________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમારી મારવાડની યાત્રા.
( ઐતિહાસિક દષ્ટિએ ). દરજ ગતાંક ૮ માના મૃ. ૧૮૮થી શરૂ ] ન્સ છે સાદડી.
રાણકપુરજીથી બધાયે સાધુ મહાત્માઓ સાદડી પધાર્યા. સાદડીના શ્રી સંઘે ઉત્સવપૂર્વક બધાને પધરાવ્યા. અહીં જાહેર વ્યાખ્યાન થતાં. બધા એક જ સ્થાને ભેગા થઈ વ્યાખ્યાનો આપતા. મારવાડની પંચતીર્થીમાં સાદડી એક મેટું શહેર છે. મારા ખ્યાલથી ગોલવાડમાં સાદડી મોટું શહેર છે. જેનોની સંખ્યા સારી છે. ધર્માત્મા છે. અવારનવાર વિદ્વાન સાધુ મહાત્માઓનાં ચાતુર્માસ અવશ્ય થાય છે. અહીં સુંદર ચાર જિનમંદિર છે. તેમાં પ્રાચીન પ્રતિમાઓ છે, દર્શનીય છે, ઉપાશ્રય છે, પંચાયતીનો રેપણ સારો છે. આત્મવલ્લભ લાઈબ્રેરી, સ્કૂલ આદિ સંસ્થાઓ છે. સાદડીને સંધ પહેલાં રાણકપુરજી તીર્થનો વહીવટ ચલાવતા. હાલમાં આ ક પેઢી રાણકપુરજી તીર્થનો વહીવટ કરે છે. એ પેઢી પણ અહીં જ છે. રાણપુર જવા ઈચ્છતા ગૃહસ્થાએ રાણી સ્ટેશન યા તો ફાલના સ્ટેશન ઉતરી, સાદડી થઇ રાણકપુરજી જવાનું છે. અહીંથી અમે ઘાણરાવ ગયા.
હે નાથ ! કૃતયુગાદિકમાં પણ દુર્જન લોકે ઉદ્ધત હોય છે તે પછી વિષમ એવા કલિકાળ ઉપર શા માટે કેપ કરે ? ૪.
કલ્યાણપ્રાપ્તિ (આત્મસિદ્ધિ) કરવા માટે કલિકાળરૂપી કટી જ શ્રેયકારી છે, કેમકે અગ્નિ વગર અગર(ધૂપ)ને ગંધ-મહિમા વધતે નથી. પ.
હે પ્રભુ! રાત્રિમાં દીપક, સમુદ્રમાં બેટ, મરુ દેશમાં વૃક્ષ અને શીતકાળમાં અગ્નિ સમાન દુર્લભ એવા આપના ચરણકમળનાં રજકણ અમને કળિકાળમાં પ્રાપ્ત થયેલ છે. ૬.
હે પ્રભુ ! આપના દર્શન (શાસન) રહિત હું કૃતયુગાદિકમાં ભવ અટવી મળે, રખડે છું તેથી જેમાં આપનું દર્શન-શાસન મળ્યું થયું એવા કળિકાળને અમારા નમસ્કાર હે ! ૭.
હે પ્રભુ ! જેમ વિષહારક મણિથી વિષયુક્ત ફણીધર શોભા પામે છે તેમ સંપૂર્ણ દેષ રહિત એવા આપથી બહુ દોષયુક્ત કલિકાળ પણ શેભા પામે છે. ૮.
કલિકાળમાં પણ પુરુષાતન કરી આત્મસાધન કરી લેવા ઉજમાળ થયેલને કરેલ પુરુષાતન અ૮૫ સમયમાં ફળે છે એમ સમજી પ્રમાદ તજી આમવીર્ય ફેરવી શાસનસેવા કરી લેવી જોઈએ. પ્રમાદીને ભય નડે છે. અપ્રમાદીને ભયાદિક દેશે નડતા નથી-દૂર થઈ જાય છે.
For Private And Personal Use Only