SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૬ શ્રી આત્માનંદ પ્રકાશ. એવાજ નિર્ણય ઉપર આવે છે કે જેઓ પોતાનું જીવન ધ્યાનમાં, ચિંતનમાં, વિચારમાં, અને સ્વપ્નમાં ગુજારી શકે તેમ હોય તેમને જ આંતર-જીવન પ્રાપ્ત થઈ શકે છે. ઉપરોટીઆ નજરથી ધર્મગ્રંથ વાંચનારને એવો જ ખ્યાલ આવે કે જે મનુષ્ય ઈશ્વરી જીવન ગાળવા માગતો હોય અને પ્રભુને ખુશ કરવા ઈચ્છા ધરાવતે હોય તો તેણે વસતી છેડીને વનમાં વસવું જોઈએ, ભેગસૂચક સામગ્રીને ત્યાગ કરી ભગવા ધારણ કરવા જોઈએ. શેક તાપના દાવાનળથી આ સળગી રહેલે સંસાર ત્યજી દઈને કેઈ એકાન્ત જંગલ કે પહાડપર્વતની ગુફામાં નિરાંતે પડી રહેવું જોઈએ. તનમનના અનેક કષ્ટ વહોરી લેવા જોઈએ. સ્ત્રી, પુત્ર, બંધુ, બહેને આદિ નિકટ સબંધના અને ઉપર હમેશા ભ્રમર ચઢાવીને જોતાં શીખવું જોઈએ, કેમકે તેમણે જ આ સંસારમાં આપણને મેહની આંટીમાં જકડી લીધા છે. તેમની આ માન્યતા છે કે તેમણે “શાસ્ત્ર” માંથી તારવી કાઢી હોય છે, છતાં તે ખરી નથી. અલબત, ખરૂં છે કે ઘણાખરા ધર્મગ્રંથોમાં એવી વાતને સાક્ષાત પ્રબોધ જોવામાં આવે છે, અને તેમ આચરણ રાખનારાઓ માટે અનેક ઈનામેની લાલચે પણ ગોઠવી હોય છે, પરંતુ તે ખરે માર્ગ: હેવાનું હમે માનતા નથી. હમે પુછીએ છીએ કે સંસારથી ભાગીને આત્મા ક્યાં જાય તેમ હતું? શું સંસાર ફક્ત ઈંટમાટીના મકાનોને અને સ્ત્રીપુત્રાદિકનો બનેલો છે ? નહીં જ. પિતાને સંસાર મનુષ્ય હમેશા પોતાની સાથે જ લઈને ફરે છે. અગર તે ઘેર જંગલમાં છે કે પર્વતની ગુપ્ત ગુફાઓમાં છે, પણ સંસાર તે હમેશા તેના ભેગે જ હોય છે. કેમકે વાસના એ જ સંસાર છે, શું સ્થાનાંતર કે વઆંતર કરવાથી સંસારાંતર કદી બની શકે તેમ છે? અલબત, ખરું છે કે સ્થાન અને વસ્ત્રની, સંગે અને પરિવેષ્ટનેની અસર મનુષ્યના ચિત્ત ઉપર અવશ્ય થાય છે, પરંતુ એ બધા પૈણુ નિમિત્તે છે. ઘણું સાચા ગીજને અને મહાત્માઓ વનોપવન કે પર્વતની ગુહા એમાં જોવામાં આવે છે, અને વ્યવહારમાં ચાલતી વસ્ત્રપરિધાનની પદ્ધતિથી ઉલટી રીતે પિશાક ધારણ કરતા દષ્ટિગોચર થાય છે, પરંતુ તેથી એમ કાંઈ એકાન્તપણે ફલિત થતું નથી કે મહાત્મા થવા માટે આપણે બધાએ ગુફાએની શોધ કરવી જ જોઈએ અને કાષાય કે ગેરૂ રંગના વસે ધારણ કરવા જ જોઈએ. પ્રવૃત્તિના પ્રત્યેક ક્ષેત્રમાં ખરા મહાત્માઓ જડી આવે છે. વનમાં હોવું કે વસતીમાં હોવું એ આત્માના પૂર્વ કર્મની ઘટના છે. તેના જન્માંતરની ઈચ્છાના પરિપાક રૂપે તે જુદા જુદા સ્થાનમાં અને પરિધાનમાં હોવાનું પસંદ કરે છે. જેમની પ્રકૃતિને પ્રવૃત્તિ અને વ્યવસાય ગમે છે તે તેની મધ્યમાં હોય છતાં ધારે તો - For Private And Personal Use Only
SR No.531168
Book TitleAtmanand Prakash Pustak 014 Ank 12
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1916
Total Pages49
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy