________________
સ્તુતિઓ આવ્યો શરણે તમારા જિનવર, કરજ આશ પૂરી અમારી, નાવ્યો ભવપાર મારો તુમ વિણ, જગમાં સાર લે કોણ મારી ; ગાયો જિનરાજ આજે હરખ અધિકથી પરમ આનંદકારી, પાયો તમ દર્શ-નાશે ભવભય બમણા નાથ સર્વે અમારી.
છે પ્રતિમા મનોહારિણી, દુઃખ હરી શ્રી વીર નિણંદની, ભકતોને છે સર્વદા સુખકારી, જાણે ખીલી ચાદની ; આ પ્રતિમાના ગુણ ભાવ ધરીને, જે માણસો ગાય છે, પામી સઘળાં સુખ તે જગતનાં, મુકિત ભણી જાય છે.
સુચ્ચા હશે પૂજયા હશે, નિરખ્યા હશે પણ કો ક્ષણે, હે જગતબંધુ ચિત્તમાં ધાર્યા નહીં ભકિતપણે; જન્મ્યો પ્રભુ તે કારણે દુઃખપાત્ર હું સંસારમાં, હા ભકિત તે ફળતી નથી, જે ભાવ શૂન્ચચારમાં.
દેખી મૂર્તિ પાર્શનિની, નેત્ર મારાં ઠરે છે, ને હૈયું આ ફરી ફરી પ્રભુ, ચાન તારું ધરે છે ; આત્મા મારો પ્રભુ તુજ કને, આવવા ઉલ્લસે છે, આપો એવું બળ દૃયમાં, માહરી આશ એ છે.
ત્યારાથી ન સર્મથ અન્ય દીનનો ઉદ્ધારનારો પ્રભુ, મહારાથી નહિ અન્ય પાત્ર જગતમાં જોતાં જડે હે વિભુ ; મુકિત મંગળ સ્થાન તોચ મુજને ઈચ્છા ન લક્ષ્મી તણી, આપો સમ્યગ-રત્ન શ્યામ જીવને, તો તૃપ્તિ થાયે ઘણી.
ભવો ભવ તુમ ચરણોની સેવા હું તો માંગુ છું દેવાધીદેવા સામુ જુવોને સેવક જાણી એવી ઉદય રત્નની વાણી.
ઉપસર્ગો : ક્ષચ ચાન્તિ, ધિને વિદનવલ્લય: ; મન : પ્રસન્નતામૈતિ, પૂજય માને જિનેશ્વરે. સર્વ મંગલ માંગલ્ય, સર્વ કલ્યાણ કારણમ; પ્રધાન સર્વ ધર્માણાં, જૈન જયતિ શાસનમ.
Jain Education Interational 2010_03
For Private & Personal Use Only
33 www.jainelibrary.org