SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ. અને જરૂરીયાત હોય ત્યાં લાલ, પીળા રંગના સંકેતોને વ્યવહાર પ્રાચીન કાળથી ચાલ્યા આવે છે તે નિયમ પણ સંપાદકે એ પૂર્ણ ધ્યાનમાં રાખવા જોઈએ. તેમજ બીજી રીતે ગ્રંથને સુબોધક, સર્વપ્રિય, અને સમય બચાવવાવાળ કરવા માટે પ્રકાશિત કરતી વખતે ગ્રંથની આવશ્યકીય સૂચિમાં દાખલ કરવી તે પણ સંપાદકનું પ્રધાન કdવ્ય છે. જાણવા પ્રમાણે મુર્શિદાબાદ નિવાસી રાયબહાદુર ધનપતિસિંહજીએ ઘણું જ દ્રવ્ય ખરચીને જૈન આગમો, ગ્રંથે સંપાદિત કરાવી પ્રકાશિત કર્યા, પરંતુ અમારે કહેવું પડે છે કે તે પુસ્તકોમાં રહેલ અશુદ્ધિઓના કારણથી વિદ્વાનોમાં યથાગ્ય સન્માનિત ન થયાં જેથી તેના માટે શ્રદ્ધેય ડોકટર હૈર્નલ સાહેબે નીચે પ્રમાણે જણાવે છે. "As an edition it is worthless, being made with no regard whatsoever to textual or grammatical correctness, both in its Sanskrit and Prakrit Portions. ” ( pasakadasha Bibliotheca India Series, Introduction l'age XI, Calcutta 1890. આવૃત્તિ તરિકે તે નકામું છે; કેમકે વસ્તુની અથવા વ્યાકરણની સુધારણું સંસ્કૃત તથા પ્રાકૃત ભાગમાં થઇ નથી. (ઉપાસકદશાંગ, બીબ્લીઓથીકા ઇંડીઆ સીરીઝ ઇન્ટ્રોડકશન પાનું ૧૧ કલકત્તા ૧૮૯૦) તે કેવલ અસાવધાનીનું ફળ છે. તેટલા માટે ઉપયુંકત વિષય પર ધ્યાન રાખી સંપાદન કાર્ય સદા ધર્યતા રાખીને કરવું જોઈએ. બંગાલની પ્રસિદ્ધ એશીયાટીક સોસાયટી તરફથી ડોકટર હાલે શ્રી ઉપાસક દશાંગ, નામને આગમ ગ્રંથ સાનુવાદ સંસ્કરણ પ્રકાશિત કરેલ છે, તે અમારા જેવામાં આવ્યું છે તે ગ્રંથના મુકાબલામાં ભારતવર્ષમાં પ્રકાશિત થયેલ કઈ પણ ગ્રંથ આવ્યો નથી. તે ગ્રંથ સંપૂર્ણ આવશ્યકીય ટીકા, ટિપgણીઓ અને સૂચિ સહિત શુદ્ધ સંસ્કરણ છે. હાલમાં અમેરીકામાં હાર્ટલ સાહેબે પૂર્ણભદ્ર ગણિ કૃત પંચતંત્રનું એક સંસ્કરણ સંપાદિત કરેલ છે, તે કાર્યમાં લગભગ ૯૦ હસ્તલિખિત પુસ્તક ઘણુંજ મહેનતે દૂર દૂર દેશથી એકત્રિત કરીને મૂળ સાથે એક એક અક્ષરો મેળવી તૈયાર કરેલ છે. કેટલાક પાઠાંતરે અને કથાઓના હેર ફેર હેવાથી તે પર સતર્ક વાદાનુવાદ કરેલ છે. ભૂલનું પરિશોધન અને ઉપર્યુકત પ્રસ્તાવના અને પરિશિષ્ટાદ્વારા ગ્રંથને વિભૂષિત કરવાનું કામ તેનું જ છે એમ તેમાં જોડાયેલ છે. એટલા આંતરિક ગુણો હિોવા છતાં બાહ્ય રૂપપર પણ ઓછું ધ્યાન આપેલ નથી. અમોએ આજસુધી એટલું સુંદર સંસ્કરણ કોઈ પણ દેશી પુરતમાં દેખાયું નથી, જેથી અમે For Private And Personal Use Only
SR No.531334
Book TitleAtmanand Prakash Pustak 029 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1931
Total Pages49
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy