SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મનનું રહસ્ય. ૧૫ સેવન કરો. તમે સર્વ પ્રકારની ઉત્તેજનાઓથી બચી શકે છે. હમેશાં સત્સંગ કરે. સશાસ્ત્રોના સ્વાધ્યાય કરી, ઉચ્ચ ભાવના રાખે, સહિત આંકારના જપ કરો. બધાયે કુવિચાર આપે।આપ નષ્ટ થઈ જશે. અ અને ભાવના વાણીના માન કરતાં મનનું માન ઘણે દરજ્જે સારૂ છે. મૌનની પ્રવૃત્તિ આપે।આપ સ્વાભાવિક રીતે જ થવી જોઇએ. માન માટે બળપૂર્વક પ્રવૃત્ત થવુ એ તા કેવળ મનની સાથે યુદ્ધ કરવા જેવું છે. એ તે એક પ્રકારની કસરત છે. જો તમે સત્યને વળગી રહેશે। તે માન પાતાની મેળેજ આવી જશે, અને ત્યારે જ અક્ષય શાંતિ પ્રાપ્ત થશે. જ્યારે મનેાવિકાર અને વાસનાએ તમને ઉદ્વિગ્ન કરે ત્યારે તમારે તેનાથી ઉદાસીન થઇ જવું જોઇએ, અને ચિ ંતન કરવુ' જોઇએ કે હું કેણુ છું ? હું મન નથી, હું આત્મા છું, શુદ્ધ સચ્ચિદાનંદ છુ, તે પછી મનેાવિકાર મને કેવી રીતે પરાજિત કરી શકે છે ? હું નિ`િસ છું, હું આ મનેાવિકારોને સાક્ષી છું, મને કોઇપણ અડચણુ નથી કરી શક્તું. ” જો તમે આવા પ્રકારના વિચાર વાર વાર કરશે તે મનેાવિકાર આપોઆપ નષ્ટ થઇ જશે. આ જ્ઞાનક્રિયા મનેવિકારાને વશીભૂત કરવામાં જેટલી સરળ અને સહેલી છે તેટલી ચિ ત્તવૃત્તિઓના વિધરૂપ ચોગક્રિયા નથી. મનની સાથે દ્વન્દ્વ યુદ્ધ ન મચાવેા. એનાથી શક્તિને નકામે હાસ થાય છે. એનાથી સંકલ્પ શક્તિ નખની પડી જાય છે. સત્યમાં નિવાસ કરે. માં વિચરા. વિચાર, સદ્ભાવના અને નિદિધ્યાસન દ્વારા આત્મામાં રમણ કરે. બધાયે વિઘ્ના, અશુભ નિયમે, મનેવિકારો આપેાઆપ દૂર થઇ જશે. આ વિચાર-પદ્ધતિની ઉપયોગિતાના અનુભવ કરા, તેને માટે પ્રયત્ન કરે, અભ્યાસ કરો, અને મનન કરો. વિષયાત્મ ( Subjective mind) વાસનાત્મક ( Subconscious mind ) કારણાત્મક ( Unconscious mind) મન તથા ચિત્ત-એ બધા પર્યાયવાચી છે. જુદા જુદા ગ્રંથકારો જુદા જુદા શબ્દોના ઉપયાગ કરે છે. એનાથી ન ગભરાએ. એ તે કેવળ શબ્દજાળ છે. વિષયાકાર મન અને પ્રબુદ્ધ મન પર્યાયવાચી શબ્દો છે. વિષયાકાર મન દ્વારા જ આપણે દેખીએ છીએ, સાંભળીએ છીએ અને શીખીએ છીએ. સમષ્ટિ ચિત્ત, આધ્યાત્મિક ચિત્ત, અનંત ચિત્ત અને સાવ ભામ ચિત્ત, પર્યાયવાચી છે. એનાથી ન ગભરા. જ્યારે ચિત્તમાં શાંતિ થાય છે અને સર્વ પ્રકારના ભાગેા પ્રત્યે વિરક્તિ થાય છે, યારે શક્તિશાળી ઇંન્દ્રિયા અંતર્મુ`ખ બને છે અને અજ્ઞાનના નાશ For Private And Personal Use Only
SR No.531334
Book TitleAtmanand Prakash Pustak 029 Ank 01
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1931
Total Pages49
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy