SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભારતીય સમગ્ર દાર્શનિક વાદા એ ના જ છે એમ માની સર્જનયાના અનેકાંતવાદમાં સમાવેશ કરવા અનિવાર્ય હતા જ, “નયચક્રે વિવિધ દેશનાની નયાના રૂપમાં જ યાજના કરી છે’ (‘ત્યચક્ર'ના ઉદ્ઘાટન પ્રસંગે પડિત શ્રી દલસુખભાઈ માલવિયાએ આપેલ પ્રવચન આજે આપણે જૈન સમાજને માટે ગૌરવપ્રદ જ્ઞાનસત્ર ઉજવવા એકત્ર થયા છીએ. પ્રસંગ આપ સૌ જાણેાજ છે તે પ્રમાણે પૂ. મુનિશ્રી જબૂવિજયજી દ્વારા સુસ'પાદિત નયચક્રના પ્રકાશનના છે. આ પ્રસ ંગે આપણે અખિલ ભારતીય પ્રાચ્ય વિદ્યાપરિષદના અધ્યક્ષ ડૉ. આદિનાથ નેમિનાથ ઉપાધ્યે જેવા વિદ્વાનને અધ્યક્ષપદ માટે મેળવી શકયા છીએ તે પણ પ્રસંગની મહત્તાનુ સૂચક છે જ. આ અવસરે નયચક્ર વિષે મને કાંઈક કહેવાનુ... આમંત્રણ મળ્યુ તે માટે સયાજકને આભાર માનું છું. આપણે જીણીએ છીએ કે જૈનદર્શનના અનેકાંતવાદ રૂપી મહાપ્રાસાદ નયેાના થાંભલા ઉપર ઊભા છે. ભગવાન મહાવીરે પોતાના કાળના વિવિધ દાનિક મતા કે વાદે, જે પરસ્પર વિરુદ્ધ હતા, તે સૌ મતાના જૈનદર્શનમાં સમાવેશ કર્યાં, તે કાળના પ્રબળ એવા એ મતા ઉપનિષદ સ’મત બ્રહ્મવાદ અને નાસ્તિકાને! અનાત્મવાદ કે ક્ષણિકવાદ કે ઉચ્છેદવાદ એ બન્નેના સમાવેશ ભગવાન મહાવીરે દ્રવ્યનય અને પર્યાયનયના સ્વીકાર કરીને જૈનદર્શનમાં કર્યાં હતા. વળી, લૌકિક સત્ય તથા અલૌકિક સત્ય એટલે કે વ્યવહાર સત્ય અને પારમાર્થિક સત્ય એ બન્ને પરસ્પર વિરુદ્ધ હાવા છતાં ભગવાન મહાવીરે વ્યવહાર નય અને નિશ્ચય નયને આધારે તે બન્નેને જૈન દનમાં સ્થાન આપ્યું હતું. આમ વિરોધી મતાના સંગ્રહ કરવા તેમણે નયવાદના જુદા જુદા દૃષ્ટિબ દુઆનો સ્વીકાર કર્યો અને દાનિકા માટે સમતસમન્વયના માર્ગ મેાકળા કર્યાં. આ માગ પાછળની ભગવાન મહાવીરની મુખ્યદૃષ્ટિ સત્યના અંશ જ્યાં કયાંય પણ હોય ત્યાંથી શેાધી શેાધીને એને સ્વીકાર કરવાની અને સત્યના નાના સરખા અંશની પણ કઇ રીતે કયારેય ઉપેક્ષા ન થઈ જાય એની પૂરી જાગૃતિ રાખવાની રહી છે. અન્ય સવ દૃષ્ટિએની જેમ આ દૃષ્ટિની પાછળ પણ અહિંસાની દૃષ્ટિ જ કામ કરી રહી છે: સત્યના અંશની ઉપેક્ષા થાય અને અહિંસા ટકી રહે કે ખડિત ન થાય એ ન બનવા જેવી બાબત છે. એટલે પછી કાઈ પણુ મત કે વાદનુ' એકાંત ખંડન ન કરતાં એમાં રહેલ સત્ય અંશને સારવવામાં જ અહિંસા અને સત્ય બન્નેને મહિમા રહેલા છે. આપણે જાણીએ ટીએ કે ભગવાન મહાવીરના સમયમાં માત્ર ભગવાન બુદ્ધ જ નહિ પણ ખીજા પણ ઉપનિષદ વાદીએ ઉપરાંત ગેશાલક આદિ અનેક મત પ્રવર્ત કે હતા. આત્માનંદ પ્રકાશ ૧૬૦-૪ For Private And Personal Use Only
SR No.531735
Book TitleAtmanand Prakash Pustak 064 Ank 07 08
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1966
Total Pages84
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy