SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જ્ઞાનસાર સૂત્ર વિવરણ ૨૩૩ વિવરણ—જેમ કુશળ અને પ્રમાણિક કારીગર પોતે હાથ ધારેલું કામ બહુજ ઉમદા રીતે કરી આપી સામાનુ' દીલ પ્રસન્ન કરે છે, તેમ સદાચારમાં કુશળ એવા સદ્ગુરૂ મહારાજ પણ સ્વશરણાગત શિષ્યને એવી ઉમદા યુક્તિથી પ્રોધે છે કે તેથી ભવ્ય શિષ્યનુ' દીલ દિન પ્રતિદિન પ્રસન્નતાનેજ પામે, અને તે શિષ્ય સદાચારમાં ચુસ્ત અને. પણ જે શિષ્ય સદ્દગુરૂની રૂડી શિક્ષાને દીલમાં ધારે નહિં અને અધીરા થઇ સ્વચ્છંદી બની જાય તેા તે શિષ્ય ગુરૂ લાભથી એ નશીખજ રહેછે, જે પથ્થર સૂત્રધાર ( સલાટ) નાં ટાંકણાને સહે તે તેમાંથી મનહર મૂર્તિ ખની તે પૂ યેાગ્ય થાય, નહિં તે તે લેાકેાના પગ નીચે કચરાય; તેમ જે શિષ્ય સદ્દગુરૂની સુશિક્ષાને અમૃત બુદ્ધિથી આદરે તે તે અંતે ગુરૂપદને પામે, નહું તે તે ઉભય ભ્રષ્ટ થાય. આ બધી વાતનુ' ફલિત એ આવે છે કે શિષ્યે જે પેાતાનું એકાંત હિત સાધવું હોય તે ગુરૂને આત્માણુ કરીને રહેવું. મન વચન અને કાયા તેમનેજ અર્પણ કરવાં. પોતાની ઇચ્છા મુજબ-સ્વેચ્છાચારીપણે તેમાંના કેઇને ઉપયોગ કરવા નહિં. આવું ઊંચા પ્રકારનું આત્માપણુ સદ્ગુરૂના ચરણકમળમાં જે જે મહાનુભાવાએ કરેલું છે તે તે મહાનુભાવા કીટ ભ્રમરીના દૃષ્ટાંતે પોતેજ ગુરૂપદના અધિકારી થઈ સ્વરૂપ સાક્ષાત્કારને પામી ગયા છે. માટે આત્માથી શિષ્યાએ એજ (સદ્ગુરૂના ચરણ કમળ) ત્રિકરણ શુદ્ધિથી ઉપાસવા યેાગ્ય છે. આ અતિ અગત્યની સ્થિતિથી ચુત ન થવાય માટે (મુમુક્ષુઓએ) ખાસ કરીને (લક્ષમાં રાખવા) શ્રીમાન ગાતમ સ્વામી અને મૃગાવતી સાક્ષીના દૃષ્ટાંત ભાવવા ચાગ્ય છે. શાસ્ત્રકાર સમજાવી તે કહે છે કે તમે ફળની ઈચ્છા નહિં રાખતાં નિષ્કામ (કામના રહિત ) પણે સ્વકર્તવ્ય કર્મ કરા, તેમ કરવાથી તમે તેનું અમેઘ ફળ અચૂક અનુભવી શકશે. પણ ને પ્રથમથી નહિ કરવા ચેાગ્ય એવા ખાટા સ‘કલ્પ વિકલ્પ કરી સ્વકર્તવ્યથી ચૂકશે તે તમે ઇષ્ટ ફળને પામી શકશેા નહિ. એજ વાતનું પ્રતિપાદન કરતાં ગ્રંથકાર કહે છે: જ્ઞાનાવાયોડવીઘા, ગુચવાવધિ । निर्विकल्पे पुनस्त्यागे, न विकल्पो न वा क्रिया ॥ ६ ॥ સદા શુદ્ધ સ્વપદ ( ગુણ સ્થાનકની હઢ ) સુધી જ્ઞાનાચાર પ્રમુખ આચાર ઇપ્રુજ છે એટલે તે અવશ્ય કર્તવ્ય રૂપજ છે. ( એમ કરતાં કરતાં અનુક્રમે અભ્યાસની પ્રબળતાથી ) જ્યારે નિર્વિકલ્પ ત્યાગ રૂપ અસ'ગ ચેગની પ્રાપ્તિ થશે ચાર વિકલ્પ અને ક્રિયા 'તે છુટી જશે. પરમાર્થ અને વિવરણ—સંગીનપણે આત્મહિત સાધવા ઈચ્છનારે પ્રથમ For Private And Personal Use Only
SR No.533306
Book TitleJain Dharm Prakash 1910 Pustak 026 Ank 08
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1910
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy