________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માલવિયા તે વખતે મારી સાથે હતા જ્યારે મેં મુનિશ્રીને અમદાવાદ મુકામે જ્ઞેયા ત્યારે તેઓ શ્રીનાં બાહ્ય શારીરિક દેખાવમાં મને અત્યન્ત પરિવ`ન લાગ્યું. તેઓશ્રી કૃશ અને બિમાર જેવા લાગતા હતા. પણ તેમની વાતચીતમાં વિદ્યા ભક્તિ અને વિદ્યા પ્રચારના ઉત્સાહની જ્યેત તેમના દુબળા પાતળા શરીરમાં ઝળહળતી હું જોઇ શકયા. તેએશ્રીએ અમને તિખેટીયન હસ્તપ્રતે ની ફાટાગ્રાકિક નકલા બતાવી. મુનિશ્રી તિખટીયન અને અન્ય ભાષાના અભ્યાસમાં પણ અદ્ભૂત પ્રગતિ સાધી શકયા હતા. આજે મુનિશ્રીએ ‘ દ્વાદશારનયચક્ર 'નું સંપાદન કાર્ય પૂર્ણ કર્યું છે અને ચાર અર સમાવતા પ્રથમ વિભાગ પ્રસિદ્ધ થાય છે. તેમની સિદ્ધિ માટે મ્યુનિશ્રી જમ્મૂવિજયજી પ્રતિ આપણો હ્રદયન્તગત અને આભાર આદરની લાગણી વ્યક્ત કરવા આપણે સહુ અહીં એકત્ર થયા છીએ.
k
ઘણીએ વાર કાઈ મ ંદિરપ્રતિષ્ઠા પ્રસંગે કે બિમ્બસ્થાપના સમયે કે કોઇ ધાર્મિક ઉજવણી ટાંણે સંધનાં ચાર અંગે સાધુ સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એકત્ર થાય છે. આવાં સંમેલનેાના અનુભવથી આપણે ટેવાઇ ગયા છીએ. આજકાલ રાજકીય પુરુષાનાં પ્રમુખસ્થા ઉજવાતા કાર્યક્રમે તા ફેશન જેવા બની ગયા છે. પરંતુ આજ તે આપ સર્વે ‘દ્વાદશાર—નયચક્ર' નામના એક ગ્રંથના પ્રકાશનને પવિત્ર અવસર નિરખવા એકત્ર થયા છે, જે પવિત્ર ગ્રંથના વિગતપૂર્ણ અભ્યાસ અનેક જણે હજી કરવાના છે. આ શ્રધનુ' સસંપાદનકાર્ય એક મુનિશ્રીએ કર્યું છે, જેમની મૂડી અને ઐશ્વર્ય કેવળ તેમની વિદ્વત્તા અને વિદ્યાભકિત છે. આ હકીકત આજના પ્રસંગની વિશેષતા છે. શ્રાવક અને શ્રાવિકાઓનાં લોહીમાં જ શાસ્ત્રદાનની ભાવના રહેલી છે. ગુજરાતમાંથી પ્રાપ્ત થતી અનેક હસ્તપ્રતે અને તેનાં ગ્રંથ સ્વરૂપે થતાં પ્રકારાનમાં આ એક ભાવના સ્પષ્ટ રીતે દેખાય છે. ગુજરાત બહાર પણ આ ભાવના દિગેાચર થાય છે. કર્ણાટકની અત્તિમમ્બે નામની એક પવિત્ર બહેને શાન્તિ પુરાણ નામના કન્નડ કાવ્યની એક હાર નકલે તૈયાર કરાવી અને સમગ્ર દેશમાં તે વહેંચી અને ખરેખર એ બહેને તેમના શાસ્ત્રદાનથી એક ગ્રંથને અંધકારમાંથી લુપ્ત થતા બચાવ્યા. આ રિત મુદ્રણ યુગમાં આપણે પણ ફ્કત હજાર નકલા છપાવીએ છીએ અને કેટલીકવાર તેા તેનાથી પણ ઓછી.
જૈન દર્શનનૈતિક વાસ્તવવાદ તરીકે જાણીતુ છે. આ વાત એક કરતાં વધારે રીતે સત્ય છે. જૈન દર્શનમાં આચાર ધર્મ પાળ ખે હેતુએ રહેલા છે. પ્રથમ તેા તે આધ્યાત્મિક શુદ્ધિને લક્ષ્ય બનાવે છે. બીજુ તે વ્યક્તિને યાગ્ય સામાજિક માનવી બનાવવા ચાહે છે, જે માનવી જવાબદાર નાગરિક અને સદાચારી પડેાશી બની શકે. પ્રથમ હેતુને! ઉદ્ભવ થાય છે જૈનદર્શોનનાકના સિદ્ધાન્તમાંથી. કતા સિદ્ધાન્ત એક સ્વય’ સંચાલિત નિયમન છે, જે નિયભન પ્રમાણે પ્રત્યેક વ્યક્તિને તેના મનથી, કર્માંથી કે વાચાથી કરેલ સારાં માઠાં કનુ ફળ મળેજ છે. કના નિયમનમાં ઇશ્વર માટે પણ માથુ મારવાની શક્યતા નથી. જગતના કર્તા તરીકે શ્ર્વર તત્ત્વને સ્વીકાર જ અહીં કરવામાં આવ્યા નથી. શ્નર કાઈ સ’સારી ઉપર અનુગ્રહ કરી તેને શિક્ષામાંથી મુકિત આપી શકતા નથી, જૈન દનમાં આ પાયાના સિદ્ધાંત છે. આ સિદ્ધાન્ત પ્રમાણે પ્રત્યેક વ્યકિત પેાતાના સુભાગ્ય કે દુર્ભાગ્યને ઘડનાર શિલ્પી બની જાય છે. કર્મના રજની કલ્પના એક સૂક્ષ્મ પદાર્થ અથવા શક્તિ તરીકે કરવામાં આવી છે, જે સૂક્ષ્મ તત્ત્વ જીવને તેનાં વાણી, વિચાર અને કર્માથી સ્પર્શે છે. વાસ્તવિક રીતે તે અનાદિ કાળથી જ પ્રત્યેક જીવ કર્મીની અસર નીચે હોય છે. વ પેાતાનાં પૂર્વનાં કનુ ફળ ભેગવે છે અને નવાં નવાં ક સંપાદિત કરે છે. આ રીતે કમ અને તેનાં ફૂલની
૧૫૬
આત્માનંદ પ્રકાશ
For Private And Personal Use Only