઓ નીમે છે, વકીલોની ફી ખરચી ટ્રસ્ટડીડ ઘડાવે છે અને કઈ રીતે સેંકડે બકકે હજારો વર્ષ સુધી પિતાનું નામ એ પ્રકારે પણ અમર રહે એમ કરે છે. પિતે જાણે છે અને જુએ છે કે સો બસો વર્ષ અગાઉની કેદની કાંઈ નિશાની પ્રાયે ઉપલબ્ધ થતી નથી છતાં અમર થવાની તીવ્ર ઈચ્છા તેને એ તરફ પ્રેરે છે. આમાંના કેટલાક નિમિત્તે જો કે સારાં છે પરંતુ એ નિમિત્તોનું યોગ્ય ફળ મેળવવાની ઇચ્છાને બદલે તેદ્રારા પિતાનું નામ કાયમ રાખવાની ઈછા અત્યંત બળવતી છે. જો કે વિદ્વાનોએ શોધી કાઢેલે અને દ્રવ્યવાનને વહાલો લાગેલે, તેમના પૈસા ખર્ચાવવાનો આ માગ (બર્ડ ચડાવવાને, નામ જોડી દેવાને, બુકે અર્પણ કરવાનો) સમય કાળને અનુસરતે જણાય છે; પરંતુ તેમાં રહેલી અમર થવાની-નામ અમર રાખવાની ઇચ્છાથી તેના ફળમાં બહુ અપતા થઈ જાય છે. ખેર ! જે થાય તે ખરું પણ તેવી તેનું દ્રવ્ય ખરચાશે અને નામ અમર રહેશે આટલાથીજ સંતોષ છે. આત્મા અમર છતાં અને આવા મનુષ્યના જે પણ પૂર્વે અનેકવાર કરેલા છતાં તેમજ પોતાના પણ પૂર્વ ભવના નામથી પિતે અજ્ઞાત છતાં આવી તીવ્ર ઇચ્છા તેને ઉદ્દભવે છે તેનું કારણ માત્ર મોહનીય કર્મને તીવ્ર ઉદય છે. અહીં ચારિત્ર મેહનીયના પેટની કષાય મોહની અને તેની અંતર્ગત રહેલી માન કષાયમેહની પિતાની શક્તિ ફાવે છે તેનું જ આ પરિણામ છે. આ પ્રાણી અનાદિ કાળથી મહંને જ આધીન છે. તેના વશવતપણથી જ તેનું ભવબ્રિમણ થયા કર્યું છે. જ્યારે મને દેવ તેના ચિત્તમાં વસશે, તેનાથી ન્યારા થવાની ઇચ્છા જાગૃત થશે, તેને માટે ચગ્ય પ્રયત્ન થશે ત્યારેજ સંસાર પરિમિત થશે, ત્યારેજ આ જીવ માગીનુસારી થઈ સમકિતની સન્મુખ થશે. તે વખતેજ અપૂર્વ વિર્ય ફોરવી ગ્રંથભેદ કરશે, મેહની કમની નીવડ ગાંઠ તોડશે ને આગળ વધશે. યથાશક્તિ ઘનિયમ ગ્રહણ કરશે અને તેને યથાવિધિ પાળશે. તે વખતે તેની અમર થવાની તીવ્ર ઈચ્છા નાશ પામશે અને તે સમજશે કે આમાં તે અમર છે, દેહ વિનાશી છે, તે અમર થવાનો નથી. નામ કાયમ કોઈનું રહ્યું નથી. પરમાર્થ કરે તો કોઈ પણ જાતની ઇચ્છા સિવાય નિસ્વાર્થ પર કરો. આ પ્રમાણેની ખરી સમજણ પ્રાપ્ત થવાથી તે પોતાના દ્રવ્યને સદુપએગ ખરા પરમાર્થના કાર્યમાં, ખરા પરોપકારમાં, ખરેખરી બાબતમાં કરશે. ગટ નિષ્કારણ દ્રવ્ય વ્યય કરશે નહીં. દ્રવ્યનું ઉપાર્જન પણ ખરી ન્યાય વૃત્તિશજ કરશે. આ પ્રમાણે કરતાં કરતાં જ્યારે આત્માની ઉજ્વળતા વૃદ્ધિ પામશે, For Private And Personal Use Only
SR No.533358
Book TitleJain Dharm Prakash 1915 Pustak 031 Ank 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1915
Total Pages42
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy