SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ જુલાઈ, ૨૦૧૨ પુસ્તકનું નામ : આનંદઘન અવધૂત પરી લેખક : માવજી કે. સાવલા પ્રકાશક : ગુર્જર પ્રકાશન, ૨૦૨, તિલકરાજ, પંચવટી, પહેલી લેન, આંબાવાડી, અમદાવાદ ૩૮૦૦૦૬. મૂલ્ય : રૂા. ૧૧૦/-; પાના : ૧૬૨. આવૃત્તિ : પ્રથમ-૨૦૦૮. ૧૭ મી સદીમાં થઈ ગયેલ આનંદઘનજીનું નામ જૈન સાહિત્યના ઇતિહાસમાં અનેક રીતે જુદું તરી આવે છે. માત્ર જૈન મુનિ તરીકે જ નહિ પરંતુ એક મર્મી જ્ઞાન પિપાસુ તરીકે પણ જેમનું વ્યક્તિત્વ અનન્ય જ લાગે તેવું છે. તેમની અધ્યાત્મની વાણીમાં ભક્તિરસનો ઉન્મત્ત પ્રવાહ છે. ચોવીસ તીર્થંકરોને ઉદ્દેશીને તેમણે સાવન ચોવીસીની રચના કરી છે અને ૧૧૦ પદોની રચના પણ કરી છે, જેમાં નરસિંહ અને મીરાની જેમ તેમના પદોમાં ઉત્કટ અને વેગવંત ભક્તિધારાની સાથે સાથે તત્ત્વજ્ઞાનનું ગહન ઊંડાણ છે. એમની વાણીમાં હૃદયનો ધબકાર છે. ભક્તહૃદયની રઝનો સહજ ઉદગાર છે. આ પુસ્તકમાં માવજીભાઈ સાવલાએ આનંદધનાના આંતર વ્યક્તિત્વમાં પ્રવેશ કરી તેમના પદીની એકાદ-બે ગાવાઓ લઈ તેનો ભાવાર્થ અને રસદર્શન કરાવ્યાં છે. જેમાં આનંદઘનજીને અભિપ્રેત એવું ભક્તિતત્ત્વ દર્શન પ્રગટાવવાનો પ્રયાસ કર્યો છે. લેખકે આ ગાથાઓનું રસદર્શન કરાવવા તે ભાવને અનુરૂપ દેશ-પરદેશના અન્ય કવિઓના કાવ્યો તથા દૃષ્ટાંત વાઓનો ઉપયોગ કરી ગાથામાં રહેલ તત્વને સરળ રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો છે. XXX પુસ્તકનું નામ : ભગવાન મહાવીરનું વસિયતનામું શૈખક : ડૉ. વિક્રમભાઈ ઝવેરી પ્રબુદ્ધ જીવન સર્જન-સ્વાગત n ડૉ. કલા શાહ પ્રકાશક : સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ એન્ડ લિટરરી રીસર્ચ ઘાટકોપર અહંમ સ્પીરીચ્યુઅલ સેંટર Email : gunvant.barwalagma.com મો.: ૯૮૨૦૨૧૫૫૪૨ મૂલ્ય ઃ રૂા. ૧૫૦/-; પાના ઃ ૧૬૦. આવૃત્તિ : પ્રથમ-૨૦૧૧. ડૉ. મિભાઈ ઝવેરીએ વિવિધ સામયિકો અને અખબારોમાં પ્રસિદ્ધ થયેલ પોતાના વિવિધ વિષયોના લેખોનું સંકલન ‘ભગવાન મહાવીરનું વસિયતનામું’-રૂપે પ્રકાશિત કર્યું છે. આ વસિયતનામું શ્રી મહાવીર