SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હાલ તાત્કાલીક શું કરવું? ૨૭૧ હોય તેમ છતાં સામગ્રી ન મળે તે વધારે સરળ અને વ્યવહારૂ જનાથી સામગ્રી મેળવવી. સ્થાન અને ચાલુ મકાન કે નવું મકાન તૈયાર કરાવવું જોઈએ. ફંડ એકઠું થવા લાગે. આવી મોટી હીલચાલથી કામ શરૂ કરવું જોઈએ. આવી મેટી હીલચાલ આ મંડળે કરવી (જેનું નામ કેન્દ્ર આગળ ઉપર આપ્યું છે) પછી એકાદ વર્ષમાં કે બે વર્ષમાં પૂર્ણ સગવડ એકઠી કરી તૈયારી થઈ ગયા પછી તુરત ઉમેદવારે અને પગારદારો અમુક ટાઈમે આવી જાય તે પહેલાં બિલકુલ કઈ ન જોઈએ. માત્ર સગવડ મેળવતી વખતના માણસે આવશ્યક જ છે. આટલી અંદરની સગવડ કરવી. સંસ્થાની બધી સામગ્રી મેળવતાં પહેલાં જે જે પ્રવૃત્તિઓ કરવી તેમાં ખર્ચવા ખાતર એક સારી રકમ જોઈએ, અને તે રકમ આપનાર ખરેખર જૈન શાસનને ઉદય કરનારી આ સંસ્થાનો મજબુત પાયે નાંખી શકશે. જ્યાં સુધી આ કામને માટે પ્રાથમિક રકમ આપનાર કોઈપણ જૈન ગૃહસ્થ ન મળે ત્યાં સુધી એમજ માનવું કે હજુ જૈન સમાજમાંના લોકો પિસા ખર્ચે છે પણ કેમ અને કેવી રીતે ખર્ચવા તેનું તેમને હજુ જ્ઞાન જ નથી. જે આ સંસ્થાની કીંમત સમજે છે, જે ખરા કામની કીંમત સમજે છે, જે બાહ્ય નામે ખાતર કે ટુંક બાબતમાં પૈસા ખચી વાહવાહથી ભેળવાઈ જનાર ન હોય અને મહાવીર તરફ પૂરો પ્રેમ હોય, મહાવીરના શાસનની ઉન્નતિ કરવા પ્રેમી હોય તેજ આ પ્રમાણે પિસા આપી શકે. પણ તેણે યાદ રાખવાનું કે આવું મોટું કામ શરૂ થાય અને તેનું નામ છુપું રહી જાય એ બનશે જ નહીં. આપ આપ તેનું નામ જેન કોમના અને જૈન શાસનના ઈતિહાસમાં કાયમથી રહી જવાનું, કેમકે આવા મોટા પાયા પર શાસનને ઉદય કરનારી આ સંસ્થા એક જૈન શાસનને ઐતિહાસિક બનાવ ગણાશે. તેની નેંધ પ્રસંગે તેના પાયામાં તેનું મૂળ રોપવામાં કામ કરનારા અને તેમાં પૂર્ણ સિાની મદદ આપનારની નોંધ અવશ્ય રહેવાની જ. આવી રીતે સમજાયા છતાં પણ જે પૈસા આપનાર ન મળે, આ કામમાં પૈસા આપવા એ પનાની ફરજ ન સમજે એવા પૈસાદારે કદી શાસનના ઉદયની વાત કરી દંભ ન કરે. એવી એક પણ વ્યક્તિ ન મળે તે પછી હજુ જૈન શાસનને યોગ્ય કામ કરવાની વાર છે. બાકી બીજા નાના નાના કામમાં છુટા છવાયા પૈસા ખર્ચી નાખવાથી સંતોષજનક ફળ નથી. આ ઉપરથી એ કહેવા ધારું છું કે વેતામ્બર જૈન સંઘમાંથી યોગ્ય રીતે કામ કરનાર, કામમાં પૈસા આપનાર, કામ કરવા સબળ લાગણું ધરાવનારા, સંસ્થાના કેઈ પણ વિભાગમાં કામ કરી શકે તેવાઓને એકઠા કરવા અને તેઓ આગળ બતાવી ગયા તેવું મોટું કામ ઉભું કરે તેવી ગોઠવણમાં ગુંથાઈ જાય એવા મંડળને હું કેન્દ્ર કહું છું. આવું કેન્દ્ર પોતાનું કામ કર્યું જાય, તેને અંગત જરૂ. For Private And Personal Use Only
SR No.531211
Book TitleAtmanand Prakash Pustak 018 Ank 10
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1920
Total Pages32
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy