SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્ઞાનસાર સૂત્ર વિવરણ ૭૧ સાધમી જનેની સેવાચાકરી કરવી. અનાથ જનેને યથાગ્ય આશ્રય આપે. એટલે કે દીન દુઃખીને તનમનથી સહાય આપવા તત્પર રહેવું. રસના (જીભ)થી મિષ્ટ અને હિતકારી વચન બેલી અન્યને સંતોષ આપે. ઉત્તમ ખાનપાનથી સુપાત્રને પિષવા. પ્રાણ (નાસિકા)થી દુર્ગધ પામી દુાંછા ન કરવી, તેમજ સુગધી વરતુમાં અતિ આસક્ત ન થવું. સુગંધી દ્રવ્યવડે સદ્દગુણ" સેવાભક્તિ કરવી. ચક્ષુવડે સુંદર રૂપ શુંગારમાં મેહિત નહિ થતાં શાંત રસથી ભરપૂર એવી વીતરાગ દેવગુરૂની મુખમુદ્રા વિલંકી તકતી ગુણ મકરંદનું પાન કરવું. આ ત્રવટે પિતાની નિંદા સ્તુતિ શ્રવણ કરી તેમાં હર્ષશોક ધારણ નહિ કરતાં તેથી ઉદાસીન વૃત્તિ રાખી જિનવચનામૃતનું પાન કરી સમતા રસનું સેવન કરવું. આવી રીતે પ્રશસ્ત આલંબનને સેવી અપ્રશસ્ત વિષયરોગને દૂર કરવા પ્રયત્ન કરે. જ્યારે અપ્રશસ્ત વિષયરાગ નષ્ટ થઈ જાય ત્યારે પછી અનુક્રમે નીરાલંબન યુગના બળથી પ્રશસ્ત વિષયરાગ પણ તજવા ચોગ્ય જ છે. પરંતુ જ્યાં સુધી અપ્રશસ્ત વિષયરાગ વિદ્યમાન હોય ત્યાં સુધી તે ઉપર જણાવ્યા મુજબ પ્રશસ્ત વિષયરાગ તજી રાકાય નહિ અને તજવામાં ફાયદે પણ નથી, પરંતુ નુકશાનજ છે. કારણકે તેની સહાયથી અપ્રશસ્ત વિષયરાગ સુખે ટાળી શકાય છે, તેમજ પ્રશસ્ત વિષયરાગ પણ અપ્રમત્ત દશામાં રહી શકતું નથી; મતલબ કે સર્વ પ્રકારને વિવરાગ સર્વથા નષ્ટ થયે તેજ આત્માનું સંપૂર્ણ હિત સધાય છે. એ વાત લક્ષ્યમાં રાખી આત્માથી અને એ જેમ બને તેમ ચીવટથી વિષયરોગ તજવાને ઉદ્યમ સેવ ઘટે છે. પ્રાસંગિક બોધ. જે જને સદા સુખદાયી એવા સત્ય ધર્મરત્નની સારી રીતે પરીક્ષા કરી જોતા નથી તેમના ગુણ અને કળાશલ્યને ધિક્કાર પડે.” “ભવ્ય જનોને જૈનધર્મ અભિનવ કલ્પપાદપ છે. કેમકે તે વર્ગ અને મોક્ષના સુખ રૂપી ઉત્તમ ફળ આપે છે. સદ્ધર્મ એજ ખરે બંધુ અને ખરે મિત્ર છે, ધર્મજ પરમગુરૂ છે, અને મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત થએલા મુમુક્ષુ જનને ધર્મજ શ્રેષ્ઠ વાહન (સાધનરૂપ) છે.”, ચઉગતિનાં અનંત દુઃખદાવાનળથી મહા ભયંકર દેખાતા એવા આ ભવનમાં રે ભદ્રકજને ! તમે અમૃતના કુડ સમાન શીતળ સુખકારી શ્રી જિનવચનનું સેવન કરે; તેથીજ તમે સર્વ તાપને શમાવી પરમ શીતળતાને પામશે. અનંત દુઃખતાપથી સંતપ્ત એવા આ વિષમ ભવરૂપી મરૂસ્થળને વિષે હે મહાનુભાવો! તમે શિવસુખદાયી જિન ધર્મરૂપી કલ્પવૃક્ષને સેવે, કિં બહુના!હે આત્માથી સજ્જને! For Private And Personal Use Only
SR No.533301
Book TitleJain Dharm Prakash 1910 Pustak 026 Ank 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1910
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy