SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧ ( ૩ ) વાર્ષિક મેમ્બરની ફી સં. ૨૦૦૪ થી રૂ. ૫) પાંચ રૂપીઆ રાખવા નક્કી કર્યું. (૪) શ્રી આત્માનંદ પ્રકાશનું લવાજમ પુ. ૪૫ થી રૂ. ૩) ત્રણ લેવા નક્કી કર્યું. (૫) મહેતા શાંતિલાલ ગંભીરદાસનું મેનેજીંગ કમિટીનાં સભ્ય તરીકેનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું અને તેમની ખાલી પડેલી જગ્યાએ શાહ હિરાચંદ હરગોવનને સર્વાનુમતે નીમવામાં આવ્યા. ( ૬ ) તા. ૧૫ મી ઓગસ્ટ ૧૯૪૭ આઝાદ હિન્દ દિનની ખુશાલીનાં સ્મારક તરીકે રૂ. ૧૦૦૦) એક હજાર રૂપીઆ સભાના ચોપડે જમા કરી તેના ચાર ટકાના વ્યાજનાં રૂા. ૪૦) દર વર્ષે સ્વધર્મી જૈન બંધુઓને સહાયમાં વાપરવા નક્કી થયું. અને આ વર્ષથી જ તેની શરૂઆત કરી સભાના સાધારણ ખાતામાંથી રૂા ૫૧) સ્વધર્મો જૈન બંધુઓને સહાયમાં તરતજ આપી તેની શરૂઆત કરવી તેમ ઠરાવ્યું છે. આવતા વર્ષ માટે નવા મારશે અને તૈયાર કરેલી નવી ભૂમિકા. ૧ સભાના કુડાના નાણાના વ્યાજની વિશેષ ઉત્પન્ન થાય, મૂળ નાણું સચવાય તે માટે આ સભા. પેટન સાહેબ શ્રી ભેગીલાલભાઈ તથા વોરા ખાન્તિલાલભાઈ જેઓશ્રી સં. ૨૦૦૪ની સાલના માગશર શુદમાં મળેલી વાર્ષિક જનરલ મીટીંગમાં આમંત્રણથી પધાર્યા હતા; તેઓ સાહેબની રૂબરૂમાં વિચારણું ચાલી હતી. કારણ કે ભવિષ્યમાં આ સભાના માનવંતા સભાસદોને હેટી કિમતના ગ્રંથ વિશેષ વિશેષ ભેટ આપતાં (તેઓશ્રીના લવાજમનું વ્યાજ જે આવે છે તે છતાં ભવિષ્યમાં જ્ઞાનખાતેનો દેષ સભાને કે સભ્યોને ન લાગે માટે ) તે માટે કોઈ તેવી યોજના ઘડવા સબ કમીટી નીમવામાં આવી છે. ૨ આ સભાને પર વર્ષ થયેલા હોઈ તેની જ્યુબીલી સં. ૨૦૦૪ની સાલમાં ઉજવવા માટે પેટ્રન સાહેબની હાજરીમાં તેની ભેજના કરવા એક સબ કમીટી નિમવામાં આવી છે. કે સં. ૨૦૦૪ની સાલમાં પ્રાચીન સ્મરણીય પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજના સભા પરના ઉપકાર નિમિત્તે જે કેળવણી ફંડ કરવામાં આવ્યું તેવા વ્યાજમાંથી તેઓશ્રી સ્વર્ગવાસ તીથી અશાડ સુદ ૧૦ના રોજ દર વર્ષે મેળાવડો કરી કેળવણીના ઉત્તેજનાથે સુવર્ણ પદક અર્પણ કરવાને અમલ કરવામાં આવશે. જ તેઓશ્રીના નામથી જ્ઞાનમંદિર કરવા લીધેલ મકાન નવેસરથી (ફાયરપ્રુફ) તૈયાર કરી આ સભાના ડેઝરર શેઠ અમૃતલાલ છગનલાલને સ્વતંત્ર સુપ્રત થયેલ છે તે તૈયાર થયે તેનું ઉદ્દઘાટન પણ આવતી શાલમાં કરવાનો સભાએ નિર્ણય કર્યો છે. ૫ સભાના આર્થિક સ્થિતિ વધતાં દરેક ખાતાને ખર્ચ, વ્યય વગેરે બાદ જતાં જે રકમ ફાજલ પડે તેના વ્યાજમાંથી કેળવણીને ઉત્તેજન, અસહાયક જેનબંધુઓને એગ્ય સહાય કે બીજી કોઈ બાબતની ચોગ્ય વિચારણા થતાં જે નિર્ણય થાય તેને સદ્દઉપયોગ કરવા માટે પણ મનોરથ સેવાય છે. તે માટે હવે પછી યોજના કરવામાં આવશે. ઉપરોક્ત રીતે વિશેષ ભક્તિ અને સેવાના વિશેષ કાર્યો, સભાની વિશેષ પ્રગતિ થવા વિચારાય છે. મનોરથ, આશા અને પ્રાર્થના. આ પ્રમાણે પ૧ માં વર્ષની જે કાર્યવાહી થઈ તે આપની સમક્ષ રજુ કરી છે, તેની સાથે જરૂરી સં. ૨૦૦૪ના વર્ષની ભૂમિકા નવા કાર્યો કરવાની કાર્યવાહી પણ આપી છે. સભાનો ખર્ચ જેમ વધતું જાય છે For Private And Personal Use Only
SR No.531530
Book TitleAtmanand Prakash Pustak 045 Ank 05
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1947
Total Pages45
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy