SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ એપ્રિલ, ૨૦૧૨ જ્યેષ્ઠ ભ્રાતા સ્વ. માણેકશાને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ રૂપે વર્ણવ્યો. તેમણે ભેંશાલી પરિવારની બંધુબેલડીનો આભાર વ્યક્ત કરી તેઓનું સન્માન કર્યું હતું. ધનવંતભાઈ, જિતુભાઈ, કાંતિભાઈ તથા દીલિપભાઈનું ભેંશાી બંધુઓએ વિશિષ્ટ સન્માન કર્યું હતું. આ વખતે વાતાવરણ ભારેખમ બની ગયું હતું. ભાવસભર દૃશ્યો સર્જાયા હતા. ઉપસ્થિત દરેકના મનમાં ઉદાસી છવાઈ ગઈ હતી. રાત્રિના જૈન સ્થાપત્ય તથા પ્રેક્ષાધ્યાન વિષે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનની પ્રસ્તુતિ થઈ હતી. પાવાપુરી તીર્થના અરવિંદભાઈ સંઘવીએ કહ્યું કે આવું આયોજન વારંવાર થાય અને એનો લાભ મને પણ મળે. તેમણે આવા તા. ૨૬ મીએ એક દિવસનો પંચતીર્થી યાત્રા દર્શન આભાર માની સન્માન કર્યું. સુંદર આયોજન માટે સંસ્થા આયોજક અને ભેંશાલી પરિવારનો કૈવલ્યધામ,દંતાળી, જીરાવલા, માનપુર, પાર્શ્વ પદ્માવતી તીર્થ દર્શનનો કાર્યક્રમ માણી સર્વે છૂટા પડ્યા ત્યારે મુખ પર ગ્લાનિ ઉપરાંન આ સમારોહના આોજન માટે ત્રણ માસથી સનત અને ઉદાસી જોવા મળતી હતી નોં સાથે એક ઐતિહાસિક, પ્રવૃત્તિશીલ રહેનાર શ્રી મહાવીર જૈન વિદ્યાલયના કર્મચારીજનોઅભૂતપૂર્વ સાહિત્ય સમારોહમાં સહભાગી બન્યાનો આનંદ પણ શ્રી તરુણભાઈ શાહ, શ્રી શાંતિભાઈ ખોના, શ્રી ચીરાગભાઈ અને તરવરતો હતો. ૨૪ વયે પ્રથમ દિવસની પ્રથમ સભાથી છેલ્લા દિવસના સમાપન સમારોહ સુધી સમયસર હાજર રહી ઉપસ્થિત દરેક વિદ્વાન-જિજ્ઞાસુ અને આયોજકોને પણ પ્રેરણા પૂરી પાડી છે. તેમણે આ સાહિત્ય સમારોહને એવી ઉપમા આપી કે દીકરી સાસરેથી પિયરઘર રહેવા પ્રબુદ્ધ જીવન આવે અને પછી જ્યારે સાસરે જાય ત્યારે તેના દિલમાં જેવું દર્દ હોય તેવું જ દર્દ આજે મને થઈ રહ્યું છે. તેમનું પ્રવચન ખૂબ જ પ્રભાવશાળી અને જોમપ્રે૨ક રહ્યું. ભાઈ પ્રદીપનું શાલ-તિલકથી સર્વેએ સન્માન કર્યું હતું. ‘ઉષા સ્મૃતિ’, ૧, ભક્તિનગર સોસાયટી, ધનવંતભાઈએ આ સાહિત્ય સમારોહને વલ્લભભાઈ જૈન ઉપાશ્રય પાર્સ, રાજકોટ-૩૬૦ ૦૦૨. મંગલભાઈ તથા સર્વે પરિવારજનોની તેમના સ્વ. પૂ. પિતાશ્રી અને ફોન : ૦૨૮૧-૨૨૨૨૭૯૫/૯૮૨૪૪૮૫૪૧૦. જયભિખ્ખુ જીવનધારા : ૩૮ E ડૉ. કુમારપાળ દેસાઈ [ગુજરાતી સાહિત્યમાં પ્રાગૈતિહાસિક