પ્રભુના વારસોને એટલે કે આપણને સહુને ભેટ ધર્યું છે. બે કે ત્રણ પાનાના ૫૭ લેખોમાં વૈવિધ્ય છે. ગંભીર વિષય પરના મૌલિક લેખો, કાવ્યવિવેચન, બોધકથાઓ, મૌલિક લેખો, કાવ્યવિવેચન, બૌધકથાઓ, આગમકથાઓ, પ્રાસંગિક લેખો, પ્રતિભાવો, તંત્રીલેખો, જૈન પર્વો, જૈન સિદ્ધાંતો, તાત્ત્વિક વિષર્યા પરના લેખો, ધ્યાનયોગ, અનુભવો, પ્રવાસવર્ણનો, જીવનચરિત્ર, વૈરાગ્યની ભાવનાઓ, જીવનશૈલી, સામાજિક તથા પારિવારિક જીવન વગેરે વિવિધ વિષયો પરના લખાણોનું સંકલન છે. XXX પુસ્તકનું નામ : જિનોપાસક શ્રાવક કવિ ઋષભદાસજીકૃત રોહિણીય યાસ (તમસથી સત્વની યાત્રા) ત્રેખક-સંપાદક : ડૉ. ભાનુબેન શાહ (સત્રા પ્રકાશક : જૈન સાહિત્ય પ્રકાશક સમિતિ C/o જયંતીલાલ વીરજી શાહ, ૪૦૨, ૪થે માળે, C/o જયંતીલાલ વીરજી શાહ, ૪૦૨, ૪” માળે, સેંટર-ઓરબીટ હાઈટ્સ, એનેક્સ-૧. તારદેવ રોડ, ઓરબીટ હાઈટસ, એનેક્સ-૬. તારદેવ રોડ, નાનાચોક, ગ્રાંટ રોડ(૫.), મુંબઈ-૪૦૦૦૦૭. સંપર્ક: ૦૨૨-૨૩૮૭૫૦૬, મૂલ્ય : રૂ. ૩૦૦/-; પાના : ૩૫૦. આવૃત્તિ : પ્રથમ, ૨૨ જૂન-૨૦૧૨, શ્રાવક કવિ ઋષભદાસકૃત ‘રોહિણીય રાસ'નું સંપાદન-સંશોધન શ્રીમતી ભાનુબેન શાહે કર્યું છે. સંશોધકે આ રાસની મૂળ ૩૪૪ ગાથાની કથાને લગભગ ૩૫૦ પૃષ્ટોમાં વિસ્તારી છે. મારુ કથાને લગભગ ૩૫૦ પૃષ્ઠોમાં વિસ્તારી છે. મારુ ગુર્જર ભાષાની ગુર્જર ભાષાની મૂળ કડીઓ-મૂળ હસ્તપ્રતમાંથી વર્તમાન લિપિમાં લિપ્યાંતર કરી પ્રત્યેક કઠિન શબ્દોના અર્થો વિગતે આપ્યા છે. વિગતે ગદ્યાંતર આ પુસ્તકમાં મહાવીરનો ઉપદેશ, સંદેશ અને આદેશનો ત્રિવેણી સંગમ છે. આ સંગમમાં ડૂબકી આદેશનો ત્રિવેણી સંગમ છે. આ સંગમમાં ડૂબકી મારનારનો આત્મા ચિંતનમાં ભ્રમણ કરતો થઈ જાય છે. અહીં વિદ્વાન સર્જકની ભવ્ય ગદ્યકલાના દર્શન થાય છે અને લેખક આત્મચિંતન દ્વારા મહાવીરનો સંદેશો પ્રસારિત કરે છે. ડૉ. રશ્મિભાઈ ઝવેરી માત્ર આંકડાશાસ્ત્રી (CA) જ નથી પરંતુ જ હૃદય અને આત્માથી શબ્દના ઉપાસક, મર્મજ્ઞ અને સાધક છે તેની પ્રતીતિ થાય છે. ‘ભગવાન મહાવીરનું વસિયતનામું' વિષયોનું ઊંડાણ અને ગધની સરળતા પ્રસન્નતાની અનુભૂતિ કરાવે છે. સરસ્વતીના પ્રસાદને આવકારીએ અને અંતરથી માણીએ એ જ અભ્યર્થના. 