SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૮ જે ધર્મ પ્રકાશ. મનુષ્યોને થાય છે તે ખોરાકથી થતું નથી, પણ માનસિક આવા દેશના ખ્યાલવીજ અજીર્ણ થવાનો સંભવ રહે છે, તેથી તેવા ઇરાદાથી ખોરાક લેવોજ નહિ. જે ખોરાક આપણને અજીર્થકત્તા નીવડશે તેવે ભય હોય, તે ખોરાકને તમારાથી દૂર જ રાખવો તે વધારે ઉત્તમ છે. ખોરાકને કદી પણ દોષ દેશે નહિ. આ રહૃષ્ટિમાં જે જે વસ્તુ નીપજે છે, તે તે ખ્ય અવસરે પ્રમાણમાં લેવાથી ઘણું ખરૂં હાનિકર્તા નીવડતી જ નથી. ભોજનાલયમાં પ્રવેશે તે પહેલાં તમારું મન સાચી દિશામાં પ્રવર્તે છે તેની દસ તપાસ રાખજે. ખોરાક સાથે આવા દોષ જ્યાં સુધી મન શેાધતું હોય ત્યાંસુધી સેડાથી દૂર રહેવું, અથવા તે ખેરાક દૂર રાખો તે ઉત્તમ છે. વળી જ્યારે તમે બીજાયેલા, ગુસ્સે થયેલા, ભયભીત થયેલા, ગભરાએલા, મુઝાએલા, અને મનની સ્થિરતા રહિત થએલા છે ત્યારે કદી ખાવાનો વિચાર રાખશો નહિ. ખાવાના સમયે મનની આવી સ્થિતિને દૂર કાઢી મૂકજો. મનને શાંત રાખી-મનને સ્થિર રાખી ખાવાને આદર કરજે, અને આ પંચશે, આ નહિ પચે, આ ન ખાઉં તો સારું, આ તો મારી પ્રકૃતિને પ્રતિકૂળ છે. આનાથી તો મારે હેરાનગી ભોગવવી પડશે. તેવા બેટા ખ્યાલી વિચા ને દેશવટો આપી-દૂર રાખીને જ ખાવાનો વિચાર રાખજે. જે વસ્તુ આરોગ્ય આપનારી, શરીરને પુષ્ટિ કરનારી, તંદુરસ્તી વધારનારી હોય તે દરેક ચીજ તમને પણ તે પ્રમાણેજ ગુણ કરનારી નીવડશે તેવા શુભ ઈરાદાપૂર્વક રાક આરોગજે, અને તે સર્વ વસ્તુ તે પ્રમાણે જ તને પચશે, અને લાભદાયી નીવડશે. નિયમ ૪ થે-જ્યારે ભેજનાલયમાં પ્રવેશ કરે, ત્યારે કદીપણુ ઉતાવળ કરશો નહિ. ધીરજથી–શાંતિથી તે કાર્ય કરજે. તેમાં પસાર કરેલે વખત નકામે ગુમાવી દીધો તેમ કદિ ધારેશે નહિ. બહુ ઉતાવળથી ખાધેલ રાક પચતું નથી, પણ કેટલીક વખત ઉલટ તેવી રીતે જમવાથી તે ખોરાક શરીરને હાનિકર્તા થઈ પડે છે. ઉતાવળથી આરોગેલ અન્ન જલદી પચતું પણ નથી, અને કદાચ તેમાંથી અજીર્ણ નીપજવાનો પણ સંભવ રહે છે, તેથી ખોરાકથી જે પુષ્ટિ શરીરને મળવી જોઈએ તે મળતી નથી, એટલે કે ખોરાકથી જે કાર્યસિદ્ધિ કરવા ધારતા હોઈએ તે બનતી નથી. ઉલટું ઉતાવળે ખાવાથી કઈ કઈ રોગોની નિષ્પત્તિ થવાનો સંભવ રહે છે, જેથી ઉલટો વખતને, ધનને, અને આનંદને નાશ થાય છે અને ઈસીતાર્થની સિદ્ધિ થતી નથી. ત્યારે પાચનશક્તિ સારી હોય, લીધેલ ખેરાક બરોબર હજમ થતો હોય, ત્યારે જે કાર્ય એક કલાકમાં કરી શકાય છે, તેટલું જ કાર્ય અજીર્ણવાળા શીરે, ખરક પ ન હોય ત્યારે ત્રણ કલાકે પણ કરી શકાતું નથી. તેથીજ ખોરાક માટે જોઈતો ચોગ્ય ટાઈમ નિયત કરે ખાસ જરૂર છે. તેવી રીતે નિયત કરેલ ટાઈમ શરીરના આરોગ્ય અર્થે, અને For Private And Personal Use Only
SR No.533353
Book TitleJain Dharm Prakash 1914 Pustak 030 Ank 09
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1914
Total Pages32
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy