________________
પ્રબુદ્ધ જીવત ઃ બાર ભાવના વિશેષાંક
હું પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષક પ્રબુદ્ધ જીવન ઃ બાર ભાવના વિશેષાંક પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ બાર ભાવના વિશેષ્ઠક # પ્રબુદ્ધ જીવન : બાર ભાવતા વિશેષાંક “ પ્રબુદ્ધ જીવત ઃ બાર
પૃષ્ઠ ૫૪ ૬ પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક ૬ ઓગસ્ટ ૨૦૧૬ વાર ભાવના વિશેષાંક પ્રબુદ્ધ જીવન :
૪, પૂર્વબદ્ધ કર્મોની ઉદીરણા પામીને ઉદયમાં આવેલ કર્મને તપના પ્રભાવે ફળ આપ્યા વિના જીવના પ્રદેશથી અલગ કરીને ખેરવી નાખવા તે અવિપાક નિર્દેશ છે.
ત્યારે તો બધા કર્મોથી મુક્ત થઈને શુદ્ધ બની જાય છે. આમ નિર્જરા આત્મશુદ્ધિનું સાધન બની જાય છે. અને સાધકમાં અદમ્ય સાહસ અને તિતિક્ષાવૃત્તિ જાગૃત થાય છે નિર્જરા શબ્દની વ્યાખ્યા
देशेन यः संचितकर्मणां क्षय: सा निर्जरा प्राज्ञजनैर्विवेदिता ।।
એકદેશથી અર્થાત્ ક્રમિક રૂપથી સંચિતકર્મોનો નાશ થવો તે નિર્જરા છે. જ્યારે નર્મક્ષયો મોક્ષ: - આત્માથી સંપૂર્ણ કર્મોનું આવરા સર્વથા દૂર થવું તેનું નામ મોક્ષ છે. નિર્જરા અને મોક્ષ પરસ્પર કાર્ય-કારણ છે. નિર્જરા મોક્ષનું કારણ છે. મોક્ષ નિર્જરાનું કાર્ય છે. નિર્જરા આત્માનો ક્રમિક વિકાસ છે. મોક્ષ સંપૂર્ણ વિકાસ
નિર્જરા એક યાત્રા છે. મોક્ષ મંજિલ છે.
જુદી જુદી અપેક્ષાએ નિર્જરાના જુદા જુદા ભેદ છે
-
ફળની અપેક્ષાએ નિર્જરાના બે ભેદ – વિપાક નિર્જરા અને અવિપાક નિર્જરા
–
અવિપાક નિર્જરા – ક્રમથી પરિપાક કાળને પ્રાપ્ત થયેલ અને ઉદયાવલિના સ્રોતમાં પ્રવિષ્ટ શુભાશુભ કર્મોની ફળ દઈને જે નિવૃત્તિ થાય છે તે સવિપાક નિર્જરા. સવિપાક નિર્જરા પ્રત્યેક જીવની ક્ષણે ક્ષણે થતી રહે છે. પરંતુ તેની સાથે નવા કર્મો બંધાના રહે છે, તેથી આ નિર્જરાથી આત્માનું હલકાપણું નથી થઈ શકતું, તેથી આ નિર્જરાને સહજ નિર્જરા, સ્વાભાવિક નિર્જરા, સ્વકાલ આ નિર્જરા, અબુદ્ધિપૂર્વ નિર્જરા કહી છે. આત્મશુદ્ધિની દૃષ્ટિએ વિપાક નિર્જરાનું કોઈ મહત્ત્વ નથી. સવિપાક નિર્જરા અનંતકાળ સુધી થાય તો પદ્મ કર્મ મુક્તિ થતી નથી.
અવિપાક નિર્જરા – પૂર્વબદ્ધ પૌદ્ગલિક કર્મોનું ફળ આપ્યા વિના જીવના પ્રદેશોમાંથી છૂટા પડીને ખરી જવું તે અવિપાક નિર્જરા છે. તદુપરાંત સત્તામાં રહેલ પૌદ્ગલિક કર્મોનું ઉત્કર્ષણ, અપકર્ષણ કે સંક્રમણ પામી ક્ષીણતા પામે અને તેથી તેના સ્થિતિ કે અનુભાગમાં ઘટાડી થાય તે પણ અવિપાક નિર્જરા છે. અવિપાક નિર્જરા નીચેના પાંચ પ્રકારે હોય છે.
૧. પૂર્વબદ્ધ પાપકર્મોની સ્થિતિ કે અનુભાગ ઘટવા અને તેના કારણે તેની ફળદાન ક્તિ ઘટવી તે અવિપાક પ્રકારની નિર્દેશ છે. જીવના પુરુષાર્થપૂર્વકના વીતરાગભાવ કે શુભભાવના કારણે આ પ્રકારની નિર્જરા હોય છે.