33 અને પછી વિવેચન કરી કથાના પટને વિશાળ બનાવ્યો છે. આ કથાનો નાયક રીતીય યુદ્ધ જાતિનો વંશ પરંપરાગત ચોર છે. અને મહાવીર વાણીનો ચમત્કાર એના જીવનમાં અલૌકિક પરિવર્તન લાવે છે. તમસથી સર્વ તરફ ગતિ કરી એ આત્મા વૈરાગ્ય સ્વીકારી મોક્ષ તરફ ગતિ કરે છે. ડૉ. ભાનુબેન શાહે આ લઘુરાસ કૃતિના વિવરણ અને પરિશિષ્ટમાં જૈન ધર્મના અનેક તત્ત્વોનો સુંદર વિનિયોગ કર્યો છે. એકંદરે વાચકને કથા અને તત્ત્વજ્ઞાનના અમૂલ્ય, સુંદર સુમેળની પ્રતીતિ થાય છે. રાસમાં આવતા નીર, શૃંગાર જેવા રોની સુંદર ચર્ચા આમાં મળે છે. જૈન દર્શનનું ગહન તત્ત્વજ્ઞાન અને એના દ્વારા રચાતી આગવી માનસ સૃષ્ટિ તેમજ સ્વસ્ય જીવનશૈલી આ ગ્રંથમાં આલેખાઈ છે. રાસકૃતિનો ઊંડો અને વ્યાપક અભ્યાસ ક૨વા બદલ ડૉ. ભાનુબેનને હાર્દિક અભિનંદન. આ પ્રકારના વધુ ને વધુ ગ્રંથો આપણને એમના તરફથી પ્રાપ્ત થાય એજ અભ્યર્થના. XXX સાભાર સ્વીકાર (૧) રાષ્ટ્રીય પર્યાવરશ જાગૃતિ અભિયાન૨૦૧૧-૧૨. પ્રકાશક-જયશ્રી દેવચંદ સાવલિયા (૨) સમૃદ્ધિનું વરદાન-સજીવખેતી ડૉ. મુલજીભાઈ ભલાણી સંસ્થા પ્રકાશક-વિધવાત્સલ્ય માનવસેવા ટ્રસ્ટ, બગસરા. (૩) સેવા સુવાસ-સંસ્થા ડિરેક્ટરી સંપાદક-દેવચંદ સાવલિયા (૪) વિકાસ દર્શન-તાલીમકારોની ડિરેક્ટરી (૫) વનની સફળના-સાર્થકતાના સોનેરી ઉપાયો : લેખક-પ્રવીણચંદ્ર ફ્ફર પ્રકાશક-વિષયાત્મ માનવસેવા ટ્રસ્ટ, બગસરા. (૬) વિયાવાત્સલ્ય માનવસેવા ટ્રસ્ટ-બગસરા કાર્ય અહેવાલ ૨૦૧૦-૨૦૧૧, ઉપરોક્ત છ પુસ્તકોના પ્રકારાક-વિશ્વવાસ્રવ્ય માનવસેવા ટ્રસ્ટ, બગસરા. (૭) અહિંસા કિસે કહેં ? (હિન્દી) વિપક્ષના વિધન વિન્યાસ ધમગિરી, ઈગતપુરી. (૮) મધર મોહસ ધ ડેસ્ટીની (એએ જ) બકુલ કુલીન વોરા, કુલીન કનૈયાલાલ વોરા પ્રકાશક : ઘર સંસાર, યોગીનગર, બોરીવલી (વે), મુંબઈ-૪૦૦૦૯૧, *** બી-૪૨, દયાનંદ સોસાયટી, એ-૧૦૪, ગોકુલધામ, ગોરેગામ (ઈસ્ટ), મુંબઈ-૪૦૦૦૬૩, ફોન નં. : (022) 22923754
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy