SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૮ શ્રી આત્માનંદ પ્રકાશ. શ્રાવક સંસારના આ અવિભકતપણાના તત્વને માટે આજકાલ અવ્યવસ્થા થઈ પડી છે. શ્રાવકના નવીન તરૂણે જરા વ્યવહારમાં કુશળ થયા કે તરત પિતાના વડિલ પાસે દાગ ભાગ લેવા તૈયાર થાય છે. એક વડિલના નામથી ચાલતી વ્યાપારની શૃંખલાને છિન્ન-ભિન્ન કરી નાખે છે અને વિભક્ત થઈ ગૃહની જામેલી પ્રતિષ્ઠાને મહાન હાનિ પહોંચાડે છે. એક મહાન વ્યાપારની પેઢીને ખંડિત કરી વ્યાપારના પ્રવાહને સ્મલિત કરી નાખે છે. જે કુટુંબ ધન સંપત્તિના અભા. વથી સ્વતંત્ર વ્યાપાર કરવાને અશકત છે, અને તેથી જે સેવાવૃતિવડે પિતાને નિર્વાહ ચલાવતું હોય છે તેવું કુટુંબ જે વિભક્ત હિ તે તે કુટુંબના આશ્રિતને વિશેષ લાભ થાય છે, પણ જે કુટુંબ એક મોટા વ્યાપારની પેઢી ચલાવતું હોય, તે કુટુંબને વિભક્ત થવામાં મોટી હાનિ થાય છે. એ તે નિર્વિવાદસિદ્ધ છે. કદિ કેળવણી વગરની અને લઘુ વૃત્તિવાળી અ૯પમતિ અબળાઓની વચ્ચે અણબનાવ ઉત્પન્ન થાય, પણ પુખ્ત વિચાર ધારણ કરનારા પુરૂષોએ તે સંપ રાખી અવિભક્તપણું ટકાવી રાખવું જોઈએ. - સાંપ્રતકાલે અવિભકતપણાનું તત્વ નિબળ થવાથી શ્રાવક સંસાર ઉચ્ચ સ્થિતિમાં આવતા નથી. ઉછરતા તરૂણે સ્ત્રીઓને આધીન થઈ જાય છે, તેથી તેઓ તત્કાળ વિભક્ત થવાનો પ્રયાસ કરવા માંડે છે. અને તેને માટે વડિલેને અનેક રીતે પજવે છે. અનેક પ્રતિષ્ઠિત કુટુંબ સ્ત્રીઓના કંકાસને લઈને વિભક્ત થયેલા છે અને થાય છે અને તેમ થવાથી કુટુંબની પ્રતિષ્ઠાનું શિખર તુટી જાય છે. કેટલા એક કુટુંબમાં પુરૂષ વર્ગ સમજુ હોવાથી ત્રિયારાજ્યનું બલ ચાલતું નથી એટલે તે કુટુંબ માત્ર રસોડાને વ્યવહાર ભિન્ન ભિન્ન કરી પિતાની પ્રતિષ્ઠાને સાચવે છે. તેવી જાતનું અવિભક્તપણું ઓછું હાનિકારક છે. સુજ્ઞ પુરૂષોએ આ ઉપરથી સમજવાનું છે કે, અવિભક્તપણુના તાવને અબાધિત રાખી શ્રાવક સંસારને નિરાબાધ કરો. ૬ વર્તણુક. (વર્તન) શ્રાવક સંસારને ઉત્તમ કેટીમાં લાવવાનું છછું તત્વ વર્તણક છે. ઉત્તમ પ્રકારનું વર્તન રાખવાનું શિક્ષણ જે કુટુંબમાં મળે છે, તે કુટુંબમાં શ્રાવકસંસાર નમુનાદાર બને છે. શ્રાવક પુરૂષ શુદ્ધ વ્યવહારને અને વડલાની ઉત્તમ રીત રીવાજને માન આપી વર્તનારે હવે જોઈએ. ધૈર્ય વીર્ય અને ધર્મ દાનની લક્ષમી વડે યુક્ત એવો શ્રાવક સંતોષી થઇ પોતાના ગૃહ-સંસારમાં પ્રસન્ન રહેવું જોઈએ ગૃહ-સંસારને શોભાવનારી શ્રાવિકાને સર્વોપરી યશ તેના સતીપણામાં–પતિત્ર તમાં–કુલવધપણુમાં–શીલમાં હા જોઈએ. તેણુએ પિતાના શ્રાવક પતિને સર્વસ્વ અર્પણ કરવું જોઈએ; શ્રાવક દંપતિનું પ્રેમ શર્ય સ્વધર્મના વિષયમાં હોવું જોઈએ, આર્ય જૈન રમણીઓ જ્યારથી વિવાહિત થઈ છે, ત્યારથી પ્રેમની ઉત્તમ નીતિઓ For Private And Personal Use Only
SR No.531242
Book TitleAtmanand Prakash Pustak 021 Ank 05
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1923
Total Pages28
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy