SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મા...ન...વ...મ......ની લેખક :–મનસુખલાલ તારાચંદ મહેતા કૌશામ્ભીનગરીમાં શ્રીદત્ત, પૂર્ણભદ્ર અને શ્રીમતી રહેતા હતા. ત્રણેયની જ્ઞાતિ એક હતી અને ત્રણેય કુટુએ બૌધ ધર્મથી રંગાયેલા હતા. સૌ રહેતા પણ નજીક નજીકમાં. બાલ્યવયથી જ ત્રણેય સાથે ભણતા અને રમવામાં પણ સાથે જ. બાલ્યાવસ્થામાં બધા મિત્રો ઘરઘરની રમત રમતા, ત્યારે કાઇ ઠાકરાએ વર બનવુ પડતું અને કઈ છેકરીએ વહુ બનવું પડતું. પણ એવી રમત વખતે પૂર્ણ ભદ્ર અને શ્રીમતી અરસપરસ એક બીજાને પેાતાના સાથીદાર રૂપે પસંદ કરતા. બાલ્યાવસ્થા જીવનના અતિ નિર્દોષ અને આનંદી કાળ છે, કારણ કે તે વખતે બાળકના મનમાં કોઈ વિકાર કે વિકૃતિ નથી હોતા. ત્રણેય મિત્રો મેટા થયા, શ્રીમતીના પિતાની ઇચ્છા પુત્રીનુ લગ્ન પૂર્ણભદ્ર સાથે કરવાની હતી, શ્રીમતીની પણ આવી ઇચ્છા માબાપે જાણી લીધી હતી. પૂર્ણભદ્ર પોતે પણ આમ જ ઇચ્છતો હતો, કારણકે તેઓ બંને વચ્ચે પ્રેમના અંકુર ફૂટયા હતા. પણ માનવ મનની બધી ઈચ્છાઓ કદી પાર પડતી નથી. શ્રીમતીના પિતાએ આ સબ'ધ વિષે જ્યારે પૂર્ણ ભદ્રના પિતાને વાત કરી, ત્યરે તેણે કર્યુ કે પુત્રને પાંચેક વર્ષ માટે અભ્યાસ અર્થ તે બનારસ મોકલવા માગે છે. વિદ્વાન અને પંડિત બન્યા પછી જ તેના લગ્ન કરવાની પિતાની ઇચ્છા હતી. પૂર્ણભદ્ર અભ્યાસ અર્થે બનારસ ગયા અને આ બાજુ શ્રીમતીના લગ્ન પણ શ્રીદત્ત સાથે થઈ ગયા. લગ્ન બાદ ધંધા અર્થે પતિપત્ની જાવા અંદર ઉપડી ગયા. પતિપત્ની બંનેે સમાન વયના, સુ ંદર અને સાહા મણા હતા અને આમ તે સેનામાં સુગંધ મળ્યા જેવુ આદર્શ જોવું બન્યું હતું. અભ્યાસ પૂર્ણ કરી પંડિતની પત્રી પ્રાપ્ત કરી માનવમનની ભીતરમાં ભી...ત.......માં Acharya Shri Kailassagarsuri Gyanmandir ส પૂર્ણભદ્ર પાછા કૌશામ્બી આવ્યો, ત્યારે તેણે જાણ્યુ કે તેનુ સ્નેહપાત્ર શ્રીમતી તે શ્રીદત્ત સાથે લગ્ન કરી પરદેશ ઉપડી ગઈ છે. લગ્ન માટે અનેક કહેણા આવ્યા, પણ તેનું દલ કયાંય ઠર્યું નહિ. દરેક માનસિક પરિસ્થિતિ માટે કારણ હોય છે-આ કારણ તે ઇચ્છા અથવા પ્રેરણા. માનવનું અચેતન મન ભારે પ્રબળ હોય છે, અને માણસ પોતે પણ તેને ભાગ્યેજ સમજી શકતા હોય છે. પરિણામ એ આવ્યું કે પૂર્ણભદ્રને સ ંસાર પ્રત્યે અણગમા ઉત્પન્ન થયા. લોકોએ આ અણગમાની વાત જાણી એટલે કહેવા લાગ્યા કે ‘જ્ઞાનનું ફળ વિરતિ ’ એ સાચું જ છે, પૂર્ણભદ્રે જ્ઞાન પ્રાપ્ત કર્યું, તે તેને વૈરાગ્ય જાગ્રત થયા. પછી તો પૂર્ણભદ્ર દીક્ષા લઈ બૌધ સંપ્રદાયના એક ભિલ્લુ બની ગયા. એ વાતને વરસો વીતી ગયા. ભિક્ષુ પૂર્ણ ભદ્રના જ્ઞાન, ત્યાગ અને તપની સર્વત્ર પ્રશંસા થવા લાગી. એક વખતે પૂર્ણભદ્ર તેના શિષ્યો સાથે શ્રાવસ્તી બૌધ વિહારમાં ચામાસુ` રહ્યા હતા. એ અરસામાં જાવા બંદરથી શ્રીદત્ત અને શ્રીમતી વિપુલ ધન કમાઈને પાછા ફર્યા. સાથે તેમને 'સાત વર્ષની વયનો પુત્ર સુકુમાર પણ હતા. ભારતમાં આવ્યા બાદ પૂર્ણભદ્ર ભિક્ષુ થયાની વાત તેઓએ જાણી. પૂર્ણ ભદ્ર શ્રાવસ્તીમાં ચામાસુ છે એ જાણ્યાં પછી પતિ, પત્ની પુત્ર રથમાં બેસી ભિક્ષુને વંદન કરવા શ્રાવસ્તી ગયા. શ્રીમતીા શણગાર અદ્ભુત હતા. માથામાં જૂનાં ફૂલની વેણી, કંઠમાં સાચા હીરાના હાર અને હાથમાં નીલમનાં કંકણ તેમજ માણેક જડિત બાજુબંધ, તેની શોભામાં અપૂર્વ વધારા કરી રહ્યા હતા. શ્રીદત્તે તે મજાક કરતાં તેને કશું પણ ખરૂં કે, “આવું અદ્ભુત સૌન્દર્ય વૈદ્ય તારામાં આજે પહેલી જ વખત [3 For Private And Personal Use Only
SR No.531820
Book TitleAtmanand Prakash Pustak 072 Ank 05 06
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1974
Total Pages54
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy