SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રબંધ, અન્ય કોમના માણસ પાસેથી ઈચ્છવું એ આકાશ કુસુમની ઇચ્છા જેવું છે. આપણે સંપ્રદાયિક જ્ઞાનને લેપ થયું છે તેનો મોટો હેતુ આજ છે. શ્રાવકે અથવા સાધુઓ આ જ્ઞાન હજુ પણ ટકાવી શકે એમ છે. શ્રાવકોને સારી સહાય મળે તો તેઓ આવા કામમાં પિતાની બુદ્ધિ ફેરવી શકે. શ્રાવકોને અભ્યાસ કરવા માટે ખરચની જોગવાઈ કરી આપવી જેઈએ કે જેથી તેઓ અભ્યાસ તરફ એકાગ્ર ચિત્તથી ધ્યાન આપી શકે. તેટલા માટે જરૂરનું છે કે તેઓને પિસા સંબંધમાં જરા પણ વિક્ષેપ ૫ડવો ન જોઈએ; આટલા સારૂ અભ્યાસ દરમ્યાન “ સ્કોલરશીપ ” તેઓને આપવી જોઈએ. વળી અભ્યાસ કર્યા પછી તેઓ પિતાનું ભરણ પોષણ સારી રીતે કરે તે સારૂ તેમને જોગવાઈ કરી આપવી જોઈએ. જ્ઞાનદ્રવ્ય લેવાને શ્રાવકને માટે પ્રતિબંધ છે, તો તેઓને માટે નવાફડે ઉઘાડી તેમાંથી સારે પગાર આપી સાધુઓ અને શ્રાવને અભ્યાસ સારૂ તેમને રોકવા જોઈએ. - સાધુઓને શ્રાવક કરતાં સારી રીતે અભ્યાસ કરવાની જોગવાઈ છે, કારણ કે તેઓને પ્રપાન વિગેરે હાડમારી નથી. તેઓ ધારે તે આ વિષયમાં બહુ કરી શકે. સાધુઓએ અભ્યાસ કરી બે પ્રકારની ફરજ બજાવવાની છે. એક પિતાના જે શિરે તૈયાર કરવા અને બીજું શ્રાવકને ઉપદેશ આ• પવો. ગિતાર્થ મહારાજઓની વિશાળવાણીથી ભવ્ય જીવોનાં અતઃકરણો આનંદિત થાય છે. સાધુઓએ પણ અકાર્ય પોતાનું સમજી ઉપદેશ અ પી સંસ્કૃત કેળવણીનો પ્રચાર વધે તે માટે પ્રયાસ કરે જઈએ. ચાલુ સમય ફેરફારનો છે આપણી ચેમેર ફેરફારો થાય છે અને આપણી જૈનોમ પણ અભ્યદયના ચક્ર ઉપર ચડતી હોય એમ જણાય છે. હાલમાં શ્રી બનારસ શહેરમાં મુનિમહારાજ શ્રી ધર્મવિજયજીએ બહુ કષ્ટ વેઠી એક સંસ્કૃત પાઠશાળા ઉઘાડી છે તેમાં સાધુઓ અને શ્રાવકો અભ્યાસ કરે છે. જનના આ બાળકો-સાધુ અને શ્રાવક-જ્યારે ન્યાય માં, સાહિત્યમાં, કાવ્યમાં, છેદમાં, નાટકમાં વિદ્વાન થઈ દેશમાં આવશે, ત્યારે જનનો કિ વાગશે; આ પાઠશાળાથી આપણે અનેક શુભની આશા રાખીએ તો તેમાં અતિશયોકિત નથી. મહારાજ શ્રી ધર્મવિજ્યજીને તેમના સ્તુત્ય પ્રયાસ માટે અત્યંત ધન્યવાદ ઘટે છે, વળી હાલમાં ઘણે ઠેકાણે જન પાઠશાળા અને કન્યાશાળાઓ ઉઘડે છે તેમાં ભણાવનારાશિક્ષકે જોઈએ છીએ તે પણ આ For Private And Personal Use Only
SR No.533227
Book TitleJain Dharm Prakash 1903 Pustak 019 Ank 12
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1903
Total Pages32
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy