________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વઓળખાણ સંબંધી સ્થળ વિચારણા.
૨૮૯
સ્વ લખાણું સબંધી સ્થળ વિચારણા.
લે–વકીલ નંદલાલ લલુભાઈ વડોદરા. ભગવંત મહાવીર પરમાત્માએ એના હિતના માટે ફરમાવેલું છે કે દરેક જીવ પોતે જે ગતિમાં ઉત્પન્ન થયે હોય તે ગતિમાં કઈ દિશાથી આવ્યું અને કઈ દિશામાં પાછો પોતે જવાનો છે? એની વિચારણા હમેશ તેણે કરવી જોઈએ, અને વિચારણ કરનારજ પોતાનું જીવન શુદ્ધ બનાવી શકશે.
૨ કેવળ જ્ઞાનીઓએ દ્રવ્ય અને ભાવ એ બે દિશાઓમાં જ સ સારમાં જમણ કરે છે, તેમાં જ તેઓ ઉપજે છે. અને વિણશે છે. એમ પિતાના જ્ઞાનથી જાણ્યું છે. તે પ્રત્યેકના અઢાર અઢાર ભેદ છે.
૩ દ્રવ્ય દિશાનું જ્ઞાન સાધારણ રીતે ઘણા માણસને હવાને સંભવ છે. પુર્વ પશ્ચિમ, દક્ષીણ અને ઉતર એ ચાર મુખ્ય દિશાઓ છે. અગ્નિ, નૈરૂત્ય, વાવ્ય, અને ઈશાન, એ ચાર વિદિશાઓ છે. એ આઠની વચમાં જે ખાલી ભાગ રહે છે. તેના જ્ઞાનીની દૃષ્ટિએ આઠ ખાલી દીશાઓ રહે છે. તેથી તેના આઠ ભાગ થાય છે. એમ આ તી છલકની શોળ દિશાઓ થાય છે. એ ઉપરાંત એક અધોલકની એક દિશા અને એક ઉદ્ઘલેકની એક દિશા જેને વિમળ દિશા પણ કહે છે. એમ દ્રવ્ય દિશાના અઢાર ભેદ થાય છે.
૪ આ મનુષ્ય ભવમાં આપણે જનક માતાના ગર્ભમાં આપણે જીવ ઉપર બતાવેલી અઢાર દ્રવ્ય દિશામાંથી કઈ દિશામાંથી આવીને ઉત્પન્ન થયો ? એજ મહત્વની વિચારણા છે.
૫ આપણને આ મનુષ્ય ભવમાં સામાન્ય રીતે મતિ અને શ્રુતજ્ઞાન અથવા મતિ અને શ્રુત અજ્ઞાન એ ચારમાંથી કઈ બે ભેદનું જ્ઞાન છે. જે જીવોને સમ્યકત્વ ઉત્પન્ન થયેલું છે, અથવા જેમને સમ્યકત્વ પુર્વ ભવથી ચાલતું આવેલું છે, તે જીવનું જ્ઞાન, મતિ અને શ્રુત જ્ઞાનની કેટીમાં આવી શકે છે. તે સિવાયનાનું મતિ અનેશ્રુત એ મતિ અને શ્રુત અજ્ઞાનની કેટીમાં આવે છે. જીવ સમ્યકત્વવાન છે કે નહીં, એ વિશિષ્ટ જ્ઞાનીઓ સિવાય બીજા જાણી શક્તા નથી. આપણને જાતિસ્મરણ જ્ઞાન નથી. તેમ હાલના સમયમાં અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાનીઓને અભાવ છે. તેથી આપણે આ અઢાર દિશામાંથી કઈ દિશામાંથી આવી માતાના ગર્ભમાં ઉત્પન્ન થયા એ જાણી શક્તા નથી. આપણે આપણું જન્મભૂમિ કે રહેવાના સ્થાનથી મુસાફરી નિકળી બીજે સ્થળે જઈએ છીએ, ત્યાં આપણને પ્રશ્ન પુછવામાં
For Private And Personal Use Only