SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૮ શ્રી આત્માનંદ પ્રકાશ આ અધિવેશનમાં હજારોની સંખ્યા જેન બહેને બંધુઓની હતી અને નિર્વિને તેની સમાપ્તિ થઈ છે એ પણ એક આનંદને વિષય છે. આ અધિવેશનમાં કોન્ફરન્સ પ્રમુખ રાવસાહેબ કાન્તિલાલ ઈશ્વરલાલ અને જેને નરરત્ન શેઠ કસ્તુરભાઈ લાલભાઈનું ત્યાં આવતાં સ્વાગત હાથીની સ્વારી, બેન્ડ વગેરવડે પૂર્ણ કાઠમાઠથી કરવામાં આવ્યું હતું. અધિવેશનના વિશાળ સુંદર મંડપને જેનોના પરમ ઉપકારી મહાન વિભૂતિ આચાર્યશ્રી વિજયવલ્લભસુરીશ્વરજીની યાદગી નિમિત્તે “વલ્લભનગર” નામ આપવામાં આવ્યું હતું. તેને પાંચ પ્રવેશદ્વાર બનાવ્યા હતા જેના આત્મ, કાંતિ, વલ્લભ, લલિત અને ગુલાબ ગેટ નામ આપવામાં આવ્યા હતા અને ગુલાબી રંગથી સ્થાન, અનુષ્ઠાન, પોષાક, પડદા વગેરેથી ગુલાબી નેમર શોભતુ હતું. પરંતુ ખેદ અને ખામી એટલી જ જોવાતી હતી કે પૂજય આચાર્યશ્રી લલતસૂરિજી મહારાજ કે જે સહાય ને પ્રેરક હતા, તેઓને છ દિવસ પહેલાં સ્વર્ગવાસ થયો હતો. એ ખામી જરૂર દેખાતી હતી, પરંતુ ભાવિ માવ બળવાન છે, જેથી ઉપરોક્ત જણાવેલ શુભ નિમિત્તા સાંપડ્યા છે તે ખુશી થવા જેવું છે. સં. ૧૯૫૮ ની સાલમાં કેન્ફરન્સનું અધિવેશન ગુલાબચંદજી ઠઠ્ઠાના પ્રયત્નવડે શ્રી ફલે ધી પાર્શ્વનાથ ભગવાનની તીર્થછાયા નીચે મળ્યું, જે મારવાડની ભૂમિ હતી. આજે કોન્ફરન્સને સચેતન કરવાના સમયે તે જ મારવાડ ભૂમિમાં જયાં પાર્શ્વનાથ ભગવાન અંકિત વિદ્યાલય છે તે કાલના-મારવાડમાં મળેલ છે. ભાવિભાવ ઉચ્ચ બળવાન ગ્રડેમાં હશે તે ભાવિમાં કોન્ફરન્સ પ્રગતિશીલ થશે તે તે મભૂમિ માન ખાટી જશે. પ્રથમ પરમાત્માના સ્મરણપૂર્વક શ્રી વિજયવલ્લભસુરીશ્વરજીના આશીર્વાદ સાથે બેઠક શરૂ થાય છે. કોન્ફરન્સની બેઠકની શરૂઆતમાં પ્રથમ શેઠ સાહેબ કસ્તુરભાઈ શેઠે ઉદ્ઘાટન કરતાં કરેલું સુચન બહુ મહત્વનું, દિશામાર્ગ સૂચક અનુભવવાળું હતું. તેઓ સાહેબ કેફિરન્સ અત્યાર સુધી તિક્રિય બની છે તેમ સમય જણાવતાં તેના કારણે અને સક્રિય કેમ થાય તેના ઉપાયોમાં જણાવ્યું કે તેમની પાસે કઈ સંગીન કાર્યું હતું નહિ, કેટલાક ધાર્મિક સવાલે ચર્ચા મનરય કેમમાં ઊભું કર્યું અને જૈન કોન્ફરન્સ જૈન સિદ્ધાંતને માન્ય રાખી ચાલનારી હેવી જોઈએ, તેથી ધાર્મિક વિષયો તેમાં લાવવા ન જોઈએ. સેવાભાવી કાર્યવાહક ઊભા કરવા જોઈએ વગેરે. મૂળભૂત મુદ્દાઓ ઉપર કેફિરન્સની નીતિ ઘડાશે નહિં ત્યાંસુધી કોન્ફરન્સ લોકપ્રિય બનશે નહિ વગેરે વક્તવ્યમાં કહી કોન્ફરન્સ ખુલ્લી મૂકી જાહેર કરી હતી. કેન્ફરન્સના સંચાલકે ઉપરોક્ત મુદ્દા પર કોન્ફરન્સને સક્રિય બનાવવી હશે, જીવનવાળી રાખવી હશે, તે તે થા માં રાખી નાવ ચલાવશે તે જરૂર લેબિય, સેવાભાવી બની શકશે. ત્યારબાદ સ્વાગત કમીટીના પ્રમુખ શેઠ મૂળચંદજીએ છજમલજી મારવાડમાં શું નથી અને શું છે તે જણાવ્યું હતું અને હવે પછી સક્રિય કરવાના કેટલાક કાર્યો વગેરે મહત્વતાવાળા જણાવી પિતાનું વક્તવ્ય પૂર્ણ કર્યું હતું. આ અધિવેશનના પ્રમુખ રાવસાહેબ કાતિલાલ ઈશ્વરદાસે પોતાના વકતવ્યમાં જણાવ્યું છે કેગોડવાડ સંઘના મારવાડી બંધુઓએ પિતાને આંગણે જરૂરી વખતે આમંત્રણ આપ્યું તે તેને આભારી છે. પરમપૂજ્ય આચાર્ય મહારાજશ્રી વિજયવલ્લભસુરીશ્વરજી મહારાજશ્રીની જેને સમાજ અને ધર્મ માટે For Private And Personal Use Only
SR No.531555
Book TitleAtmanand Prakash Pustak 047 Ank 06
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1949
Total Pages29
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy