SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધર્મ પ્રકાશ એ પ્રગટ્યાં છે તે બાહ્ય અને અત્યંતર તપવડે નિર્જરા–પૂર્વભવનાં સંચલા કર્મને ક્ષય કરી શકે છે.ખાનપાન વિના નિરાહાર રહેવું, આહારમાં ઓછાશ કરવી, નિયમિ. તપણે ખાનપાન વિગેરે કરવું, નાના પ્રકારના રસને ત્યાગ કરે, સમજીને સ્વા. ધીન પણે શીત તાપાદિકને સહવા, અને નાના પ્રકારના આસન-જય પ્રમુખથી દેહને દમવું, એ સર્વ બાહ્ય તપરૂપ છે. એ બાહ્ય તપ ઉત્તમ લક્ષથી કરવામાં આવે તે તે અત્યંતર તપની પુષ્ટિને માટે થાય છે. જાણતાં અણજાણતાં ગુપ્ત કે પ્રગટ કરેલાં પાપની નિષ્કપટપણે ગુરૂ સમીપે શુદ્ધિ કરવી, ગુણી જનેનું બહુમાન સાચવવું, સદગુણીની સેવાચાકરી બજાવવી, અભિનવ શાસ્ત્રનું પઠન પાડનાદિક કરવું, અરિહતાદિક પદનું સ્વરૂપ સમજી તેમાં પોતાની વૃત્તિ સ્થિર કરવી, અને દેહમૂછને ત્યાગ કરીને પરમાતમ સ્વરૂપમાં તલ્લીન બની જવું એ અત્યંતર તપ કહેવાય છે. સમતા પૂર્વક શાસ્ત્ર આજ્ઞાનુસારે પૂર્વોક્ત તપ કરવાથી અનેક જન્મનાં સંચેલાં કઠણ કર્મ પણ ક્ષય પામે છે. માટે મલાથી જનેએ આત્મવિશુદ્ધિ કરવા માટે ઉકત ઉ. ભય પ્રકારને તપ અવશ્ય સેવ ચોગ્ય છે. તીર્થકરોએ પણ ઉક્ત તપને આશ્રય લીધેલો છે. ર૦ વેદ ભેદ બંધન રૂપ–-પુરૂષવેદ, વેદ અને નપુંસકવેદને રય. જેથી સ્ત્રી, પુરૂષ અને ઉભયને ભેગવવાની તીવ્ર ઈચ્છા પ્રગટે છે, તે વિગેરે અનેક પ્રકારની સ્થિતિ બંધનરૂપ છે. શુભ પરિણામની ઘારાવરે ઉક્ત બંધનને છેદ્યા વિના કેઈ પણ જીવ મોક્ષને અધિકારી થઈ શકે નહિ. માટે દુઃખરૂપ કર્મ. બંધન તુટે એજ ઉદ્યમ કર જોઈએ. ર૧ બંધ અભાવ તે મોક્ષ અપ–મિથ્યાત્વ, અવિરતિ, કષાય, વેગ પ્રમુખ કર્મબંધના સામાન્ય હેતુઓ છે, અને તેના વિશેષ હેતુઓ પણ પ્રથમ કર્મ થમાં બતાવેલાં છે. તે લક્ષમાં લઈ તેવા બંધહેતુથી પાછા ઓસરતાં આત્મા અનુકમે અનુપમ એવા મોક્ષસુખને અધિકારી થઈ શકે છે. રાગ દ્વેષ પ્રમુખ ભાવ કર્મ છે, એટલે તે કર્મબંધને બહુ પુષ્ટિ આપે છે. તેથી આત્મા સ્વ સ્વરૂપથી સુત-બ્રણ થઈ પરભાવમાં ખુબ પિસાર કરે છે, અને એમ કરવાથી સંસારસંતતિની વૃદ્ધિ થયા કરે છે. વડના બીજની પર તેને અંત આવી શક્યું નથી. પરંતુ જે રાગ દ્વષ પ્રમુખ પિપક પદાર્થ મળે નહીં તે તેને તરતજ અંત આવી જાય છે. આથીજ તત્ત્વજ્ઞાની અધ્યામી પુરૂ રાગ છેષાદિકને જ નિર્મળ કરવા મથે છે. ૨૨ પર પરિણતિ મમતાદિક દેશ--પિતાના આત્માને સારી રીતે આળ ખી કાકાય અને તેમાં જે અનંતશક્તિ-સામર્થ રહે છે તેની જેથી દર પ્રતીતિ થાય વાં સર્વજ્ઞ વચન કે વીતરાગ ભગવાનની પરમ તા-બોધક પ્રતિમાનું અંતર લક્ષ For Private And Personal Use Only
SR No.533301
Book TitleJain Dharm Prakash 1910 Pustak 026 Ank 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1910
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy