________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઐતિહાસિ–સાહિત્ય.
૨૫૯ ऐतिहासिक-साहित्य। સંવિશપક્ષિ પંડિતવર્ય શ્રીમત્પશ્ચવિજયજી મહારાજને એક
તાત્વિક પત્ર ત અંકમાં અધ્યાત્મરસિક શ્રીમદ્ દેવચંદ્રજીને એક આધ્યાત્મિક “પત્ર પ્રગટ કરવામાં આવ્યું છે, આ અંકમાં પણ એક એવો જ કે બીજો પત્ર વાંચકે આગળ રજુ કરાય છે. આ પત્ર સંવિપક્ષિય
પંડિત શ્રી પદ્મવિજયજી મહારાજનો લખેલો છે, આ સુવિહિત સાધુ
આજથી ૧૧૦ વર્ષ પહેલાં અર્થાત્ વિક્રમ સંવત્ ૧૮૬૨ માં સ્વર્ગસ્થ થયા હતા, એમણે સં. ૧૮૨૦માં “નેમિનાથ રાસ” ૧૮૪ર માં “સમરાદિત્ય રાસ” અને ૧૮૫૮ માં “જયાનંદકેવળી રાસ રચેલ છે. બીજી પણ કેટલીક ગુજરાતી કૃતિઓ-શ્રી યશોવિજયજી ઉપાધ્યાયના સ્તવનોના ટઆ વિગેરે એમની પ્રસિદ્ધ છે, એમના જીવન સંબંધી ઉપલબ્ધ થતી હકીકત “જેના ઐતિહાસિક રાસમાળા” માં પ્રગટ થયેલી છે. આ પત્ર એમણે લીંબડીના સંઘના આગેવાન શ્રાવક વેરા કસલા ડેસ ઉપર અમદાવાદથી સંવત ૧૮૩૩ ના શ્રાવણ માસની વદી ૯ મી ને ગુરૂવા૨ના દિવસે લખેલ છે. પત્ર દ્રવ્યાનુગ વિષયક છે. ચેદમાં ગુણઠાણે રહેલ જીવ દ્વિચરમ સમયમાં ૭૨ પ્રકૃતિ ક્ષય કરી ચરમ સમયમાં બાકી રહેલી ૧૩ પ્રકૃતિનો ક્ષય કરે છે અને મુક્ત થાય છે તે વિષયમાં ઉપર્યુક્ત શ્રાવકે પૂછેલા પ્રશ્નને સવિસ્તર અને ઉપપત્તિપૂર્વક આ પત્રમાં ઉત્તર આપે છે. પત્રની લંબાઈ લા ઇંચ અને પહોળાઈ જા ઇંચની છે. લીપી દેવનાગરી હેઈ અક્ષરે સુંદર અને સ્પષ્ટ છે.
પુનિ જિનવિના पत्रनी यथार्थ नक्कल.
| || શ્રી ॥ ए ० ।। स्वस्ति श्रीपार्श्वपरमेश्वरं प्रणम्य श्री लींबडी नगरे सुश्रावक पुण्यप्रभावक देवगुरुभक्तिकारक संघाख्य । वो। कसला डोसा योग्यं । श्री अम्मदाबादथी लि । पं । पद्मविजयनो धर्मलाभ जाणवो । बी । अत्र पुण्योदय प्रमाणे सुख छे । तुम्हारो पत्र १ आव्यो ते वांची समाचार जाण्या । तुम्हे लिख्युं जे चौदमा गुणठाणाने द्विचरम समये ७२ क्षय करी अने १३ प्रकृति चरम समय क्षय करी सिद्धि वर्या, ते चरम समयेंज सिद्रि वर्या के लगते समय सिद्धि वर्या ?, इम लिख्यु तेहनो उत्तर । चौदमा गुणठाणाना छेहलो समय गई
For Private And Personal Use Only