SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ Celebrating Jain Society of Houston Pratishtha Mahotsav 1995 આ ગુણસ્થાનની સ્થિતિ ફકત અંતર્મુહૂર્તની હોય છે. આ સ્થિતિમાં આયુષ્યનો બંધ પડતો નથી. ' (૪) અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન આ ગુણસ્થાનમાં રહેલ જીવોને દન મોહનીયના લયોપશમને લીધે શ્રદ્ધા અવિચલિત હોય છે.પરંતુ ચારિત્રમોહનીયના ઉદયને લઈને તથા પ્રકારે આચરણ કરવાની ક્ષમતા નથી હોતી. આની સ્થિતિ તેંત્રીસ સાગરોપમથી થોડી વઘારેની હોય (૫) દેશવિરતિ ગુણસ્થાન અહિં સમ્યકત્વના હોવાની સાથે ચારિત્રમોહનીયનો પણ આંશિક સંયોપશમ થવાથી થોડું પણ સદાચરણ કરવાની ક્ષમતા પ્રાપ્ત થાય છે. આની સ્થિતિ કરોડો પૂર્વ સુધીની હોય છે. () પ્રમત્ત સંયત ગણસ્થાનઃ આ સ્થાનમાં ચારિત્રનો ઉદય થવા છતા થોડો પ્રમાદ વતયિ છે. આની સ્થિતિ થોડા કરોડ પૂર્વની હોય છે. અહિં પ્રત્યાખ્યાનીય કષાયોનો ક્ષયોપામ હોય છે. (૭) અપ્રમત્ત સંયત ગુણસ્થાનઃ અહિં આત્મા પ્રમાદમુકત હોય છે. અને સમ્યક્ દર્શનની સાથે સમ્યફ ચારિત્રનો પણ પૂર્ણતઃ ઉદય હોય છે. પણ આ સ્થિતિ બહુ લાંબો સમય ટકતી નથી. અને જ્યાં સુધી જીવ આનાથી ઊપરના ગુણસ્થાનને ન સ્પર્શે ત્યાં સુધી છઠ્ઠા અને સાતમાં વચ્ચે ચડઊતર થતી રહે છે. (૮) નિવૃત્તિ બાદ૨ ગુણસ્થાન આને અપૂર્વકરણ ગુણસ્થાન પણ કહે છે. સ્થળ કષાયોનો ક્ષયોપશમ થવાથી અહિં આત્મા પહેલા કયારેય ન અનુભવી હોય એવી આત્મશુદ્ધિનો અનુભવ કરે છે. (૯) અનિવૃત્તિ બાદ ગુણસ્થાનઃ અહિં ચારિત્રમોહનીયનો વિશેષ ક્ષયોપશમ થાય છે. આ ગણમ્યાનની પ્રારંભિક અવસ્થામાં ફકત સંજવલનીય કષાયો બાકી રહે છે. અને અંતિમ અવસ્થામાં કોઇ, માન અને માયાનો સંપૂર્ણ ક્ષય કે ઉપામ થતા ફકત લોભ કષાય અવરોષ રહે છે. (૧૦) સુક્ષ્મ સંપરાય ગુણસ્થાનઃ અહિં મોહનીય કર્મનો વિશેષરૂપે ક્ષય થવાથી સુક્ષ્મ લોભ કષાય જ બાકી રહે છે. અન્ય કષાયોનો સંપૂર્ણ અભાવ હોય છે. (૧૧) ઉપરાંત મોહ ગુણસ્થાનઃ આ સ્થિતિને ફકત ઉપશમ શ્રેણીથી ચડતા જવો જ સ્પર્શી છે. સપક શ્રેણીથી ચડતાં જીવો ૧૦માં થી સીધા ૧૨માં ગુણસ્થાન પર પહોંચે છે. અહિં કષાયો. સંપૂર્ણપણે ઉપાંત થઇ જવાથી વીતરાગ દશાનો અનુભવ થાય છે. પણ ઉપશમન હોવાને લીધે આ સ્થિતિ બહુ લાંબું ટકતી નથી. અને જીવ પાછો નીચેની સ્થિતિમાં જઈ પડે છે. (૧૨) ક્ષીણમોહ ગુણસ્થાનઃ અહિં મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય થવાથી આત્મા અપ્રતિપાતી વીતરાગ દશાનો અનુભવ કરે છે. (૧૩) અયોગી કેવલી ગુણસ્થાનઃ આ ગુણસ્થાનમાં બાકીના ત્રણ ઘાતી કર્મ, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયનો પૂર્ણ ક્ષય થતાં કેવલ્ય પ્રકટ થાય છે. તીર્થકરો અને કેવલીઓ આ ગુણસ્થાનમાં હોય છે. (૧૪) અયોગી કેવલી ગુણસ્થાન અહિં આત્મા મન, વચન અને કાયાના ત્રણે યોગનો નિરોઘ કરીને પૂર્ણરૂપે નિષ્પકપ બની જાય છે. અને તત્કાલ જન્મ મરણની શંખલામાંથી મુક્ત બની જાય છે. આ ઉપરથી એટલું સમજી શકાય કે આવોના કમિક નિરોઘથી ગુણસ્થાનોમાં પ્રગતિ થાય છે. મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને યોગ એ પાચ આશ્રવ છે. આના ઉત્તરોત્તર ઘટવા સાથે આત્મા ચડતા કમે શુદ્ધિનો અનુભવ કરે છે. એટલે મુમુક્ષુઓએ સતત આAવો ઓછા કરવા જાગૃત બનવું જોઈએ. "The reason people have enemies is that they do not treat them like friends” (Mahatma Gandhi) Pe169 Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.528921
Book TitleJain Society Houston TX 1995 11 Pratistha
Original Sutra AuthorN/A
AuthorJain Society Houston TX
PublisherUSA Jain Society Houston TX
Publication Year1995
Total Pages218
LanguageEnglish
ClassificationMagazine, USA_Souvenir Jain Center TX Houston, & USA
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy