________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્તમાન સમાચાર.
ર૬૯
( ૩૦ ) યત વર્ગ.
તિવર્ગ પણ જૈન સમાજનું એક અંગ છે તેમાં સુધારે અને પ્રગતિ થાય અને તેઓ સમાજને ઉપયોગી સેવા આપી શકે એ માટે યોગ્ય પ્રબંધ થવે ઘટે છે. | ( ૧ ) યતિઓ પિતાનું સંમેલન ભરી પિતાની સ્થિતિસંજોગ પર લક્ષ આપી પ્રગતિદાયક સર્વ પગલાં ભરે એ ઈષ્ટ છે.
( ૨ ) શ્રાવક સંઘે તેઓ પ્રત્યે ઉપેક્ષા અને અવગણના ન કરતાં તેઓ ધર્મપ્રચાર તથા સમાજ સુધારા માટે તેમજ કેનરન્સના પ્રસ્તાવના પ્રચાર માટે ઉપદેશક તરીકે સેવા આપી શકે તેમ કરવું જોઈએ અને તે માટે તેમની પાઠશાળા ખોલી શિક્ષણ આપવું જોઇએ ( ૩૧ ) સ્ત્રી કેળવણી.
( ૧ ) આપણુ કેટલીક બહેન સાધનના અભાવે ભણી શક્તિ નથી તે બાબત તરફ ધ્યાન ખેંચતાં આ કોન્ફરન્સ જણાવે છે કે કોઈ પણ જેન કન્યા ભણ્યા વિનાની ન રહે એટલું જ નહિ પણ સંખ્યાબંધ બહેને ઉચ્ચ શિક્ષણ લેતી થાય તેવી યોજનાઓ કરવાની અને તે દિશાએ બને તેટલું દ્રવ્ય ખરચવાની આ કેન્ફરન્સ જેનસમાજને ખાસ ભલામણ કરે છે.
શિક્ષણના વિશેષ પ્રચાર માટે જૈન સમાજમાં કન્યા ગુરૂકુળ સ્થાપન કરવાની આ પરિષદ ખાસ આવશ્યકતા સ્વીકારે છે.
પ્રથમ બીજો અને ત્રીજે ઠરાવ પ્રમુખ સ્થાનેથી મુકવામાં આવ્યો હતો એ ઠરાવ બેકારી ટાળવાને દેશી કુલચંદ હરિચંદે રજુ કર્યો હતો તેનું ભાઈ ધીરજલાલ ટોકરશી મણીલાલ પાદરાકરે સમંથન કર્યું હતું.
પાંચમે ઠરાવ સ્વામીભાઈના સહયોગને અમૃતલાલ કાળીદાસ શેઠે રજુ કર્યો હતો જેને શ્રી મકનજી જે મહેતા તથા શ્રી લલ્લુભાઈ કરમચદે અનુમોદન આપ્યું હતું.
લગ્ન ક્ષેત્રની વિશાળતા માટેને છઠ્ઠો ઠરાવ શ્રી પરમાનંદ કુંવરજી કાપડીયાએ રજુ કર્યો હતો તેને શ્રી મોતીલાલ ચુનીલાલ તથા શ્રી પોપટલાલ રામચંદ તથા ડો. મણિલાલ બાલાભાઈએ અનુમોદન આપ્યું હતું.
સાતમો ઠરાવ પ્રમુખ સ્થાનેથી રજુ થયો હતો. આઠમે ઠરાવ થહિ સંગઠ્ઠનને શ્રી ગુલાબચંદજી ઠઠ્ઠાએ રજુ કર્યો હતે. જેને સમરથલાલ રતનચંદ સીંધી, ચંદ્રકાન્ત સુતરીયા, શ્રી મોતીલાલ વીરચંદ તથા શ્રી મુળચંદ આશારામ વૈરાટીએ અનુમોદન આપ્યું હતું. શાહ બાલચંદ હીરાચંદે નવમાં ઠરાવ સાર્વજનિક ખાતાઓનો વ્યવસ્થિત વહીવટ પદ્ધતિસર રહે અને પરસ્પર સહકાર વધે તે રજુ કરતાં તેને શ્રી રતીલાલ બેચરદાસ, અને શ્રી બુધાલાલ ઉકાભાઈએ તેનું સમર્થન કર્યું હતું.
ત્રીજો દિવસ તા. ૭-૫-૩૪ (બે વખત અધિવેશન મળ્યું હતું) તીર્થના પ્રસંગ અને ૧૦-૧૧-૧૨ ગણું કરા પ્રમુખ સ્થાનેથી રજુ થયા હતા. તે વખતે લીંબડીના દરબારશ્રી ૫ધારતાં તેને પરિચય કરાવતાં ઠાકોર સાહેબે સમયોચિત ભાષણ કર્યું હતું.
શિક્ષણ સંસ્થાઓનું સંગઠન કરવાને તેરમો ઠરાવ પંડિત સુખલાલજીએ રજુ કર્યો તે તેને શ્રી લાલચંદ કેશવલાલ મોદી, શ્રી ગણપતલાલ મોહનલાલ અને ધીરજલાલ ટાકરશી શાહે અનુમોદન આપ્યું હતું.
For Private And Personal Use Only