SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિવેકા’કમ્ ૩૯ પાષિ-સંબધ દૂર થયે સને આત્મા સહજ સ્વભાવમાં સ્થિત થઇ રહે છે, નિર્મલ નિષ્કષાયજ આત્માનો સહજ સ્વભાવ છે. રાગ દ્વેષાદિક ઉપાધિ દૂર થવાથી સ્ફાટિક રત્નની સ્વાભાવિક ક્રાંતિ જેવા નિર્મલ આત્મધર્મ પ્રગટ થઈ જાય છે. ૩ વિવે—શુદ્ધ-નિરાવરણુ આકાશમાં પણ ચક્ષુ વિષે થયેલા તિમિર ગથી રાતી પીળી લીલી કાળી રેખાઆવડે જે પ્રકારે મિશ્રતા-શબળતા કર્ભરતા દેખાય છે તેજ પ્રકારે અવિવેકયકી-અસદ્દઉપયોગથી રાગ દ્વેષાદિક અશુદ્ધ અધ્યવસાય વડે આત્મમાં પણ મિશ્રતા-એકતા ભાસે છે. અસપયેગ૩૫ અવિવેકી જડ ચેતનને જુદા કરી લેખવાનું ભેદજ્ઞાન કુત્તુ નથી, જેથી મૂઢપણે જડ ચેતનની એકતા-અભેદ્યતાજ માની લેવાય છે. તેજ વાત દ્રષ્ટાંતવદેશાસ્ત્રકાર દ્રઢ કરી બતાવેછે. यथा योधः कृतं युद्धं, स्वामिन्यवोपचर्यते ॥ शुद्धात्मन्यविवेकेन, कर्मस्कंधोऽजितं तथा ||४|| ભાવા —જો કે રાજાના ચદ્ધાએ યુદ્ધ કરે છે, છતાં રાૠજ છત્યે! હાર્યો કહેવાય છે, તેમ શુભાશુભ કર્મથીજ સુખ દુઃખ પ્રાપ્ત થાય છે છતાં અ વિવેકથી અમુક આત્માએ અમુક ઉપર અનુગ્રહ યા નિગ્રહ કર્યો કહેવાય છે. કર્મની વિચિત્રતાથી ફૂલની વિચિત્રતા થાય છે, છતાં આ કામ મારાથી થયું: મારા વિના આવુ કામ બની શકેજ નહિ, હુજ સર્વનું પાલન કરૂ છું, મારા વિના કોઈ પાલક નથીજ એવું કર્તૃત્વ અભિમાન કરવું એ કેવલ અવિવેકનુ જ જોર છે, સુવિવેકી પુરૂષો એવુ... મિથ્યાભિમાન કદાપિ કરતાજ નથી. તેવા પ્રાજ્ઞ પુરૂષો તે સમાં સાક્ષીપણુ’જ સેવે છે. ૪ વિવે॰--જેમ સુભટોએ કરેલુ યુદ્ધ અને તેના પરિણામે થયેલ જય કે પરાજય સ્વામીમાં આરેાપવામાં આવે છે એટલે સ્વામી-રાજાનીજ હાર જીત થયેલી કહેવામાં આવે છે, જો કે રાજાએ તેમાં કશે જીવજેવા ભાગ લીધે જ ન હોય તોપણ જય પરાજય થયે જેમ તેને મિથ્યા આરોપ સ્વાનીનાજ શિરે ચઢાવવામાં આવે છે તેમ અજ્ઞાન-અસયમરૂપ અવિવેકવડે શુદ્ધ આત્મામાં જ્ઞાનાવરણીય પ્રમુખ કમૈનુ' સામ્રાજ્ય ઉપચરવામાં આવે છે, એટલે ઉકત જ્ઞાના વરણીય પ્રમુખ કર્મોનું કાર્ય અજ્ઞાન-અંધતા પ્રમુખ આત્મામાં આપી દેવામાં આવે છે. તેથી આત્માનેજ અજ્ઞાની, અધ, સુખી, દુઃખી, પશુપ્રાય ( મેકળે ), સ્ત્રી, પુરૂષ, નપ’સુક, દીઘાંયુપી, હીનાક્ષી, ઉચ્ચ, નીચ, સામ, દાતાર પ્રમુખ માની લેવામાં આવે છે. વળી ખીન્ત દૃષ્ટાંતથી એજ વાતનું સમર્થન કરે છે. taraपि हि स्वर्ण, पीतोन्मत्तो यथेक्षते || आत्मामेभ्रमस्य देहादावविवेकिनः ||५|| For Private And Personal Use Only
SR No.533334
Book TitleJain Dharm Prakash 1913 Pustak 029 Ank 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1913
Total Pages38
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy