________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનસાર સૂત્ર સ્પષ્ટીકરણ.
છે તેને પરમાત્માના દર્શન થતાં કેટલે પ્રેમ જાગે છે, તેનું કઈક વર્ણન ઉપાધ્યાયજીએ નીચેના એક પદમાં કરેલું છે. તેનું મનન કરીને અન્ય આત્માથી જને એ પણ પ્રભુ પ્રત્યે એજ પ્રેમ જગાવ ઘટે છે. પ્રભુ પ્રત્યે શુદ્ધ પ્રેમભાવ જગાવવાથી પરપુગલિક વસ્તુઓમાં અનાદિ અવિવેકગે બંધાયેલાં રાગાદિ બંધન આપોઆપ તૂટી જાય છે, અને આત્મા પ્રભુના આલ બનથી ઉપાધિજન્ય સુખદુઃખને દૂર કરી, સહજ રવાભાવિક આનંદમાં મગ્ન થાય છે.
પદ–રામ ગોડી, સંભવ જિન (જબ) નયન મિલે હૈ. પ્રગટે પુણ્યકે અંકુર-તબ દિન મહી સફલ વધે છે; અંગણે અમીચે મેહ વઠા, જનારા તાપ વ્યાપ ગલ્ય હે. સં. ૧ જેની ભક્તિ તૈસી પ્રભુકરને, વેત શખમે દૂધ મિલે હૈ દર્શનાર્થે નવ નિધિ રિદ્ધિ પાઈ, દુઃખ દેહગ સબ દૂર કર્યો છે. સ0 ડરત ફિરતો દહિં દિલ, મેહમલ્લ જિણે જગત્ર ભલ્ય હે, સમકિત રત્ન લહે દરિસનસે, અબ નવિ જાઉ કુગતિ ર હે. સં૦ ૩ લેહ નજર ભર નિરખતી મુજ પ્રભુશું હૈડે હેજ હલ્ય હે, શ્રી નય વિજય વિબુધ સેવકું, સાહેબ સુરતરૂ હેય ફળે છે. સં૦૪
આત્મામાં સમતા, સરલતા અને નમ્રતાદિક ઉત્તમ ગુણ ખેલાવવાને ભક્તિ એ એક એવે અજબ અને સરલ ઉપાય છે કે તેનાથી કોઈ પણ પ્રકારના અપાયની શંકા વિના નિરંતર સહજ ગુણની વૃદ્ધિ થયાજ કરે છે. ભક્તિમાં સ્વાભાવિક રીતે નમ્રતાપૂર્વક ઉત્તમ પ્રકારની ભાવના બની રહે છેઃ એવી શુદ્ધ ભાવનામય ભક્તિથી અશુભ વાસનાને ક્ષય થાય છે, અને શુજ વાસના સહેજે પ્રગટે છે. ભકિતથી સનક્ષત્ર અને સર્વાનુભૂતિ સાધુની પરે આત્મા આરાધક ભાવને પામે છે. સાધક પુરૂ
ને તે જ્ઞાન કરતાં પણ ભકિત સાધન તરીકે ઉત્તમ ગરજ સારે છે. શુદ્ધ ભાવનામય ભક્તિથી આત્માના સહજ ગુણને વિકાસ થાય છે, અને દેવ માત્રને ક્ષય થાય છે. જ્ઞાનથી તે કવચિત્ મદ પણ સંભવે છે, પણ ભક્તિમાં મદને સંભવ નથી, અથવા શુદ્ધ ભક્તિ એજ તત્વથી જ્ઞાન દર્શન અને ચારિત્ર છે. શ્રીમદ્ ઉપાધ્યાયજીએ પણ શાંતિનાથ પ્રભુના સ્તવનમાં કહ્યું છે કે
તહરૂ દવાનને સમક્તિ રૂપ, તેહજ જ્ઞાન ને ચારિત્ર તેહ છે; તેહથી જા સઘળાં હે પાપ, ધ્યાતા છેવ સ્વરૂપ છે પછીજી, ધન્ય દિન વેળા ધન્ય ઘડી તે અચિરાને નંદન જિન યદિ ભેટશું, ”
ગમે તેવા પ્રસંગે સાધુને કે ગૃહસ્થને આત્મકલ્યાણને માટે વારંવાર લક્ષપૂ. ર્વક વિચારવું એગ્ય છે કે સત્તાએ અનંત ગુણના સ્વામી એવા સિદ્ધ ભગવાન
For Private And Personal Use Only