SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંદરાજાના રાસ ઉપરથી નીકળતો સાર.. ૩૦૭ પરંતુ : વાતમાં તમે ભૂલ ખાધી છે તે એ છે કે કનકવજ કુમારની જગ્યાએ જરૂર તમારા પુરાજ હતા અને તે જ પ્રેમલાને પરણ્યા છે, એમાં મને જરા પણ અંશે નથી. આમાં જે મારી ભૂલ ઠરે તે મને ઠબકે આપજે.” વીરમતીએ કહ્યું કે-“હવે તું બહુ ડાહી થઈ ગઈ છે તે જાણું ! મારા પુત્રને ફગટને એલ આપે છે. તે જ્યાં જ્યાં રૂપવંત પુરૂષ દેખીશ ત્યાં ત્યાં ચંદજ કહીશ! પણ મને મારા પુત્રની ખાત્રી છે, કેમકે તે મારે વશ છે.” આ વખતે વૃક્ષના કટરમાં રહેલ ચંદરાજા વિચારે છે કે- જે આ મારી વાત જાણશે તે જરૂર હેરાન કરશે તેથી કઈ રીતે મારી વાત જણાય નહીં તે ઠીક.” આ પ્રમાણે તે વિચારે છે, સાસુ વહુ વાતો કરે છે અને વૃક્ષ અનેક નગરે ને પર્વત ઉલ્લે ઘરે ચાલ્યા જાય છે. એમ ચાલતાં દુરથી આભાપુરી દેખાણી. કુકડાએ બેલવા લાગ્યા. પૂર્વ દિશા આનંદ પામી. એક બાજુથી અરૂણોદય થવાની તૈયારી થઈ અને બીજી બાજુથી ચંદ્ર પણ આવી પહોંચ્યા. આંબે તેના વનમાં મૂળ સ્થાનકે આવી જમીન પર સ્થિર થયે. એટલે સાસુએ કહ્યું કે “વહુ! આ આપણે બાગ આવ્યું; હવે વૃક્ષ પરથી નીચે ઉતરે. ” પછી બંને જણ નીચે ઉતર્યા પરંતુ ભાગ્યગથી ચંદરાજા તે વખતે પણ તેમની નજરે પડ્યા નહીં. પછી તે અંતે પવિત્ર થવા માટે નજીકની પુષ્ક રણમાં ગઈ એટલે ચંદરાજા કેટરમાંથી નીકળી ઉતાવળે પિતાના મહેલમાં આવ્યા અને વેશ બદલી નાખી ન વેશ ધારણ કરી પોતાની શય્યામાં સુઈ ગયા. સાસુ વહુ પણ હસતાં રમતાં પિતાના મકાનમાં આવ્યા. પછી ગુણાવળીને કંબ દઈને ચંદરાજ પાસે મોકલી અને વીરમતીએ નગર લેકને આપેલી નિદ્રા અપહરી–લેક સે જાગૃત થયું અને પિત પિતાના પ્રાતઃકાળ સંબંધી પર્ કર્મ કરવા લાગ્યા. રાત્રિની હકીકત કેદના જાણવામાં ન આવી. ગુણાવાળી ઉતાવળી પોતાના મહેલમાં આવી. ત્યાં તેણે પોતાના સ્વામીને નિદ્રામાં પડેલા દીઠા. ચંદરાજાએ પણ તેને દીઠી. ગુણાવળીને એક તરફથી શાંતિ થઈ પણ બીજી રીતે ખેદ થયો કે મેં પાપિણીએ સ્વામીને આવી ઘોર નિદ્રામાં નાખી દીધા તે ઠીક ન કર્યું. પછી તેને જગાડવા કંબાના ડબકારા દીધા એટલે ચંદરાજા કપટથી આળસ મરડવા લાગ્યા. તે વખતે ગુણાવળી અજાણ થઈને બોલી કે-“ હે નદીના વીરા ! રાત્રિ વ્યતિત થઈ; પ્રભાત કાળ થય માટે હવે ઉઠે. આજની રાત્રી તો મારે વૃથા ગઈ છે કારણ કે મેં આખી રાત ઉજાગરે કર્યો પણ તમે તે જગાડતાંએ જગ્યા નહીં. એવા નિરાંતે ઉધી ગયા હતા કે જાણે રવામાં કે ઈ રાજ પામ્યા હો અથવા કોઈ રાજકન્યા સાથે For Private And Personal Use Only
SR No.533330
Book TitleJain Dharm Prakash 1912 Pustak 028 Ank 10
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1912
Total Pages44
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy