SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૬ શ્રી આત્માનંદ પ્રકાશ. ===g=d=05o પ્રશ્નોત્તર. 8 ====== વાસદ ગામથી શાહ ત્રિભુવનદાસ ગંગાદાસે આ સભાને પુછેલા પ્રશ્ન તેના ઉત્તર સાથે તેમની સુચનાનુસાર આ માસિર કમાં નીચે પ્રમાણે પ્રગટ કરવામાં આવે છે. (કમીટી) પ્રશ્ન–કેરી બારે માસ આવે છે, તે આદ્રા નક્ષત્ર પછી બીજી રૂતુની કરી (મદ્રાસી ટોટી કેરી) ખાઈ શકાય કે કેમ? ઉત્તર–આ નક્ષત્ર પછી થતી કેરી જે દેશમાં થતી હોય ત્યાં ખાઈ શકાય, પરંતુ આ નક્ષત્ર પહેલાં થતી કેરી જે પ્રદેશમાં થતી હોય ત્યાં ખાઈ ન શકાય, કારણ કે ત્યાં આદ્રા નક્ષત્ર બેસતાં વાતાવરણ એવું બને છે કે તેમાં જીવની ઉત્પત્તિ થઈ જાય છે. પ્રમ–૨ દેરાસર સાંકડું હોય ને બદલવાના કપડાં દેરાસરજીમાં રહેતાં હોય તો તે કપડાં દેરાસરજીમાં બદલાવી શકાય કે કેમ ? ઉત્તર–દેરાસર સાંકડું હોય તે પણ તેના ગર્ભદ્વાર કે મંડપમાં બદલવાનાં કપડાં પ્રભુની દૃષ્ટિ આગળ બદલી ન શકાય. પ્રશ્ન–૩ દેરાસરજીના ભંડારમાંથી કાઢેલા ચોખા ચારણુવડે ચાળીને આપતાં તેમજ દેરાસરમાં તોળતાં અતિચાર લાગે કે કેમ ? ઉત્તર-દેરાસરજીના ગર્ભદ્વાર કે મંડપ સિવાયના બીજા ભાગમાં ચોખા ચાળે કે તે તેમાં બાધ નથી. પ્રશ્ન–૪ દેરાસરમાં ચૈત્યવંદન કરતી વખતે કરેલો ચોખાને સાથીઓ સૅયવંદન કરી રહ્યા પછી કરનાર ધણી ભાંગે તો કાંઈ દોષ લાગે? ઉત્તર–ચૈત્યવંદન કરી રહ્યા પછી સાથીઓ શામાટે ચૈત્યવંદન કરનાર ધણીએ ભાંગ જોઈએ ? બાકી સ્વાભાવિક તેમ બને તે પછી દોષ નથી. પ્રશ્ન—૫ દેરાસરમાં મુકેલ ફળ-બદામ પાછી કિંમત આપીને લઈ શકાય કે કેમ ? અને લે તે દેષ લાગે કે કેમ ? ઉત્તર–દેરાસરજીમાં મુકેલ ફળ કિંમત આપીને પણ શ્રાવકે ખરીદ કરાય નહિં. ખરીદ - કરે તે દોષ લાગે. ૧ જૈન ગૂર્જર કવિઓ ભાગ ૨ ભેટ મળેલ છે. સમાલોચના હવે પછી. For Private And Personal Use Only
SR No.531333
Book TitleAtmanand Prakash Pustak 028 Ank 12
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1930
Total Pages43
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy