________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચિત્ત શુદ્ધિ.
૧૧૫ આવવાની અને ચાલ્યા જવાની સ્થિતિ વચ્ચે કંઈ ફેર પડે છે કે નહિ તે
તપાસ. તમે તે વિચારને પ્રબળ બનાવ્યો છે કે નહિ તે જુઓ. ૨૫ જેમ અન્નથી સ્થલ દેહ પિોષાય છે તેમ વિચારોથી માનસિક દેહ પોષાય છે. ૨૬ કોઈપણ કાર્ય હાથમાં છે તેમાં પૂરેપુરૂ ચિત્ત પરે, પછી પડતું મૂકી ઘો.
આમ કરવાથી અમુક મહિનાની આખેરીએ એકાગ્રતાની શકિત વધી ગઈ હશે. ૨૭ કેઈપણ અશુભ વિચારને ઠેકાણે શુભ વિચાર કરે. જે ક્રોધ આવે તો શાંતિનો
વિચાર કરે. જે તિરસ્કાર આવે તે પ્રેમને વિચાર કરે. જે કોઈ માણસ માટે અશુભ વિચાર આવે તો તેનામાં જે સગુણ હોય તેને અથવા જે
કંઈ સત્ કાર્ય તેણે કર્યું હોય તેને વિચાર કરે. ૨૮ કઈ પણ માણસ માટે સારે કે ખરાબ વિચાર કરવાથી તેની અસર આપણને
થયા વગર રહેતી નથી. કો વિચાર આવવા દે અને કયો વિચાર ન આવવા દેવો તેની પસંદગી કરે. આપણે આપણા વિચારથી બીજાને અસર
કરીએ છીએ અને બીજાના વિચારની અસર આપણને થાય છે. ૨૯ તમારે ક્યા વિચાર કરવા અને ક્યા ન કરવા તેને નિશ્ચય કરવાથી જ લગભગ
અડધી ફતેહ થઈ છે. ૩૦ વિચાર લોહચુંબક સમાન છે. ૩૧ વિચારથી માણસ ઉદ્ધારક, સહાયક બની શકે છે. એ તક લેવી તે દરેકના
હાથમાં છે. ૩૨ આપણા બંધન બાંધનાર પણ આપણે છીએ અને મુક્ત કરનાર પણ આપણે છીએ. બંધનમાં પડ્યા રહેવું કે મુક્ત થવું તે પિતા પોતાના હાથમાં છે.
આખા માસ દરમ્યાન દરરોજ એક એક નિયમ પર શાંતિથી વિચાર કરવાથી મહિનાની આખેરીએ વિચાર શક્તિનો નિગ્રહ અને વિકાસ અમુક અંશે થશે. પ્રભુ ભગવાન શ્રી મહાવીર સ્વામી અને સર્વ તીર્થકરોની આશીષથી હદય પૂર્વક પ્રયત્ન કરનાર આત્માનંદની પ્રાપ્તિ કરે એજ શુભેછા ! હ8 તત્વ સર્ા.
શિષ્ય.
For Private And Personal Use Only