૨. પૂર્વબદ્ધ પુણ્યકર્મોનું ઉત્કર્ષણ થઈ તેની સ્થિતિ કે અનુભાગ વધવા અને તેના કારણે પુણ્યકર્મની ફળદાન શક્તિ વધી જવી તે એક પ્રકારની અવિપાક નિર્જરા છે.
૩. જીવના પુરુષાર્થપૂર્વકના વીતરાગીભાવ કે મંદકષાયરૂપ શુભ ભાવના કારણે અઘાતી કર્મોની પાપપ્રકૃતિનું પુણ્યમાં સંક્રમણ થયું તે અવિપાક નિર્દેશ છે.
૫. ઉદયમાં આવેલ કર્મોનું ફળ આપ્યા વિના ખરી જવું તે પણ અવિપાક નિર્જરા છે. તેથી અવિપાક નિર્જરા જ આત્મ-હિની સાધિકા છે. ભગવાન મહાવીરે જાણી જોઈને અત્યંત ઉંચ ઉપસર્ગોનો સામનો કર્યો અને અનાર્ય આદિ દેશોમાં ભ્રમણ કર્યું, ગજસુકુમાલ મુનિએ જાણી જોઈને સ્મશાનમાં જઈને ધ્યાન કરી કર્મોની ઉદીરણા કરી. અર્જુનમાળી, ધન્ના-શાલિભદ્ર આદિ અાગારો પણ કર્મોની ઉદીરણા કરી અવિપાક નિર્જરાથી તેનું વંદન કરી આત્મશુદ્ધિ પામ્યા.
પુરુષાર્થની અપેક્ષા નિર્દેશ બે પ્રકારની છે૧. સકામ નિર્જરા, ૨. અકામ નિર્જરા.
અકામ નિર્જરા – વીતરાગતાના પુરુષાર્થ વિનાની હોય છે. “કામનો અર્થ છે કામનાથી રહિત. કામના બે પ્રકારની હોય છે-સાંસારિક સુખ,.ભોગ, ઐશ્વર્ય, દેવ આદિ પદની કામના ભૌતિક કામના છે જે જીવ માટે હેય છે. બીજી સર્વ કર્મોથી મુક્ત થઈને અનંત શાંતિ, અનંત જ્ઞાન-દર્શન રૂપ અવ્યાબાધ સુખ કેન્દ્રિત મોક્ષની કામના આધ્યાત્મિક કામના છે જે ઉપાદેય છે, છે જે કારણ કે મોક્ષ જીવનું અંતિમ લક્ષ્ય છે. પરાધીનતાપૂર્વક પરવશ થઈને ભૂખ-તરસ આદિ કષ્ટોને સહન કરવાથી જે કર્મ નિર્જરા થાય છે તે અકામ નિર્જરા છે.
ભગવાન મહાવીરે કહ્યું છે'वत्थगंधमलंकारं इत्थिओ सयमाणि य । अच्छन्दा जेन भुंजन्ति न से चाइत्ति पुच्चइ ।। અર્થાત્ જે વસ્ત્ર,ગંધ, અહંકાર, સ્ત્રી તથા શયન-આસન આદિ સામગ્રીને પરવશતાને કારણે ભોગવી નથી શકતો તેને ત્યાગી ન કહી શકાય. ત્યાગ વગર નિર્જરા કેવી રીતે ? અકામ નિર્જરાના મુખ્યતઃ બે ભેદ છે. ૧. અનિચ્છાપૂર્વક ૨, અજ્ઞાનપૂર્વક,
ઉઠાવવા
નરક-તિર્યંચ આદિ ગતિમાં અનેક પ્રકારના કષ્ટ પડે છે, અસહ્ય વેદના ભોગવવી પડે છે. મનુષ્ય જીવનમાં પણ ગરીબીમાં રોટી-વસ્ત્ર આદિના અભાવમાં ભૂખ સહન કરવી, ઠંડી-ગરમી આદિ સાન કરવા તે અનિચ્છાપૂર્વકના કષ્ટ સહન કરવા તે કામ નિર્જરા છે.
ઔપપાતિક સૂત્રમાં કહ્યું છે કે ‘લોક-નિંદા કે લોક-ભયથી શીલ પાળવાવાળી સ્ત્રીઓ અકામ નિર્જરા કરે છે.' જે પોતાની ઈચ્છા વિરુદ્ધ ભૂખ-તરસ વેઠે છે, જળચર્ય પાળે છે, કાયકોશ સહન કરે છે તે કાલધર્મ પ્રાપ્ત કરીને વાણવ્યંતર આદિ જાતિના દેવમાં ઉત્પન્ન થાય છે.
માવતા વિશેષાંક : પ્રબ
બાર ભાવના
પ્રબુદ્ધ જીવન ઃ બાર ભાવના વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ બાર ભાવતા
પ્રબુદ્ધ જીવન : બાર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવત ઃ બાર ભાવના વિશેષાંક પ્રબુદ્ધ જીવત ઃ બાર ભાવતા વિશેષાંક # પ્રબુદ્ધ જીવત ઃ બાર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