________________
પ્રબુદ્ધ જીવતા ઃ બાર ભાવના વિશેષાંક - ઓગસ્ટ ૨૦૧૬ પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક પૃષ્ઠ ૧૦૫
પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષર્ષક પ્રબુદ્ધ જીવન ઃ બાર ભાવના વિશેષાંક પ્રબુદ્ધ જીવન ઃ બાર ભાવના વિશેષાંક # પ્રબુદ્ધ જીવન : બાર ભાવતા વિશેર્ષાક = પ્રબુદ્ધ જીવન ઃ બાર ભાવના વિશેષાંક પ્રબુદ્ધ જીવત ઃ બાર
મુનિવર જયસોમ મહારાજકૃત બાર ભાવનાની સજ્ઝાયોનું પરિચયાત્મક રસદર્શન
જૈન મુનિઓએ રચેલા સાહિત્ય-રાસા, બારમાસા, ચૈત્યવંદનો સ્તવનો, સજ્ઝાયો વગેરેથી પ્રાચીન મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય સમૃદ્ધ થયું છે. એ સાહિત્યમાં એક મહત્ત્વનો વિષય છે સજ્ઝાય. જૈન મુનિઓએ સજ્ઝાયોની રચનામાં વિવિધ વિષયો ગૂંથી લીધા છે. સાયોમાં હંમેશાં ઉપદેશાત્મક વિષયોનો જ આશરો લેવાય છે. આજે આપણે શ્રી જયસોમ મુનિવર રચિત ‘બાર ભાવનાની સજ્ઝાયો' વિષે વાત કરવાની છે.
શ્રી જયસોમ મુનિ: મુનિશ્રીએ પોતાનું નામ પ્રગટ રીતે ક્યાંયે બતાવ્યું નથી. પરંતુ બાર ભાવનાની સજ્ઝાયમાં પ્રાંતે શબ્દાંતર્ગત સૂચવેલું જણાય છે-‘શ્રી જશસોમ વિબુધ વૈરાગી' આ. શ્રી જયસોમ મુનિવર ક્યારે થયા તેનો પણ સ્પષ્ટ ઉલ્લેખ મળતો નથી. પરંતુ બાર ભાવનાની સજ્ઝાયની પ્રસ્તાવનામાં જણાવ્યું છે કે ‘શ્રી જયસોમ મુનિવર તે જ જણાય છે કે જેમણે છ કર્મગ્રંથનો બાળાવબોધ કરેલો છે, જે શા ભીમશી માણેકે શ્રી પ્રકરણ-રત્નાકર ભાગ ચોથામાં છપાવ્યો છે.
વિ. સં. ૧૭૦૬ની સાલમાં અષાઢ માસની સુદ તેરસ, મંગળવારે જેસલમેર નગરમાં રહીને જિનશાસનની, માત્ર શ્રી સંઘની ભક્તિને માટે–તેમનું હિત કરવાને માટે આ ભાવનાઓ આ બાર ભાવનાની સજ્ઝાયોમાં પ્રથમ દુહા અને ત્યારબાદ ઢાળ એમ રચના શૈલી છે.
કહેવામાં આવી છે.
પહેલી અનિત્ય ભાવનાની સજ્ઝાયના પ્રથમ દુહામાં પ્રભુ પાર્શ્વનાથની સ્તુતિ કરીને, સદ્ગુરુની નિશ્રામાં રહીને ભવ્ય જીવોના હિત માટે અનિત્યના આદિ બાર ભાવનાનું વર્ણન ક૨વામાં આવ્યું છે :
બીજા અને ત્રીજા દુહામાં બાર ભાવનાઓના નામનો નિર્દેશ કર્યો છે. બારે પ્રકારે તત્ત્વચિંતન એ બારે પ્રકારની અનુપ્રેક્ષા ભાવના છે. આ ભાવનામાં આત્મહિતની અભિલાષા, કામના કે લાગણીપૂર્વક જે તે બાબતની વારંવાર રટણા, અનુશીલન કે ચિંતવન હોવાથી તેને અનુપ્રેક્ષા પણ કહેવામાં આવે છે.
(૧) અનિત્યતા: કુટુંબ, કંચન, કામિની, કીર્તિ, કાયા વગેરે પદાર્થોની અનિત્યતાનું ચિંતન કરવું એ અનિત્ય ભાવના છે. સંયમના સાધનો શરીર, શય્યા, આસન વગેરે પણ અનિત્ય છે. સંસારમાં જ્યાં સંયોગ છે ત્યાં અવશ્ય વિયોગ છે. આથી સર્વ પ્રકારનો સંયોગ અનિત્ય છે. સંસારના સર્વ સુખો કૃત્રિમ હોવાથી વિનાશશીલ છે. કેવળ આત્મા અને આત્માનું સુખ જ નિત્ય છે. આ પ્રથમ અનિત્યની ભાવનાના વિચારને મુનિવરે સુંદર પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવત : બાર ભાવતા વિશેષાંક
ાર ભાવના વિશેષાંક પ્રબુદ્ધ જીવત ઃ
D કનુભાઈ શાહ
દૃષ્ટાંતો વડે નીચેની કડીમાં દર્શાવ્યો છે. પહેલી ભાવના એણીપરે ભાવિયેજી, અનિત્યપણું સંસાર; ડાભ અણી જેહનો જલબિંદુઓજી, ઇન્દ્રધનુષ અનુહાર – ૧ આ સંસારમાં બધે જ અનિત્યપણું દેખાય છે. જેવી રીતે દર્ભ ઘાસની અણી પર રહેલ ઝાકળ-પાણીનું ટીપું પવનથી કે તાપથી ક્ષણભરમાં નષ્ટ થાય છે, કે ઊડી જાય છે. આકાશમાં દેખાતું મેઘધનુષ પણ પળવારમાં અદશ્ય થાય છે. તેવી રીતે સંસારના સમસ્ત પદાર્થો અનિત્ય હોવાથી ક્ષણભરમાં નષ્ટ થાય છે. માટે હે ભવ્યાત્મા! આ અનિત્ય પદાર્થોનો મોહ છોડી જિનેશ્વર ભગવંતોએ કહેલા ધર્મનો પ્રેમ, આસ્થા અને આદરથી સત્કાર કરી અપનાવવામાં જ જીવનનું શ્રેય છે.
અનિત્યની ભાવનાનો વિસ્તાર કરતાં કવિવર જણાવે છે કે મુંજરાજાને દુશ્મન રાજાના પનારે પડી ઘ૨ ઘર ભીખ માંગી ખાવાનો અવસર આવ્યો, રામચંદ્રજીને બાર વરસ વનવાસ ભોગવવાનો સમય આવ્યો. એમાં રાજ્યની સંપત્તિ વગેરેની સ્થિરતા ક્યાં ટકી? આ બધું સંધ્યાના મનોહ૨ રંગો જેવું છે.
અનિત્યતાનું સામ્રાજ્ય કેવું વિશ્વવ્યાપી અને બળવાન છે કે અતુલબળના સ્વામી મોટા ઈન્દ્ર કે જિનેશ્વર ભગવાન જેવા અથવા ચક્રવર્તી અને વાસુદેવ જેવા અને દેવો, મનુષ્યો અને ક્રોડો રાજાઓ વિશ્વમાંથી નાશવંત થયા. અતુલબલી સુરવર જિનવર જિસ્યાજી, ચક્રિ હરિબલ જોડી; ન રહ્યા એણે જુગ કોઈ થિર થઈજી, સુનર ભુપતિ કોડી. – ૯. (૨) અશરણતા: સંસારમાં પોતાનું શરણ-૨ક્ષણ કરનાર કોઈ નથી એનું ચિંતન એ અશરણ ભાવના છે. રોગાદિ કે અન્ય કોઈ પણ મહા આપત્તિ આવી પડતાં આ જીવને સંસારના સ્નેહીજનો કે ભૌતિક સાધનો વગેરે બચાવનાર કોઈ નથી. આપણી સંપત્તિ સ્નેહીઓના મીઠા બોલથી એ દુઃખ દૂર થતું નથી ત્યારે શરણું ધર્મનું જ લેવાનું રહે છે અને આ સમયે દેવ-ગુરુ અને ધર્મ જ આપણું રક્ષણ કરે છે. સાંત્વના આપે છે.
કે
દેશેર્ષક પ્રબુદ્ધ જીવન : બાર ભાવના વિશેષાંક પ્રબુદ્ધ જીવત : બાર
બુદ્ધ જીવંત ઃ બાર ભાવના વિશેષાંક પ્રબુદ્ધ જીવંત ઃ બાર ભાવતા વિશેષાંક
મુનિવર અશરણ ભાવનાની સમજણ આપતાં કહે છે કે અંજલિમાં રહેલું પાણી પળે પળે ટપકતું જાય છે તેવી જ રીતે આપણું આયુષ્ય પણ પળે પળે ઓછું થતું જાય છે. તેથી આયુષ્ય ઓછું થાય એ પહેલાં પરલોકનું ભાતું બાંધી લેવું.
લે અચિંત્ય ગણશું ગ્રહી, સમય સીંચાણો આવી; શરણ નહીં જિનવયણ વિણ, તેણે હવે અશરણ ભાવિ. બાજપક્ષી જેમ પારેવાનો એકાએક આવીને તેને પકડીને મારી
નાખે છે. તેવી રીતે કાળ (મરણ સમય) એચિંતો આવીને આપણો પ્રબુદ્ધ જીવત ઃ બાર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવત ઃ બાર ભાવતા વિશેષાંક પ્રબુદ્ધ જીવત ઃ