________________
મીત્રી ભાવનું પવિત્ર ઝરણું
મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે...૧
ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે. એ સંતોના ચરણ કમલમાં, મુજ જીવનનું અર્થ રહે...૨
દીન ક્રુરને ધર્મ વિહોણા, દેખી દિલમાં દર્દ રહે, કરૂણાભીની આંખોમાંથી, અશ્રુનો શુભ સ્રોત વહે...૩ માર્ગ ભૂલેલા જીવન પથિકને, માર્ગ ચિંધવા ઉભો રહું, કરે ઉપેક્ષા એ મારગની, તો યે સમતા ચિત્ત ધરું...૪
વીર પ્રભુની ધર્મભાવના, હૈયે સૌ માનવ લાવે, વેરઝેરના પાપ તજીને, મંગલ ગીતો સૌ ગાવે...૫
Jain Education
intrary.org