________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦,
શ્રી આત્માનંદ પ્રકાશ વિષયમાં કેટલીક તપાસ કરી હતી અને પગલા ઉપર જે લેખ હતો, તેની પરિશ્રમપૂર્વક નકલ લઈ લીધી હતી. લેખ ઉપરથી જણાય છે કે તે પાદુકાની પ્રતિષ્ઠા અમદાવાદમાં, ઉપાધ્યાયજી મહારાજના કઈ શિષ્ય કરી હતી. ( અક્ષરે ઘસાઈ જવાથી શિષ્યનું નામ વાંચી શકાયું નથી ) અને ત્યાંથી ડાઈ લઈ જઈ સ્તૂપ બનાવી, તેમાં સ્થાપન કરી હતી. અર્થાત્ તે સ્તૂપ, ઉપાધ્યાયજીના સ્વર્ગગમન પછી બે વર્ષ બાદ બનાવવામાં આવ્યો હતો. પાદુકા ઉપર લેખ આ પ્રમાણે છે. (૧) સંવત ૧૭૪૫ વર્ષે II | ૨૬૨ (२) प्रवर्तमाने मार्गशीर्ष मासे शुक्लपक्ष एकादशी तिथौ ॥ ॥ (३) श्री श्री हीरविजयसूरीश्वर शिष्य । पं. श्री कल्याणविजयग । (૪) શિષ્ય | iી શો લોવિનયના શિષ્ય પં શ્રી જીતવિનાના વરા (૫) સતી iા શ્રી નવિનાના શિષ્યો પં. શ્રી નવિન - (६) गणीनां पाउका कारापिता । प्रतिष्ठितात्रेयं । (૭) તરણ સેવ........વિનયણિના શ્રી રામનારે આ
૪
== ઉપાધ્યાયજીના રચેલા ગ્રંથે. ...જેમતેઓશ્રીના જીવનવૃત્તાંત સંબંધમાં આપણે ઘણા ભાગે અજ્ઞાન છીએ તેમ તેમના રચેલા મહાન અને વિશાળ ગ્રંથ સમુદાયથી પણ આપણે જ્હોટે ભાગે અજાણ છીએ. તેઓશ્રીના રચેલા સંખ્યાબંધ ગ્રંથો હજી સુધી આપણને મળી શક્યા નથી! તકભાષામાં તેઓશ્રી તેિજ લખે છે કે, “કાશીમાં, પ્રથમ તે પંડિતેઓ “ન્યાયવિશારદ' બિરૂદ આપ્યું હતું અને પાછળથી જ્યારે સે (૧૦૦) ગ્રંથો રચ્યા ત્યારે “ન્યાયાચાર્યનું મહાત્ પદ આપવામાં આવ્યું.” ન્યાયાચાર્ય પદ અપાવનાર આ સે ગ્રંથ કયા તેને તો હજી સુધી કોઈ પણ પત્તો નથી. કારણ કે જે ગ્રંથ હાલમાં મળે છે, તે પ્રાય: કરીને બધા કાશીથી આ દેશમાં આવ્યા પછીના કરેલા છે; કાશીમાં રચેલું એક પણ પુસ્તક હજી સુધી હસ્તગત થયું નથી. આ સિવાય “ભાષારહસ્ય” ના પ્રારંભમાં કરેલા ઉલલેખથી જણાય છે કે તેઓશ્રીએ “રહસ્ય”પદ વડે અંકિત એવા એકસો આઠ (૧૦૮) ગ્રંથ રચવા ઈચ્છયા હતા. આમાંથી કેટલા રચાયા તે સંબંધે કાંઈપણ હકીકત ઉપલબ્ધ થઈ નથી. માત્ર આમાંના ભાષારહસ્ય અને નચરહસ્ય નામના બેજ ગ્રંથે હજીસુધી મળ્યા છે. આ ઉપરથી જણાય છે કે તેઓશ્રીના સેંકડો ગ્રંથના તે હજી સુધી આપણે નામ સુધાં જાણતા નથી તો પછી મેળવવાની તે આશાજ શી?
For Private And Personal Use Only