SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નૂતન વર્ષનું મંગળમય વિધાન. જેઓ પ્રસ્તુત સભાના પેટ્રન છે, જેને ધાર્મિક શિક્ષણસંધ અને નવપદ આરાધક સભાના પ્રમુખશ્રી છે અને જેમને ઉપધાને વહેવા ખાતર સત્તસ સત્તર વર્ષો સુધી કેરીયાગની પ્રતિજ્ઞા હતી, તેઓએ ઉપધાનના મંગલ તપની આરાધના કરી હતી અને સર્વને કરાવી હતી. ઉદ્યાપન પ્રસંગે સમવસરણની રચના વિગેરે મહોત્સવ વર્ગલોકને યાદ કરાવે તે હતે. રાણકપુરમાં પૂ આ૦ મ. શ્રી વિજયોદયસૂરિજી વિગેરે અન્ય આચાર્યશ્રીઓની નિશ્રામાં શૈલેષદીપક પ્રાસાદમાં પ્રતિમાજીઓની અંજનશલાકા તથા પ્રતિષ્ઠાનું મહાન કાર્ય નિધિને સમાપ્ત થયું હતું. શેઠ કસ્તૂરભાઈ લાલભાઇની તે પ્રસંગે હાજરી હતી. મહોત્સવ મહા વદી ૧૧થી ફાશુદ ૫ પૂર્ણ થયા હતા. મુંબઈમાં પૂઆ મ૦ શ્રી વિજયપ્રેમસૂરિ, તથા પૂ૦ મુશ્રી ભાનુવિજયજીના સદુપદેશથી વડીલની રજાપૂર્વક વૈરાગ્યરંગી અનેક ભાગવતી દીક્ષાઓ થઈ હતી. તેમાં માંગરોળનિવાસી શ્રી વસંતકુમાર હીરાલાલની વિશિષ્ટતા હતી. તેઓ ૧૯ વર્ષની ઉમ્મરના છે, તીક્ષ્ણ બુદ્ધિના અને નાનપણથી વૈરાગ્યરંગી હતા. ગત વર્ષમાં શેઠ શ્રી જીવતલાલ પ્રતાપસીના ભત્રીજા શ્રી ઇંદ્રવદનભાઈએ તેટલી જ ઉમ્મરે જ્ઞાનગર્ભિત વૈરાગ્યપૂર્વક દીક્ષા સ્વીકારી, તેના જેવું જ આ બીજું દષ્ટાંત છે. ડભોઈમાં શ્રી યશોવિજયજી સારસ્વત સત્ર પૂ આ શ્રી વિજયપ્રતાપરિ, પૂ આ શ્રી વિજયધર્મસૂરિ, મુશ્રી યશોવિજયજી, શતાવધાની મુશ્રી જયાનંદવિજયજી વિગેરેના સાન્નિધ્યમાં ફાગુન વદી ૭-૮ ઊજવાયું; ૫૦ ઈશ્વરચંદ્રજી તથા રમેલ કોઝ કેટના જજજ શ્રી પ્રસન્નચંદ્ર બદામી પ્રમુખ હતા. તે પ્રસંગે શેઠશ્રી જીવતલાલ પ્રતાપસી, શેઠ વાડીલાલ ચત્રભુજ અને શેઠ પુતમદાસ સરચંદ વિગેરેના પ્રયાસથી લગભગ પચ્ચીસ વર્ષો થયાં બે પક્ષમાં કલેશ હતા તે દર થયો હતાતેમજ ત્યાં જ સ્વર્ગવાસી થયેલ ઉ૦ શ્રી યશોવિજયજીની પ્રતિમાની ગુરુમંદિરમાં પ્રતિષ્ઠા થઈ હતી: થી જ બુસ્વામી જૈન આગમમંદિરનું ઉદઘાટન પણ ત્યાં જ થયું હતું. પૂ આ શ્રી વિજયામતસૂરિજીની નિશ્રામાં મૂહૂંડમાં પ્રતિષ્ઠા થઈ હતી. મુંબઈમાં પૂ આ શ્રી વિજયવલ્લભસૂરિજીના ૬૬ વર્ષ સુધીના ચારિત્ર મહોત્સવની હરક જયંતી મેતીશા પાર્કમાં તા. ૨૭ જુનને દિવસે ઊજવાઈ હતી; પૂ. આચાર્યશ્રીને પ્રમુખશ્રી તરફથી અનેક ફોટાઓ અને લેખ સાથેને હીરક મહેત્સવ અંક સમર્પણ કરવામાં આવ્યો હતો; ચારે ફિરકાઓની સહાનુભૂતિ હતી; શ્રી કાંતિલાલ ઈશ્વરલાલ સ્વાગત પ્રમુખ હતા અને શ્રી શ્રેયસ પ્રસાદ જૈન પ્રમુખસ્થાને હતા. ચાર ફીરકાની એથે સમિતિ પીસ્તાલીશ જણની નીમાઈ હતી, વિવાદાસ્પદ પ્રશ્નો બાજુએ રાખી જૈન સાહિત્યનું ભારત અને યૂરોપ, અમેરિકામાં ઉપયોગી થાય તેવી રીતે પ્રકાશન કરવું, સાધમિક બંધુઓની બેકારી ટાળવી અને ઉન્નતિ કરવી વિગેરે મુખ્ય ઠરા હતા, પ્રસ્તુત ઠરાવ માત્ર યોજનારૂપે જ ન રહે પરંતુ વહેલી તકે સક્રિય બને તેમ ઈચ્છીએ. ગત વર્ષમાં નવમો વૈશાલી ( સંધ)મહોત્સવ પં. રતિલાલજીના પ્રમુખપદે ઉજવાયે; જેમાં સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વપૂર્ણ વ્યાખ્યાને થયાં હતાં; વૈશાલીને પ્રાચીન ઈતિહાસ રજુ થયા હતા. જૈન ધાર્મિક શિક્ષણસંધ પ્રથમ પાઠશાળા પરિષદ. મુંબઈમાં શેઠ માણેકલાલ ચુનીલાલ જે. પી.ને અધ્યક્ષસ્થાને તથા ઘાટકોપરમાં જ્ઞાનરસિક દોશી અમૃતલાલ કાલીદાસના પ્રમુખ સ્થાને તથા શ્રી મનસુખલાલ તારાચંદ મહેતાના પ્રમુખપદે ભરવામાં આવી હતી, જેમાં ઉભયના ભાષણોમાં ધાર્મિક શિક્ષણ સંસ્થાઓનું સંગઠન કરવાની અને શિક્ષકે તૈયાર કરવાની ખાસ સૂચના કરવામાં આવી હતી. સાત ઠરાવો થયા હતા. આ પ્રસંગે શેઠ રમણલાલ દલસુખભાઇ જેઓ આ સંસ્થાના પ્રમુખશ્રી છે તેઓ તથા શ્રી મનસુખલાલ મહેતાએ જેમને ભીમપિતામહ તરીકે સંબોધ્યા હતા તે શેઠ જીવતલાલ પ્રતાપશી પણ હાજર હતા. દિગંબર પ્રાચીન. તમ ગ્રંથ પખંડાગમ કે જે પુષ્પદંત અને ભૂતબલિ આચાર્યવિરચિત પ્રમાણભૂત ગ્રંથ ગણાય છે. For Private And Personal Use Only
SR No.531595
Book TitleAtmanand Prakash Pustak 051 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1953
Total Pages26
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy