SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવનગરમાં થયેલી ભયંકર આગ. ના પ્રારંભમાં અનિત્ય ભાવના એટલા માટે જ કહેલી છે કે, આ જગતમાં રહેલ વસ્તુ માત્ર સ્ત્રી પુત્ર પરિવાર વિગેરે, ઘર હાટ હવેલી વિગેરે, સેનુ રૂપું કે ઝવેરાત વિગેરે સર્વ વિનાશી છે. એકની એક સ્થિતિમાં તેમજ એકના એક માલેકની માલકીમાં કદાપિ પણ કોઈ વસ્તુ રહેતી નથી, રહેવાની નથી અને રહેલ પણ નથી. તેમ છતાં પણ સંસારના મેહમાં આસકત થઈ ગયેલ અજ્ઞાની પ્રાણી તેવી વસ્તુઓને તેની તે સ્થિતિમાં તેમજ પિતાનાજ સ્વામીત્વમાં અખંડ રાખવા ઈચ્છે છે, તેને માટે બનતા પ્રયત્ન કરે છે, અનેક પ્રકારના પાપ સેવે છે, અનેકની સાથે વિરોધ કરે છે અને તેને મ છતાં પણ તેનો વિનાશ થાય છે અથવા સ્વામીને ફેરફાર થાય છે ત્યારે હાથપીટ કરે છે, શોક સમુદ્રમાં ડુબે છે જેના તેનાપર ખેદ કરે છે, ધર્મ કાર્યને વિસારી દે છે અને ધર્મ કાર્ય તરફ નિરાદરપણું દેખાડે છે. આ બધી ક્રિયા અને પ્રવૃત્તિ તેને ઉલટા નવા કાનો બંધ કરાવે છે અને પૂર્વ કમની જો કે વેદવાવડે નિર્જરા થાય છે પરંતુ તેથી બંધ વધી પડે છે. આ કારણથી જે વસ્તુના અનિત્યપણાની આ પ્રાણીના હૃદયમાં ખરેખરી ખાત્રી થાય, તેમા ચિત્તમાં તે વાત ઠસે, નિરંતર અનિત્ય ભાવના ભાવતે થાય તો પછી તેને ઈષ્ટના વિયોગે કે અનિષ્ટના સંગે હર્ષ કે શાકમાં નિમગ્ન થવાપણું ન રહે અને ધાર્મિક વૃત્તિ જેવીને પી બની રહે.. વસ્તુ માત્રને સ્વભાવજ અનિત્ય હેવા છતાં આ પ્રાણ જ્યારે તેનું અનિત્યપણું દેખે છે ત્યારે જાણે ચમત્કાર પામતો હોય તેમ જણાય છે. કારણ કે તે વખતે તેનું અનિત્યપાનું ભૂલી જ છે. તેમ ન થવા માટે સવ7 મહારાજે સર્વ ભાવનામાં અનિત્ય ભવનાને અગ્રપદ આપ્યું છે કે જે થી પાણી નૂડલો ન ખાય. સ્ત્રી ''રાદિકના અભાવ વખતે અથવા અગ્નિ વિગેરેના ઉ૫૮ થી મીલકતના વિનાશને વખતે કેટલાક અજ્ઞાનીઓનું હૃદય છીન્ન ભિન્ન થઈ જતું જણાય છે તે પ્રત્યક્ષ તેનું અજ્ઞાનપણું જણાવે છે. નીતિશામાં ગતવસ્તુ શાક કરે તેને મુખતા કહેલ છે. ભોજરાજાના ચરિત્રમાં એક પ્રસંગ એવો છે કે જેમાં એક વિદ્વાનને મૂર્ખ કહીને બોલાવતાં તેણે કહ્યું છે કેखादन्न गच्छामि हसन्न जल्पे गतं न शोचामि कृतं न मन्ये । दये तृतियो न भवामि राजन् किं कारणं येन मवामि मूर्खः ॥ १ ॥ For Private And Personal Use Only
SR No.533218
Book TitleJain Dharm Prakash 1903 Pustak 019 Ank 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1903
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy