SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૪ શ્રી આત્માનંદ પ્રકાશ. હતું અને પાલનપુર જેન બેડીંગના વિદ્યાર્થીઓએ નામદાર ઠાકોર સાહેબના પ્રમુખપણું નીચે ટેનીસકલબમાં અંગકસરતના ઘણજ સરસ પ્રયોગો કરી બતાવ્યા હતા. નામદાર ઠાકોર સાહેબ ટુકડીને મળવા માટે આમંત્રણ મોકલ્યું હતું અને મંડળ તેમના કેપ્ટન સાથે નામદાર ઠાકોર સાહેબની મુલાકાતે ગયું હતું. ત્યાં એક બીજાઓને હારતોરા આપવામાં આવ્યા હતા અને મંડળની પ્રશંસા ઠાકોર સાહેબે કરી હતી, ભાવનગર સ્ટેટ રે તરફથી સીહાર અને પાલીતાણાના દસ કીપાસ આપવામાં આવ્યા હતા અને સ્ટેશન માસ્તરોએ અને ગાડે સારી મદદ આ કાર્યમાં કરી હતી. આ જગ્યાએ ૧૧૦ સ્વયંસેવક હતા. શ્રી પાલનપુર જૈન બોડીંગ, શ્રી જૈન સેવાસમાજ, શ્રી જૈન ગુરૂકુળ, અને શ્રી જૈન બાળાશ્રમ. આ વરસે એકપણ ચોરી થઈ નથી. એક ખેદજનક અવસાન-શ્રી પાલીતાણા જૈન સેવાસમાજના મેમબર ભાઈ વલ્લભદાસ છગનલાલ ઉપરોકત ટુકડીઓ સાથે કાર્ય કરતાં માંદગીને બીછાને પડી માત્ર ત્રણ દીવસમાં અકાળ મૃત્યુને શરણ થયા તે બદલ એક દીલગીરી દર્શાવવા સભા ભરાઈ હતી તથા તેમના કુટુંબી જનોને આશ્વાસન આપવા ગયા હતા–બાદ ટુકડી ઘણી સારી વ્યવસ્થા કરી, કારતક વદ ૫ના પાછી ફરી હતી.. “ગ્રંથાવલેકન.' શ્રી હીરપ્રશ્ન (પ્રશ્નોત્તર ગ્રંથ)–આ સંસ્કૃત ભાષામાં પ્રસિદ્ધ થયેલો ગ્રંથ શ્રી હંસવિજ્યજી જેન કી લાઈબ્રેરી અમદાવાદ તરફથી છપાયેલ છે તેમાં જાણવા જેવી અનેક બાબતોના ખુલાસાઓ છે. મુનિરાજ શ્રી ચતુરવિજ્યજી મહારાજે શોધી તૈયાર કરેલ છે જેથી તેનું સંશોધન ઉત્તમ થયું હોય તે સ્વાભાવિક છે. ખાસ વાંચવા લાયક છે “ શ્રી જીવવિચાર વૃક્ષ”—મુનિરાજ શ્રી સંપત્તવિજયજી તરફથી આ સારા કાગળ ઉપર રંગીન છાપેલ જીવ વિચાર વૃક્ષ અમોને ભેટ મળેલ છે. પ્રકરણ છવ વિચારમાં આવતા છના તમામ ભેદનું વર્ણન (નામ) નો આ વૃક્ષમાં સમાવેશ કરેલ છે. વળી તે ગુજરાતી ટાઈ પમાં રંગીન શાહીથી શુદ્ધ છપાયેલ છે. તેના સેજક મુનિરાજ સંપત્તવિજયજીના શિષ્ય મુનિરાજ શ્રી ધર્મવિજયજી છે. ઉક્ત મુનિરાજે શ્રમ લઈ આ વૃક્ષ તૈયાર કરવામાં પ્રકરણ (જીવ વિચાર ) ના અભ્યાસીઓ માટે ઉપકારદાયક કાર્ય કર્યું છે. પ્રકરણોનું શિક્ષણ આપવા માટે આવી પદ્ધતિ તે શીખનાર માટે સરલતાવાળી થઈ પડે છે. એમ અમે માનીયે છીયે તેની કિંમત જગુવી નથ પ્રસિદ્ધ કર્તા-શાહ વેણચંદ સુરચંદ સેક્રેટરી-- શ્રી આગામોદય સમિતી. ખેદજનક મરાણુ. રાધનપુરના જાણીતા શહેરી વકીલ અને ધર્મિષ્ટ પુરૂષ બંધુશ્રી ભુદરદાસ ગઈ કારતક ૧૦ ના રોજ ઘેડા વખતની બીમારી ભોગવી સમાધિપૂર્વક પચત્વ પામ્યા છે. આ બંધન જ્ઞાનના અભ્યાસી, બારવ્રતધારી શ્રાવક, હૃદયના સરલ, માયાળુ અને દેવગુરૂ ધર્મના પ્રદાન સક હતા. તેમનું જીવન ધર્મમય હતું તેવું જ છેલ્લી ઘડી સુધી રહ્યું હતું. તેઓ ઉચ્ચ કરવાની પુરૂષ હતા. રાંધનપુર શહેરના જાહેર કાર્યોમાં પણ ભાગ લેતા હતા. આવા એક નરરત અભ્યાસ વાસથી અમે દીલગીર થયા છીયે. તેવા પુરૂષની માત્ર રાધનપુરને નહિં પરંતુ જેન કેર સ્થા.. પડી ગણાય. તે સ્વર્ગવાસી પુણ્યાત્માને અખંડ શાંતિ પ્રાપ્ત થાઓ. છેવટે તેમના સુખ કઈ વિગેરેને દિલાસે આપવા સાથે એ સ્વર્ગવાસી આત્માના પગલે ચાલવા સુચના કરે, For Private And Personal Use Only
SR No.531242
Book TitleAtmanand Prakash Pustak 021 Ank 05
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1923
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy