________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિ જ્ઞાનસાર સૂત્ર વિવરણ.
૧૩૫ ભાનું શુદ્ધ નિરૂપાધિ સ્વરૂપ હોવું ઘટે નહિં. જ્યારે રાગદ્વપ અથવા કષાય માત્રને અત્યંતભાવ થાય, તેમને સર્વથા લેપ થયાથી કદાપિ પ્રાદુર્ભાવ થાય જ નહિં, ત્યારે જ તે આત્માનું શુદ્ધ સ્વાભાવિક સ્વરૂપે પ્રગયું કહી શકાય.
જેમ શુદ્ધ એવા સ્ફટિક રત્નની ઉપર રાતું ફૂલ મૂકવામાં આવે, તો તે આખું રત્ન રાતું જ દેખાય છે, અને કાળું ફૂલ મુકવામાં આવે તે તે સઘળું કાશું દેખાય છે, તેમ નિશ્ચયથી શુદ્ધ એવા આત્માને પણ શુભાશુભ કર્મચગે રગષને પરિણામ હવે ઘટે છે, એટલે કે શુભાશુભ કર્મ એ આત્માને કલંકરૂપ છે, તેથી જ આત્માને રાગષમય પરિણામ સંભવે છે. કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી જ નથી. જીવ જે ક્ષણમાં રાતે અને ક્ષણમાં તાતો થાય છે તે તેણે પોતેજક રેલાં કર્મના ગેજ. કર્મ કલંકને સર્વથા અભાવ થયે છે તે રાગદ્વેષ યા કષાયને પ્રાદુભાવ હેઈ શકેજનહિં, જ્યાંસુધી કર્મકલંકના સદ્ભાવે રાગદ્વેષ યા કવાયને - ઈ પણ અભાવ હોય ત્યાં સુધી શુદ્ધ નિશ્ચયનયથી આત્મા શુદ્ધ ધમી કહેવાય જ નહિં. કેમકે કર્મ તો આત્માને કલંકરૂપ છે, અને શુદ્ધ આત્મામાં તે તેવું કલંક સર્વથા હેવું ઘટેજ નહિં. કર્મથીજ વિભાવ-પ્રવૃત્તિરૂપ ઉપાધિ સંભવે છે, અને આત્માના શુદ્ધ સ્વરૂપમાં એવી ઉપાધિને સર્વથા અભાવજ હવે ઘટે છે. એમ સમજીને મુમુર જનેએ પિતાનું શુદ્ધ સ્વરૂપ પ્રગટાવવાને પૂર્વોકત કમકલંકને નાશ કરવાને કટિબદ્ધ થવાની જરૂર છે. સમ્યગ દર્શન, જ્ઞાન અને ચારિત્રનું યથાવિધિ આરાધન કરવું એજ આત્માનું સહજ સ્વરૂપે પ્રગટ કરવાને અમેઘ ઉપાય છે. જ્યાં સુધી જીવ પ્રમાદને વશ થઈ ઉક્ત ઉપાયને અવલંબવા વિલંબ કરે છે, ત્યાંસુધી તે પોતાના સહજ સ્વભાવના સાક્ષાત્ અનુભવથી બેસીબ રહે છે. સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સભ્યશ્ચારિત્રના અભાવે જીવ અનાદિ મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિના યોગે નાના પ્રકારના કર્મલંકથી કલંકિત થઈ રાગદ્વેષ યાને કષાયના પરિણામને ધારણ કરે છે. આ પ્રમાણે રાગદ્વેષ અને થવા કવાયના પરિણામથીજ જીવ ભવભ્રમણ કરે છે. ઉક્ત ઉપાધિના અભાવે આ ભાનું સહજ સ્વરૂપ તત્કાળ પ્રગટ થાય છે, તેવી નિરૂપથિક દશામાં આત્મા પરમ શાંતિને સાક્ષાત્ અનુભવે છે. વળી આત્માનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ થયા બાદ નિર્મળ કચનની પેરે તેને કંઈ પણ વિકાર સંભવતેજ નથી, તેથી તે શુદ્ધાત્મા જન્મ મરણદિકરી સર્વથા મુક્ત થઈ નિરંતર પૂર્ણાનંદમાંજ નિમગ્ન રહે છે. આથી સહેજે રજી શકાશે કે આત્મા જેટલે જેટલે અંશે સમ્યગ દર્શનાદિકનું યથાવિધિ - રાધન કરવા ઉજમાળ થશે, તેટલે તેટલે અંશે પુક્ત કર્મઉપાધિથી મુક્ત થઈ ફિધિપણને પ્રાપ્ત થતું જશે. આવી સાધક દશા જીવને ચોથા ગુણડાણથી માંડીને રદ ગુણડાણા સુધી સંભવે છે. અને સર્વ કર્મઉપાધિથી સર્વથા મુક્ત
For Private And Personal Use Only