કાળથી આરંભીને સ્વતંત્રતાના સુધીની કથાઓને લક્ષમાં રાખીને જયભિખ્ખુએ નવલકથાઓ અને નવલિકાઓનું સર્જન કર્યું. બાળપણનો ઇતિહાસપ્રેમ એમને માનવસંસ્કૃતિના આદિકાળથી આરંભીને રાજપૂતયુગ, મોગલયુગ અને છેક વર્તમાનયુગ સુધી લઈ આવ્યો. એ સર્જકના એક આગવા અભિગમ વિશે જોઈએ આ આડત્રીસમા પ્રકરણમાં. જગતને જીતો, જાતને જીતો! સર્જક જયભિખ્ખુએ શિવપુરીના ગુરુકુળમાં કરેલા અભ્યાસ દરમ્યાન જૈનધર્મના વર્તમાન ચોવીસ તીર્થંકરોમાંથી કેટલાક તીર્થંકરોના જીવન-સંદેશનું અતિ આકર્ષણ અનુભવ્યું. એમાંય સૌથી વધુ આકર્ષણ જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવ અને અંતિમ તીર્થંકર ભગવાન મહાવીરસ્વામીનું હતું. આ ઉપરાંત ભગવાન નેમનાથના જીવનમાં આવેલું પરિવર્તન પણ એક સર્જકની કલ્પનામાં અવનવા સંચલનો પ્રગટાવતું હતું. યુવાન લેખક જયભિખ્ખુએ મનોમન વિચાર કર્યો હતો કે ભગવાન ઋષભદેવ અને ભગવાન મહાવીર સ્વામીના ચરિત્રમાં રહેલો માનવતાનો સંદેશ પ્રગટ કરવો અને એ માત્ર જૈનોને જ નહીં, બલ્કે સર્વસ્પર્શી બને એવી રીતે એનું આલેખન કરવું. એમને માનવના રૂપમાં આલેખી માનવતાની યશોગાથા પ્રગટ કરવી. એમણે એમની આ યુવાનીની મનોકામના એમના જીવનકાળ દરમ્યાન પૂર્ણ પણ કરી. આને માટે એમની સામે અનેક પ્રબળ પડકારો હતા. એક તો પડ્યો નહોતો. તીર્થંકરોનાં જે કોઈ ચરિત્રો મળતાં હતાં, તે પ્રમાણમાં પરિભાષાના ભારથી લદાયેલાં, દીર્ધ વર્ણનો ધરાવતાં શુષ્ક ચરિત્રો મળતાં હતાં. એમાં સાધુમહાત્મા કે મુમુક્ષુ ભાઈ-બહેનને આનંદ આવે, પરંતુ એ ચરિત્રોની રજૂઆતમાં સાહિત્યરસિકને કે જનસામાન્યને એટલો રસ ન પડે, તે સ્વાભાવિક હતું. વળી આ ચરિત્રોમાં વિશેષ મોકળાશ પણ નહોતી. જો એ વધુ મોકળા મને ાખે તો જે પરંપરાગત અને રૂઢિબદ્ધ જૈન સમુદાય હતો, એનો એમને વિરોધ સહન કરવો પડે. જૈન સમુદાયના વિરોધનો એમને કશો ભય નહોતો, કારણ કે એ માનતા જ હતા કે એમની નવી દૃષ્ટિથી થયેલી રચનાઓનો કોઈ ને કોઈ સાધુમહારાજ વિરોધ ક૨શે જ અને બન્યું પણ એવું કે એમની પ્રથમ ધર્મઆધારિત નવલકથા ‘ભગવાન ઋષભદેવ'નો કેટલાક સાધુમહારાજાઓએ વિરોધ કર્યો હતો. એમને લેખકની શૈલી ગમી હતી, પરંતુ એમાંથી પ્રગટ કરેલો વ્યાપક માનવતાલક્ષી સંદેશ પસંદ
SR No.525997
Book TitlePrabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy