SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાધાદ અનુસરણ છે. એજન્ય. રાખવે, તેઓ ગમે તેમ પ્રવર્તતી હોય તેને અટકાવવી અને પ્રબળ વીર્ય ફરણા કરવી તે સંથમ ગુણસત્ય, મિત, હિત, પ્રિય અને તથ્ય બલવું એ સત્ય ગુરુ, અંતરંગ વૃત્તિની, વિચારની અને આચારની પ્રવૃત્તિ પવિત્ર રાખવી તે શાચ ગુણ; બાહ્ય તથા અંતરંગ પરિગ્રહને ત્યાગ કરે, ઘર, વસ્તુ, હાથી, ઘેડા વિગેરે પરથી મમત્વ ભાવ તજ તેમજ કપાયાદિક અંતરંગ અને જય કરે તે અકિંચનત્વ ગુણ અને વિકારને વશ ન થતાં કોઈ પણ સ્ત્રી સાથે ત્રિ. વિધે ત્રિવિધ મૈથુન ન સેવવું તેમજ કઈ પણ રીતે વિધ્ય સેવવાથી દૂર રહેવું તે બ્રહ્મચર્યગુણ આ દેવી સંપત્તિ-મુનિગણમાળા અતિ ઉપગી, અસરકારક અને હૃદયને આકર્ષક છે, તેના સદભાવમાં સાધુધર્મની પરાકાષ્ટા છે અને તેના આંતર તેમજ બાહ્ય સ્વરૂપના દ્રવ્ય તેમજ ભાવ લક્ષની અશે અંશે પ્રગતિ રૂપ પ્રાપ્તિમાં તેની ફતેહ છે. આ મનુષ્ય જીવનને હેતુ શું છે તે વિચારવું યુક્ત છે. સવારથી રાત સુધી દ્રવ્ય પ્રાપ્તિ, ભજનની વ્યવસ્થા, તેને સારૂ નવીન રસ યુક્ત સ્વાદિષ્ટ વસ્તુઓનું એકત્ર કરણ, શરીર સંદર્ય સારૂ વસ્ત્ર આભુષણને સંચય, વખત પસાર કરવા સારૂ. વિકથામાં સમય નિર્ગમન અને એવી એવી અનેક બાબતે એ જીવનનો હેતુ નથી. અનાદિ કાળથી આ જીવ પરભાવમાં રમણ કરતા આવ્યા છે, પિતાનું શું છે, પિતાનું શ્રેય શું કરવામાં છે, પિતાનો આત્મવિકાસ કરવો યુક્ત છે કે નહીં, હોય તો તે કેવી રીતે થાય? એ સંબંધી અને જરા પણ વિચાર આવતું નથી. આવે તે ઉપર ઉપરથી જરા આનંદ લહરી બતાવી ગરમીના વખતને મંદ શીતળ પવનની પઠે ચાલે જાય છે, અને તેથી યંત્રવત્ જીવન બની રહે છે. એવા શુદ્ધ વિચારને અભાવે અનેક પ્રકારની સાંસારિક વૃત્તિના વમળમાં આ જીવ અટવાયા કરે છે અને જીવનને હેતુ શું છે, સાધ્ય શું છે તેને સ્પષ્ટ ખ્યાલ કર્યા વગર દુર્લભ મનુષ્યભવ પર્ણ કરી નાખે છે. જરા સમતા રાખી વિચાર કરે તે તુરત સમજી શકે કે મનુષ્યજીવનની પરિપૂર્ણતા એમાં કોઈ પણ રીતે થતી નથી, તેમજ એવી રીતે વર્તન કરવું તે નવિન પણ નથી. કારણ અનેક વખત આ છે તે પ્રમાણે કર્યું છે, અને તેને પરિ. ગુમે ચકભ્રમણ થયાં કરે છે. ત્યારે હવે આ ચભ્રમણને છેડો આવે તે માર્ગ શેધવાની દઢ ઈરછા કરવી જોઈએ, અને પ્રબળ ઈચ્છાની સાથે તે પ્રાપ્ત કરવાનો મજબૂત સંક૯પ થાય તો પછી તે મેળવવાનાં સાધનો એકઠાં કરવા વિચાર થાય, એ કને સમજી શકાય તેવું છે. ત્યારે ચક્રમણને છેડે લાવી કોઈ પણ પ્રકારે આ દુઃખ પદ્ધતિનો અંત લાવ જોઈએ એટલે વિચાર થયે. આ ચકબ્રમણને છેડો લાવવાની જરૂર શા માટે ધારવામાં આવી છે, તે હજુ પણ વધારે સ્પષ્ટ કરવાની જરૂર જણાય છે. આ જીવને સુખ પ્રિય છે અને તેને For Private And Personal Use Only
SR No.533311
Book TitleJain Dharm Prakash 1911 Pustak 027 Ank 02 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1911
Total Pages64
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy