SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન નવેમ્બર, ૨૦૧૨ ઉતારી નાંખ્યું. કારણ કે બધું અનિત્ય છે. ક્યારેક તો તૂટવાનું અને છૂટવાનું છે જ. પળે પળે સર્વની ક્ષમા માગું અને ક્ષમા આપું. અન્નને પ્રત્યેક કોળિયે, પાણીને પ્રત્યેક ઘૂંટડે, હવાની પ્રત્યેક લહેરકીએ એ આપનારનો ઉપકાર માનું અને જે જે પુગલો આ અન્નપાણીથી વંચિત રહ્યા છે એમના પ્રત્યે મારી કરુણા વહો અને એમને એ મળે એવા પ્રયત્નો હું કરું, કારણ કે આ જગતમાં કાંઈ જ મારું નથી, જે છે એ સર્વનું છે. નથીંગ ઈઝ માઈન, એવરીથીંગ ઈઝ ડીવાઈન. કીર્તિ વિષકન્યા છે. એની પાછળ હું દોડું નહિ. મારા પ્રત્યેક શુભ કાર્યમાં હું મૌન રહું. મારી વાણીને સમયે સમયે મૌનથી શણગારું. મિતભાષી બનું. મારા મન અને બુદ્ધિનો વિકાસ થાવ પણ હર પળે મારા ચિત્તનો વિકાસ થાવ, થાવ અને થાવ જ. આત્મ અનુભૂતિનું ઝરણું નિરંતર પ્રગટતું રહો. પળે પળે મને તત્ત્વબોધ થાવ. સ્યાદ્વાદ અને અનેકાંતવાદ મારી બુદ્ધિમાં પ્રવેશ. જીવનમાં જ્યારે જ્યારે દુ:ખો આવે ત્યારે એના નિમિત્ત અને કારણોને હું દોષ ન આપું, અને સમતાથી એ સહન કરૂં. નવો કર્મ બંધ ન પામું. જે થયું છે એ મારા પૂર્વ કર્મોનું જ પરિણામ છે. આ મોહ રાજાની પત્ની કુમતિ છે, તેના પુત્રો કામ, ક્રોધ, મોહ, લોભ છે અને ઈર્ષા-તૃષ્ણા એની પુત્રીઓ છે. આ સર્વથી હું જોજનો દૂર રહું, અને ચેતન રાજાની પત્ની સુમતિ, એના પુત્રો તપ, સ્વાધ્યાય, સંયમ, વિવેક અને પુત્રીઓ, શ્રદ્ધા અને ભક્તિ મારો પરિવાર બની રહો. આ પરિવાર જ મને સમ્યગુ જ્ઞાન, દર્શન અને ચારિત્રથી રિદ્ધિ-સિદ્ધિ અને મોક્ષના દર્શન કરાવશે. આ મન-મનડું છે નાન્યતર જાતિનું પણ નર-નારી બન્નેને એ નચાવે છે. એ મનને નાથવાની, એને બાંધવાની શક્તિ મને પ્રાપ્ત થાવ. શ્રુતજ્ઞાનનો ભંડાર છે એવા આગમો, ગીતા, ઉપનિષદો, બાયબલ, કુરાન અન્ય તત્ત્વના ગ્રંથો અમારી પાસે ઉપલબ્ધ છે. જે જીવન જીવવાની કળા શિખવે છે અને જીવનની પ્રત્યેક સમસ્યાનું સમાધાન આપે છે. આ શ્રુતજ્ઞાનનો મારી પ્રજ્ઞામાં વાસ થાવ. કુબેરના ભંડારને શું કરવો છે? એ એક દિવસ અવશ્ય ખાલી થવાનો છે અથવા એને અહીં જ મૂકીને જતા રહેવાનું છે, સાથે આવશે મહાવીર, કૃષ્ણ અને અન્ય અવતારી આત્માની વાણી અને ગૌતમ સ્વામીની જ્ઞાનલબ્ધિ. આ વાણી જ્ઞાનલબ્ધિ મને પ્રાપ્ત થાવ. હા, “પૈસા ઝાડ ઉપર ઉગતા નથી', પણ તપ, સંતોષ અને શુભકર્મના વારિ સિંચનથી મનના ઝાડ ઉપર શાંતિ જરૂર ઉગવાની છે. એના પુષ્પોમાં સમવસરણની સુગંધ છે, એ ફળ અમૃત જેવું છે, અ-મૃત છે. હે કાળદેવ! અમારામાં આવી ઋતંભરા પ્રજ્ઞા પ્રગટાવો... નવા વર્ષે..પ્રતિ વર્ષે..પ્રતિ પળે... હે કાળદેવ! અંતર મમ વિકસિત કરો.... E ધનવંત શાહ drdtshah@hotmail.com ધર્મ જે વસ્તુનો બુદ્ધિ સ્વીકાર કરે તે વસ્તુનો અમલ કરવો યોગ્ય છે અને ધર્મ • જીવનનો ધર્મ જો પ્રેમ ન હોય તો મૃત્યુની વચ્ચે જીવન ટકી શક્યું જ ન હોત. • જ્યાં જીવ છે ત્યાં અહિંસા હોવી જ જોઈએ. હિંસા મનુષ્યનો ધર્મ નથી, રાક્ષસનો • સાચો ધર્મ એટલે સર્વ પ્રત્યે સમભાવ અને જરૂરત હોય તેને દિલથી ધર્મ છે. કોઈપણ ધર્મ આચરણમાં ન મુકાય એ ધર્મ ન કહેવાય. મદદ કરો. જૈન શબ્દ મૂળ ધ્યાન પરથી આવ્યો છે. જૈન ધર્મના આધ્યાત્મિકતા, • ધર્મના મૂળ સ્રોત સ્થાયી છે. તે અકાઢ્યું છે. નવા યુગનો પુરુષ પણ સરળતા, સૌંદર્ય અને સત્ય આ ચાર સ્તંભ છે. તેને તેવી જ રીતે સ્વીકારવા બદ્ધ છે. • આદત એ માણસના ભૂતકાળનું પરિણામ છે. ભૂતકાળને કારણે એક • ધર્મ જીવનને પરમાત્મામાં જીવવાની વિધિ છે. સંસારમાં એવું જીવન પ્રકારનો પક્ષપાત કે મોહ જાગે છે. જે માણસ ભૂતકાળથી છૂટો છે અને જીવી શકાય જેમ સરોવરના કાદવમાં કમળ ખીલે છે. ભવિષ્યમાં બંધાતો નથી એ માણસ કોઈ પણ ક્ષણને મન ભરીને માણી • ધર્મ એટલે કર્તવ્ય. મનુષ્ય હોવાથી આપણાં અમુક કર્તવ્યો છે. જે આ શકે છે. જૈન ધર્મમાં ક્ષણે ક્ષણે જીવવાનો ધર્મ છે. કર્તવ્યોને માની તેનું પાલન કરે છે તે માનવ ધર્મને અનુસરે છે..! T કીર્તિલાલ કા. દોશી સંપાદિત અને પ્રકાશિત ‘પ્રજ્ઞાની પાંદડીઓ'માંથી સાભાર • ૧ વર્ષનું લવાજમ રૂા. ૨૦૦/-(U.S. $20) • ૩ વર્ષનું લવાજમ રૂા. ૫૦૦/-(U.S. $ 50) • ૫ વર્ષનું લવાજમ રૂા. ૯૦૦/-(U.S. $ 80). • ૧૦ વર્ષનું લવાજમ રૂા. ૧૮૦૦/-(U.S. $180)
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy