SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકાર રનમાળા. ૧પ૧ પગ સાધુપરિચયમાં અવશ્ય કરવું જરૂર છે. જેમ જેમ ઘઉંના લોટને વધારે કુણવવામાં આવે છે તેમ તેમ તેમાં મીઠાશ વધતી જાય છે. તેમ સદગુણનિધિ સંત-સુસાધુને જેમ જેમ અધિક વિનય સેવવામાં આવે છે તેમ તેમ આત્માને અધિક લાભ થતું જાય છે. વિનયથી વિદ્યા-વિજ્ઞાન પ્રાપ્ત થાય છે, અને ઘટમાં વિવેક દીપક પ્રગટે છે. તેથી આત્માને વસ્તુ સ્વરૂપનું, જડ ચેતન્યનું, હિતાહિતનું તેમજ ગુર્દોષનું યથાર્થ ભાન તથા શ્રદ્ધા જાગે છે અને નિર્મળ જ્ઞાન તથા શ્રદ્ધાના ગે સ્વચારિત્રની શુદ્ધિ કરી શકાય છે. એવી રીતે રત્નત્રયીની સહાયથી આત્મા અક્ષય સુખને સાધી શકે છે. આમાં સાધુસંગતિ પુષ્ટ આલંબન રૂપ છે, માટે જ તે ઉપાદેય છે. ૬૮ નારીકી સંગતે પત જાય–પરનારીને પરિચય કરવાથી પિતાની પ્રતિષ્ઠાનો લોપ થાય છે. જેને સ્વસ્ત્રીથી કે સ્વપતિથી સૂતેષ વળતું નથી તેને જ પરસ્ત્રી કે પરપુરૂષ સાથે પરિચય કરવા ઈચ્છા થાય છે. વળી તેનાથી સંતોષ ન થાય તે બીજો પરિચય કરવા મન દેડે છે, એમ હરાયા ઢેરની જેમ જ્યાં ત્યાં લજજા વિવેક રહિત રખડતાં દેખી તેમની પાપી વૃત્તિ લેકના કળવામાં આવી જાય છે, અને તેથી કામાંધ બનેલ સ્ત્રીપુરૂષ પિતાની આબરૂ ગુમાવે છે. વળી કુળખાંપણું કુળઅંગારક વિગેરે ઉપનામ પણ પામે છે. વિવિધ પ્રકારના ચાંદી, પ્રમેહ પ્રમુખ ભયંકર વ્યાધિઓમાં સપડાઈ જાય છે, અને પ્રાંતે નરકાદિક દુર્ગતિ પામે છે, તેથી સકળ સ્ત્રી પુરૂને ઉચિત છે કે અધિક વિષય લાલસા તજી સ્વપતિ કે સ્વદાર સંતોષીજ થવું. એ વાત ગૃહસ્થઆશ્રી ક. સાધુઆથી તે તેમને સ્ત્રીસંગતિ સર્વથા હેય છે. કેમકે સ્ત્રીપરિચયથી વિષયવાસના જાગૃત થાય છે, અને પરિણામે વ્રતભંગ, લેકાપવાદ અને નીચ ગતિ રૂ૫ વિપાક જોગવવા પડે છે. દ૯ ચપળા જેમ ચંચળ નર આય, ખિરત પાન જબ લાગે વાય; છિલ્લર અંજલિ જળ જેમ કીજે, ઈણ વિધ જાણું મમત કહા કીજે. ચપળ તિમ ચચળ ધન ધામચપલા એટલે વિજળી તે ક્ષણવારમાં અને દશ્ય થઈ જાય છે, કેમકે તેને સ્વભાવજ ચપળ છે; તેમ મનુષ્યનું આયુષ્ય અને લક્ષમી પણ ચપળ છે, એટલે આયુષ્ય કે લક્ષમી નષ્ટ થતાં વાર લાગત નથી. જેમ વાયરો લાગવાથી ઝાડનાં પાન ખરી પડે છે અને અંજલિમાં રહેલું અલ્પજળ જેમ તરત ટપકી જાય છે, તેમ આયુષ્ય અને લક્ષ્મી પણ કારમા છે, તે મને અંત આવતાં વાર લાગતી નથી. એમ વબુદ્ધિથી સમજ્યા છતાં સંસારને બેટી માયામાં કેમ મુંઝાય છે? પરવસ્તુમાં બેટી મમતા કરવાથી જીવ દુઃખી થાય છે, અને પિતાનું ખરું સ્વરૂપ તથા ખરૂં કર્તવ્ય ભૂલી જઈ ખરા સુખથી વંચિત For Private And Personal Use Only
SR No.533303
Book TitleJain Dharm Prakash 1910 Pustak 026 Ank 05
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1910
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy