SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધર્માશધન. ૩૩ આવી શકે. કનિષ્ટ પંકિતની ગણત્રીમાં આવનારાની અપેક્ષાએ આવી વૃત્તિવાળા જીવા હુન્દર દર ઉત્તમ ગણાય. કેમકે તેઓના નિષેધના ત્યાગરૂપ ધર્મથી તે કોઈને પણ અપાયકર્તા નિવડતા નથી. નિષેધ વાર્તાને અંગીકાર કરી તેમાં રાચી માચી રહેનારાએ સ્વપર અન્નને અપાયકર્તા છે. તેઓ પેાતાની અધેતિ કરી ખીજાઆને ઉપદ્રવ કરનારા છે. જ્યારે નિષેધના ત્યાગ કરવાવાળા પેાતાની અધેા ગતિ કરતા નથી તેમજ ખીજાઓને ઉપદ્રવકારક નીવડતા નથી. ભલે તેએ સ્વીકાર રૂપ ધર્મારાધન કરી શકતા નથી, તેથી તેઓ સ્વઉન્નતિ સાધી શકે નહીં તેા પણ અધાગિત તા કરી શકે નહીં જ. કનિષ્ક પ ંક્તિનું ધર્મારાધન કરનારાઓની ઉન્નતિ કદી થાય કે ન થાય પણ ઘણા ભાગે તેએ પેાતાની કૃતિથી અધેાાંત કરી લે છે એમ અનુમાન કરવાને હરકત નથી. માત્રનિષેધના ત્યાગ એ ધર્મારાધનની ગણત્રીમાં આવે છે એવી માન્યતા જૈન સમાજમાં હાય એમ ઘણા ભાગે જણાતુ નથી. ધર્મારાધનના અર્થ ઘણા અત્યારે સંકુચિત રીતે કરવામાં આવે છે. ભગવતની આ મહાન આજ્ઞાના અમલ થવાથી ઘણી જરૂર છે. આ નિષેધરૂપ ધર્મારાધન કરનારાઓના ઉન્નતિક્રમના માર્ગ ઘણા સરળ થઇ શકે. જંગલની જમીનમાં ખેતી કરનારાએ બે જણા પૈકી એક જણ જમીન સાફ કર્યા સિવાય ખેતી કરવાની શરૂઆત કરે તેથી તેને જે ફળ પ્રાપ્તિ થાય તેના કરતાં જમીન સાફ કરી ખેતી કરનારા વિશેષ ફાયદો મેળવી શકે. જો કે પ્રથમના ખેતી કરનારા કરતાં આ ખીજા પ્રકારની ખેતી કરનારને મેહેનત મજુરી વધુ પડે, ફળ મેળવતાં થેાલવુ પડે પણ પરિણામે તે વધારે નફા મેળવી શકે. જે ઉપરથી ભૂમિ સાફ કરવાની આવશ્યકતા કેટલી છે તે આપણને જણાઈ આવે છે. શાસ્ત્રમાં એક દષ્ટાંત આપેલું છે કે-એક રાજાને પાતાના મહેલમાં એક ચિત્રશાળા અનાવવી હતી, તે સારૂ એ નિપુણ ચિત્રકારોને રાકી દરેકને ચિત્રશાળાના અડધા અડધ ભાગ નિયમિત મુદ્દતમાં તૈયાર કરી આપવા આજ્ઞા કરી. એકે પોતાના ભાગ પુરતી જગા સાફ્ કરી ચિત્રનું કામ શરૂ કરી નિયમિત મુદતમાં પુરૂ કર્યું. ખીજાએ તેટની મુદતમાં પોતાને નીમી આપેલી જગા ઘણી સફાઈદાર મનાવવાને મહેનત કરીને એટલી ધી સફાઈદાર બનાવી કે સામી ભીંત ઉપર કરેલા ચિત્રનું તેમાં પ્રતિષિખ પડવા લાગ્યું. રાજાનીમેલી મુદતે ચિત્રશાળા જોવા આવ્યા, તે એક ખાજુની ભીંત ઉપર ચિત્ર આલેખવામાં આવ્યું નથી એ વાત એકદમ જાણી શકયા નહીં, બારીકાઈથી તપાસ કરતાં તેને એ વાતના ભેદ માલુમ પડ્યા. ચિત્રકારે જણાવ્યું કે જયાંસુધી જમીન ખરાઅર ચાખ્ખી અને સફાઇદાર થઇ નથી ત્યાંસુધી તેના ઉપર કરેલું ચિત્ર ખરાખર ઉઠી શકે તેમ ટકી પણ શકે નહી. એ વાતની રાજાની ખાત્રી થવાથી તેણે ચિત્રકારને મુદ્દત વધારી આપી. તે વધારેલી મુદતમાં તેણે તે ભીંત ઉપર ચિત્રનું કામ કર્યું. તે ખીજી ભીંત કરતા હજાર દરજ્જે સુ ંદર થયું. એજ મિશાલે નિષેધરૂપ ધોરાધ For Private And Personal Use Only
SR No.531168
Book TitleAtmanand Prakash Pustak 014 Ank 12
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1916
Total Pages49
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy