________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૬
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩. ખાસ બેઠક—
અમુક ચોક્કસ કામકાજ માટે ખાસ બેઠક એલાવવા માટે સામાન્ય સભાના પંદર સભ્યોની લેખિત માગણી આવ્યેથી આ માગણી પહોંચ્યાની તારીખથી એક માસની અંદર ખાસ બેઠક લાવવાનુ` મ`ત્રીઓ માટે આવશ્યક રહેશે. આવી ખાસ બેઠક નિયત કરેલા કામકાજ માટે જ મળશે અને તેમાં બીજુ કાઇ પણ જાતનુ` કામકાજ થઇ શકશે નહીં.
૧૪. ખબર.
કલમ ૯( ઝ )ની નોંધને આધીન રહીને બેઠક એલાવવાના ખબર સભ્યોને ઓછામાં ઓછા આઠ દિવસ પહેલાં માકલવામાં આવશે, બેઠક બોલાવવાના પરિપત્રમાં તારીખ, સમય, સ્થળ અને કાર્યવાહી જણાવવામાં આવશે. ખબર ટપાલથી કે પરિપત્ર ફેરવીને આપવામાં આવશે, કાઇ સભ્યને ખબર મળ્યા નથી તેવા ખાધ બેઠકના કામકાજને નડશે નહી.
૧૫. મતાધિકાર.
( ૭ ) દરેક સભ્ય બેઠકમાં હાજર રહી એક મત આપી શકશે,
(ખ) સામાન્ય સભ્ય જે વર્ષોંમાં લવાજમ ભર્યું હશે તે જ વર્ષોંમાં ભરાતી બેઠકમાં હાજર રહી તે મત આપી શકશે.
( ગ ) સ ́સ્થા, સંધ કે જ્ઞાનભંડાર તેમના મતાધિકાર તેમના પ્રતિનિધિ મારત ભોગવશે. તેમના પ્રતિનિધિનું નામ તેમણે મંત્રીઓને લેખિત જણાવવાનુ રહેશે અને તે પ્રતિનિધિ બેઠકમાં હાજર રહી સભ્ય તરીકેના બધા હક્કો ભોગવી શકશે; પર`તુ કોઇ પણ સંસ્થા, સંઘ કે જ્ઞાનભંડાર બંધ પડતા તેમના સભ્ય તરીકેના તમામ હક્કો આપેાઆપ સદંતર બંધ થઇ જશે.
૧૬. નોંધપત્રક ( ૨જીસ્ટર )
સંસ્થાના સભ્યાનું એક નોંધપત્રક ( ૨જીસ્ટર ) રાખવામાં આવશે. આ નોંધપત્રકમાં દરેક સભ્યનું નામ, ઠેકાણું, પ્રકાર વગેરે જણાવવામાં આવશે, જ્યાં પ્રતિનિધિ હશે ત્યાં પ્રતિનિધિનું નામ વગેરે જણાવવામાં આવશે. ઠેકાણાના ફેરફાર જણાવવામાં નહીં આવે ત્યાં સુધી જૂનુ ઠેકાણું ચાલુ રહેશે અને બધા પત્રવ્યવહાર તે ઠેકાણે કરવામાં આવશે.
૧૭, લાયકાત.
કોઇ પણ બેઠકમાં મત આપવાની લાયકાત, મતાની સખ્યા વગેરે બાબતમાં બેઠકના પ્રમુખના નિણુય આખરી ગણાશે.
For Private And Personal Use Only